...તો સાંસદો સહિત PM મોદીને સમર્થન આપીશ,ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેએ રમ્યો મોટો દાવ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની ઉત્તેજના વચ્ચે શિવસેના UBT ચીફ ઉદ્ધવ ઠાકરેએ મોટો દાવ રમ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, જો PM મોદી મરાઠા અને ધનગર સમુદાયના આરક્ષણનો ઉકેલ શોધી કાઢે છે તો તેમની પાર્ટીના તમામ સાંસદો PM મોદીના પગલાનું સમર્થન કરશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, માત્ર PM મોદી જ અનામતની મહત્તમ મર્યાદા 50 ટકા સુધી વધારી શકે છે. તાજેતરમાં DyCM અજિત પવારની આગેવાની હેઠળના NCP નેતા છગન ભુજબળે આ મુદ્દે શરદ પવાર પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી. આ પછી શરદ પવાર રાજ્યના CM એકનાથ શિંદેને પણ મળ્યા હતા. બંને વચ્ચેની મુલાકાત ઘણી લાંબી ચાલી. રાજ્યમાં અનામતના મુદ્દે મરાઠા અને OBC સામસામે છે.

ઉદ્ધવ ઠાકરેએ આ દાવ માતોશ્રીમાં મરાઠા આરક્ષણ આંદોલન સાથે જોડાયેલા કાર્યકરોને મળ્યા પછી રમ્યો હતો. મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા કાર્યકરો ઉદ્ધવ ઠાકરેને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહી રહ્યા હતા. આ માટે તેમણે માતોશ્રીની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. મહાયુતિના ઘટક પક્ષો પણ આ મુદ્દે ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કરી રહ્યા હતા. હવે ઉદ્ધવ ઠાકરેએ મરાઠા આરક્ષણના મુદ્દે બોલ PM મોદીની તરફ ફેંકી દીધો છે, ઉદ્ધવ ઠાકરેએ આ દાવ એવા સમયે રમ્યો છે કે, જ્યારે રાજ્યમાં અનામતના મુદ્દે મરાઠા OBC સંગઠનો આમને-સામને છે. જો ઉકેલ મળે તો ઉદ્ધવ ઠાકરેએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

ઉદ્ધવ ઠાકરેએ મરાઠા ક્રાંતિ થોક મોરચાના કાર્યકરોને માતોશ્રી બંગલે બોલાવીને સંબોધિત કર્યા હતા. ઠાકરેએ પ્રતિનિધિમંડળને કહ્યું કે, માત્ર કેન્દ્ર સરકાર જ અનામતની મર્યાદામાં 50 ટકાનો વધારો કરી શકે છે. PM મોદીને મરાઠા-OBC અને ધનગર આરક્ષણનો ઉકેલ શોધવા દો. અમે બધાને સ્વીકાર્ય એવા નિર્ણયોનું સમર્થન કરીશું અને અમારા પક્ષના સાંસદો તે દરખાસ્તોના સમર્થનમાં મત આપશે. ઠાકરેએ મરાઠા કાર્યકરોને મહાયુતિ સરકારની નફરતની રાજનીતિને વશ ન થવા વિનંતી પણ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકાર રાજકીય લાભ માટે મરાઠાઓ અને OBC વચ્ચે તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે. શિવસેના (UBT) નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, BJPએ માતોશ્રીની બહાર વિરોધ કરવાનું આયોજન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. શાસક મહાયુતિ સરકાર પર મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલનું દબાણ છે. તેમણે અન્ય પછાત વર્ગ (OBC) ક્વોટા હેઠળ મરાઠાઓ માટે અનામતની માંગ સાથે અનેક વિરોધ પ્રદર્શનો અને ભૂખ હડતાળ કરી છે. OBC કાર્યકર્તા લક્ષ્મણ હેક અને નવનાથ વાઘમારેએ સમુદાય માટે ક્વોટા ઘટાડવા સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. તેઓ એક વખત ભૂખ હડતાળ પર પણ બેઠા છે.

Related Posts

Top News

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Copyright (c) Khabarchhe All Rights Reserved.