- National
- આ ઉપગ્રહ વીજળી પડવાના 3 કલાક પહેલા ચેતવણી આપશે! ISROએ મેળવી મોટી સફળતા
આ ઉપગ્રહ વીજળી પડવાના 3 કલાક પહેલા ચેતવણી આપશે! ISROએ મેળવી મોટી સફળતા

વરસાદ, ભૂકંપ જેવી કુદરતી આફતો દર વર્ષે ન જાણે કેટલાય લોકોના જીવ લઇ લેતી હશે. આમાં સૌથી ખતરનાક છે આકાશમાંથી પડતી વીજળી, જે અન્ય કુદરતી આફતોની તુલનામાં સૌથી વધુ જીવ લે છે. NCRB અનુસાર, 2002થી 2022ના સમયગાળામાં, વીજળી પડવાના કારણે 52,477 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર, 1967થી 2000ની વચ્ચે વીજળી પડવાના કારણે 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઘણા વૈજ્ઞાનિકો માનતા હતા કે, જો આપણી પાસે વીજળી પડવા પહેલા બધા લોકોને ચેતવણી આપવાની સુવિધા હોત તો આ મૃત્યુ અટકાવી શકાતા હતા. પરંતુ હવે એવું લાગે છે કે આપણી પાસે એવી સિસ્ટમ અથવા સુવિધા હોઈ શકે છે કે જેથી વીજળી પડવાના 3 કલાક પહેલા આપણને ચેતવણી આપી શકાય.

આકાશથી 36,000 km ઉપર સ્થિત ઉપગ્રહ વીજળી પડવાના 3 કલાક પહેલા વાતાવરણમાં નાનામાં નાના ફેરફારો પણ શોધી શકે છે. આકાશમાં દરેક સિગ્નલ વાંચવાનું રહસ્ય OLR માં રહેલું છે, જેને આઉટગોઇંગ લોંગ વેવ રેડિયેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તે ઉર્જા છે, જે પૃથ્વી અવકાશમાં પાછી મોકલે છે.
ભારતના INSAT-3D ઉપગ્રહનો ઉપયોગ કરીને, NRSC (નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર)ના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે, વીજળી પડતા પહેલા આ કિરણોત્સર્ગ નાટકીય રીતે બદલાય છે, જેને ઓળખી શકાય છે.

સરળ શબ્દોમાં કહીએ તો, પૃથ્વી પર વીજળી પડતા પહેલા, આ ઉપગ્રહો પૃથ્વીના વાતાવરણમાં હિટ સિગ્નલમાં થનારા ફેરફારને ઓળખી કાઢે છે, જે પૃથ્વીને ચેતવણી આપી શકે છે.
ISRO ટીમે 3 માપ એકત્રિત કર્યા છે, જેમાં જમીનની સપાટીનું તાપમાન, વાદળની ગતિ અને બહાર નીકળતા લાંબા કિરણોત્સર્ગ તરંગોનો સમાવેશ થાય છે, જેથી લગભગ 3 કલાક અગાઉ વીજળી પડવાની આગાહી કરી શકાય.

INSAT શ્રેણીમાંથી ડેટા આપમેળે NSRC સર્વર પર પહોંચી જશે, જ્યાં એક ખાસ અલ્ગોરિધમ સંભવિત વીજળીના વિસ્તારોને અગાઉથી ઓળખી શકે છે. ખેડૂતો અને કામદારોને આનો સૌથી વધુ ફાયદો થશે.
NCRB ડેટા દર્શાવે છે કે, 2002થી 2022 સુધી વીજળી પડવાથી 50,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. પૂર, ભૂસ્ખલન અને જંગલમાં લાગેલી આગને કારણે એકસાથે 50,000થી ઓછા લોકો મૃત્યુ પામ્યા હતા.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)