વિશ્વકર્મા પૂજાની રજા રદ, ઇદ પર 2 દિવસની રજા, આ રાજ્યમાં નોટિસને લઇને મચ્યો જોરદાર હોબાળો

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસને લઇને ભારે હોબાળો થયો છે. આ નોટિસ મુજબ,વિશ્વકર્મા પૂજાની એક દિવસની રજા રદ કરીને ઇદ પર 2 દિવસની રજા આપવાની વાત કહેવામાં આવી છે. જોકે, આ મુદ્દે હોબાળો થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશન બેકફૂટ પર આવી ગઇ અને આદેશ જાહેર કરનાર અધિકારીને 'કારણ બતાવો' નોટિસ ફટકારી છે. આરોપ છે કે સંબંધિત અધિકારીએ તેના ઉપલા અધિકારીઓને જાણ કર્યા વિના નોટિસ જાહેર કરી દીધી હતી.

Vishwakarma-Jayanti

રિપોર્ટ્સ મુજબ, અધિકારીને 3 દિવસની અંદર કારણ બતાવવા માટે કહેવામાં આવ્યું છે કે તેણે વિશ્વકર્મા પૂજાની રજા રદ કરવા અને ઇદની રજા વધારવાની નોટિસ શા માટે જાહેર કરી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને આ નોટિસ બાબતે કંઇ જ ખબર નહોતી. તેમણે કહ્યું કે, નોટિસ પહેલાથી જ રદ કરાઇ ચૂકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ધવલ જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓની સલાહ લીધા વિના નોટિસ જાહેર કરવામાં આવી હતી. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ અંગે કંઇ ખબર નહોતી. તે નોટિસ રદ કરી દેવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હિન્દી અને ઉર્દૂ ભાષી શાળાઓની રજાઓની પ્રકાશિત લિસ્ટમાં વિશ્વકર્મા પૂજાની રજા રદ કરી દેવામાં આવી હતી અને ઇદ પર 2 દિવસની રજા આપવામાં આવી હતી. નગર પાલિકાના શિક્ષણ વિભાગના ચીફ મેનેજર સિદ્ધાર્થ શંકર ધર દ્વારા આ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે વિવાદ થયો, ત્યારે અધિકારીને 'કારણ બતાવો' નોટિસ આપવામાં આવી. જો કે હવે આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે.

BJP-TMC

નોટિસની વાત સામે આવતા જ પશ્ચિમ બંગાળની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ તરફથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાહુલ સિંહાએ કહ્યું કે , 'મમતા બેનર્જી તુષ્ટિકરણની રાજનીતિમાં વિશ્વાસ રાખે  છે. કોઇપણ અધિકારીમાં એટલી તાકાત નથી કે વિચાર્યા વિના કોઇ આદેશ જાહેર કરી દે. હવે તેને લઇને વિવાદ ઉત્પન્ન થયો છે ત્યારે આ અધિકારીને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.

તો, તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રિજુ દત્તાએ ભાજપના આરોપો પર પાલટવાર કર્યો છે. દત્તાએ કહ્યું કે, એક અધિકારીએ ભૂલ કરી છે અને તેમને 'કારણ બતાવો' નોટિસ પણ ફટકારવામાં છે. ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી છે. તેની પાસે કોઇ મુદ્દો નથી, એટલે આ બધું કહી રહી છે. ભાજપ જુમલા પાર્ટી છે.

About The Author

Related Posts

Top News

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.