ડબલ મર્ડર, 2 મહિલાઓની ગોળી મારીને કરી દેવાઇ હત્યા

રાજધાની દિલ્હીમાં બદમાશોને નીડર થઈ ગયા છે. અહીં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘટનામાં 2 મહિલાઓના મોત થઈ ગયા છે. બદમાશોએ બંને મહિલાઓને ગોળી મારી છે. જો કે, ગોળી મારનારા બદમાશોની ઓળખ થઈ શકી નથી. મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હીના આર.કે. પુરમ વિસ્તારની આ ઘટના છે. ફાયરિંગની આ ઘટના શનિવારે મોડી રાત્રે થઈ હતી. ઘટના બાદ આર.કે. પુરમના આંબેડકર વસ્તીમાં સનસની ફેલાઈ ગઈ.

દિલ્હીના સાઉથ વેસ્ટ DCP મનોજે જણાવ્યું કે, આર.કે. પુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના આંબેડકર વસ્તી વિસ્તારમાં અજાણ્યા હુમલાવરોએ 2 મહિલાઓની ગોળી મારીને હત્યા કરી દીધી. તેમણે જણાવ્યું કે, મૃતકોની ઓળખ પિંકી (ઉંમર 30 વર્ષ) અને જ્યોતિ (ઉંમર 29 વર્ષ)ના રૂપમાં થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાવર બંને યુવતીઓના ભાઈની તપાસ કરવા માટે આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ પૈસાની લેવડ-દેવડનો મામલો લાગી રહ્યો છે. હાલમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.

બીજી તરફ ફાયરિંગ પાછળનું કારણ અત્યારે સ્પષ્ટ  થઈ શક્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, 2 જૂથોમાં વિવાદના કારણે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ફાયરિંગ બાદ ઘટનાસ્થળ પર અફરાતફરી મચી ગઈ અને ત્યારબાદ 2 મહિલાઓના ગોળી લાગવાથી મોત થઈ ગઈ ગયા. હાલમાં આખી ઘટનાની તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસ મુજબ સવારે 4 વાગીને 40 મિનિટ પર પોલીસને ફોન આવ્યો હતો.

ફરિયાદકર્તાએ કહ્યું કે, 2 બહેનોને ગોળી મારવામાં આવી છે. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને જોયું કે જ્યોતિ અને પિંકી નામની 2 મહિલાઓની ગોળી મારવામાં આવી. બંનેને એસ.જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તો આ ઘટના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હેરાની વ્યક્ત કરી અને શોક વ્યક્ત કર્યો છે. પરિવારજનો મુજબ, ભાઈને બદમાશ ગોળી મારવાના હતા, પરંતુ તેમની સામે બંને બહેનો આવી ગઈ. ત્યારબાદ બદમાશોએ તેમને જ ગોળી મારી દીધી. ગોળી લગતા જ બંને બહેનો જમીન પર પડી ગઈ.

તેમને પાસે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે બદમશો પાસેથી જ્યોતિ અને પિંકીના ભાઈએ 15 હજાર રૂપિયા લીધા હતા. આ પૈસાઓને બદમાશ સવારે લેવા આવ્યા હતા. જ્યોતિ અને પિંકીની ભાભીએ જણાવ્યું કે બદમાશોએ ઘટના દરવાજાને ઘણી વખત ધક્કો આપ્યો, પરંતુ દરવાજો કોઈએ ન ખોલ્યો. ત્યારબાદ બદમશોએ ફરી સવારે 4:30 વહીએ આવ્યા. ફરી દરવાજો ખખડાવ્યો. આ વખત ઘરના પરિવારજનોએ દરવાજો ખોલી દીધો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.