મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. સરકારે આ ટીમમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણને પણ સામેલ કર્યા હતા. જોકે, આ દરમિયાન એવા સમાચાર આવ્યા કે TMC તેમને મોકલવા તૈયાર નથી અને આ કારણે પઠાણે પણ આ ટીમ સાથે જવાનો ઇનકાર કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના આ પગલા પર ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે. જોકે, હવે પાર્ટીના પ્રમુખ મમતા બેનર્જીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે.

mamata
ndtv.com

 

મમતાએ સ્પષ્ટ કર્યું કે, ‘તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) આ મામલે પૂરી રીતે કેન્દ્ર સરકાર સાથે ઉભી છે, પરંતુ આ પ્રતિનિધિમંડળમાં કોણ જશે તે નિર્ણય તેમની પાર્ટી કરશે, ભાજપ નહીં. મમતા બેનર્જીએ કહ્યું કે, અમારી પાર્ટી કેન્દ્ર સરકાર સાથે છે. જો કોઈ પ્રતિનિધિમંડળ જઈ રહ્યું છે તો તે એક સારું પગલું છે, પરંતુ તેમાં અમારી પાર્ટીમાંથી કોણ જશે તે અમે નક્કી કરીશું. એ ભાજપ નહીં નક્કી કરી શકે.

તો, મમતા બેનર્જીના ભત્રીજા અને TMCના મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ સ્પષ્ટતા કરી કે તેમની પાર્ટીએ આ ઓલ પાર્ટી ડેલિગેશનનો બૉયકોટ કર્યો નથી. હું રેકોર્ડ પર એ વાત રેકોર્ડ રાખવા માગુ છું કે અમે કોઈ બૉયકોટ કર્યો નથી. અમે એકમાત્ર પાર્ટી છીએ, જેણે આ મુદ્દાને પોલિટિકલ બનાવ્યો નથી. જ્યાં સુધી દેશની વાત આવે છે, જો કોઈ રાજનીતિ કરી રહ્યું છે તો અમે તેની નિંદા કરીએ છીએ.

pathan
telegraphindia.com

 

આ સાથે, તેમણે કેન્દ્રને યાદ અપાવ્યું કે, વિદેશી બાબતો જેવા મુદ્દાઓ પર, તૃણમૂલ કોંગ્રેસ હંમેશાં રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપે છે અને સરકારનું સમર્થન કરે છે. સરકારે આ અગાઉ જાહેરાત કરી હતી કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય દેશો સહિત મુખ્ય દેશોમાં 7 બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળો મોકલશે, જેથી પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનને બેનકાબ કરી શકાય અને ભારત માટે કૂટનીતિક સમર્થન એકત્ર કરી શકાય. આ 7 પ્રતિનિધિમંડળમાં શશિ થરૂર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા (BJP), સંજય કુમાર ઝા (JDU), કનિમોઝી (DMK), સુપ્રિયા સૂલે (NCP-SP), અને શ્રીકાંત શિંદે (શિવસેના) સામેલ છે.

About The Author

Related Posts

Top News

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત

માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી...
Tech and Auto 
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.