મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. સરકારે આ ટીમમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણને પણ સામેલ કર્યા હતા. જોકે, આ દરમિયાન એવા સમાચાર આવ્યા કે TMC તેમને મોકલવા તૈયાર નથી અને આ કારણે પઠાણે પણ આ ટીમ સાથે જવાનો ઇનકાર કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના આ પગલા પર ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે. જોકે, હવે પાર્ટીના પ્રમુખ મમતા બેનર્જીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે.

mamata
ndtv.com

 

મમતાએ સ્પષ્ટ કર્યું કે, ‘તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) આ મામલે પૂરી રીતે કેન્દ્ર સરકાર સાથે ઉભી છે, પરંતુ આ પ્રતિનિધિમંડળમાં કોણ જશે તે નિર્ણય તેમની પાર્ટી કરશે, ભાજપ નહીં. મમતા બેનર્જીએ કહ્યું કે, અમારી પાર્ટી કેન્દ્ર સરકાર સાથે છે. જો કોઈ પ્રતિનિધિમંડળ જઈ રહ્યું છે તો તે એક સારું પગલું છે, પરંતુ તેમાં અમારી પાર્ટીમાંથી કોણ જશે તે અમે નક્કી કરીશું. એ ભાજપ નહીં નક્કી કરી શકે.

તો, મમતા બેનર્જીના ભત્રીજા અને TMCના મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ સ્પષ્ટતા કરી કે તેમની પાર્ટીએ આ ઓલ પાર્ટી ડેલિગેશનનો બૉયકોટ કર્યો નથી. હું રેકોર્ડ પર એ વાત રેકોર્ડ રાખવા માગુ છું કે અમે કોઈ બૉયકોટ કર્યો નથી. અમે એકમાત્ર પાર્ટી છીએ, જેણે આ મુદ્દાને પોલિટિકલ બનાવ્યો નથી. જ્યાં સુધી દેશની વાત આવે છે, જો કોઈ રાજનીતિ કરી રહ્યું છે તો અમે તેની નિંદા કરીએ છીએ.

pathan
telegraphindia.com

 

આ સાથે, તેમણે કેન્દ્રને યાદ અપાવ્યું કે, વિદેશી બાબતો જેવા મુદ્દાઓ પર, તૃણમૂલ કોંગ્રેસ હંમેશાં રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપે છે અને સરકારનું સમર્થન કરે છે. સરકારે આ અગાઉ જાહેરાત કરી હતી કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય દેશો સહિત મુખ્ય દેશોમાં 7 બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળો મોકલશે, જેથી પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનને બેનકાબ કરી શકાય અને ભારત માટે કૂટનીતિક સમર્થન એકત્ર કરી શકાય. આ 7 પ્રતિનિધિમંડળમાં શશિ થરૂર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા (BJP), સંજય કુમાર ઝા (JDU), કનિમોઝી (DMK), સુપ્રિયા સૂલે (NCP-SP), અને શ્રીકાંત શિંદે (શિવસેના) સામેલ છે.

Related Posts

Top News

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Gujarat 
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.