'અમે ઔરંગઝેબની કબર હટાવવા માંગીએ છીએ પણ કોંગ્રેસ...' જાણો CM ફડણવીસે આવું કેમ કહ્યું

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે દરેક વ્યક્તિ માને છે કે, છત્રપતિ સંભાજીનગરમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈએ, પરંતુ તે કાયદાકીય રીતે થવું જોઈએ, કારણ કે પાછલી કોંગ્રેસ સરકારે આ જગ્યાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના રક્ષણ હેઠળ આપી હતી.

શનિવારે રાત્રે અહીં એક કાર્યક્રમમાં CM ફડણવીસ બોલી રહ્યા હતા. મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ ઉદયનરાજે ભોંસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગ કરી હતી. ભોંસલેની માંગ વિશે પૂછવામાં આવતા, CM ફડણવીસે કહ્યું, 'આપણે બધા એક જ ઈચ્છીએ છીએ, પરંતુ તમારે તે કાયદાકીય રીતે કરવું પડશે કારણ કે તે એક સુરક્ષિત સ્થળ છે. કોંગ્રેસના શાસન દરમિયાન થોડા વર્ષો પહેલા આ જગ્યા ASIના રક્ષણ હેઠળ આપવામાં આવી હતી.'

Aurangzeb Grave
bheldailynews.com

તાજેતરમાં, મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આસીમ આઝમી દ્વારા મુઘલ સમ્રાટ ઔરંગઝેબની પ્રશંસા કરતી ટિપ્પણીને કારણે વિવાદ થયો હતો. ગયા અઠવાડિયે ઔરંગઝેબના વખાણ કરનારા નિવેદન બદલ આઝમીને 26 માર્ચે બજેટ સત્રના અંત સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે એક ઇન્ટરવ્યુ દરમિયાન, આઝમીએ કહ્યું હતું કે, ઔરંગઝેબને ફક્ત એક ક્રૂર શાસક તરીકે જ નહીં પરંતુ એક મહાન પ્રશાસક તરીકે પણ જોવો જોઈએ જેણે મંદિરો પણ બનાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની સરહદો અફઘાનિસ્તાન અને બર્મા (હવે મ્યાનમાર) સુધી પહોંચી ગઈ હતી.

Aurangzeb Grave
tv9hindi.com

આઝમીએ આગળ કહ્યું, 'આ સાથે, હું એવું પણ માનતો નથી કે છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેની લડાઈ ધર્મને લઈને નહોતી; આ એક રાજકીય લડાઈ હતી.' પરંતુ ત્યાર પછી, મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના વડાએ તેમની ટિપ્પણી બદલ માફી માંગી પણ નિવેદનને યોગ્ય ઠેરવતા કહ્યું કે, તેમણે ફક્ત તે જ કહ્યું જે ઇતિહાસકારો અને લેખકોએ મુઘલ શાસક વિશે કહ્યું છે અને તે કોઈ પણ રીતે છત્રપતિ શિવાજી મહારાજ કે સંભાજી મહારાજ વિરુદ્ધ નહોતું.

અહીં તમને બતાવી દઈએ કે 7 માર્ચે, શિવાજી મહારાજના 13મા વંશજ, સતારા રાજવી પરિવારના છત્રપતિ ઉદયનરાજે ભોંસલેએ મકબરાને તોડી પાડવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, જે લોકો ઔરંગઝેબની કબરની મુલાકાત લે છે અને શ્રદ્ધાંજલિ આપે છે તેઓ તેમનું ભવિષ્ય હોઈ શકે છે. તેમણે તે કબરને પોતાના ઘરે લઈ જવી જોઈએ, પરંતુ ઔરંગઝેબના ગુણગાન ગાવાનું હવે સહન કરવામાં આવશે નહીં.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-08-2026 દિવસ: ગુરુવાર મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે. વૃષભ: સંજોગો સાનુકુળ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

JSW-MGએ તેની નવી કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં MG Hector Tomahawk EV લોન્ચ કરી છે. આ કાર...
Tech and Auto 
MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.