'અમે ઔરંગઝેબની કબર હટાવવા માંગીએ છીએ પણ કોંગ્રેસ...' જાણો CM ફડણવીસે આવું કેમ કહ્યું

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે દરેક વ્યક્તિ માને છે કે, છત્રપતિ સંભાજીનગરમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈએ, પરંતુ તે કાયદાકીય રીતે થવું જોઈએ, કારણ કે પાછલી કોંગ્રેસ સરકારે આ જગ્યાને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના રક્ષણ હેઠળ આપી હતી.

શનિવારે રાત્રે અહીં એક કાર્યક્રમમાં CM ફડણવીસ બોલી રહ્યા હતા. મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ ઉદયનરાજે ભોંસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગ કરી હતી. ભોંસલેની માંગ વિશે પૂછવામાં આવતા, CM ફડણવીસે કહ્યું, 'આપણે બધા એક જ ઈચ્છીએ છીએ, પરંતુ તમારે તે કાયદાકીય રીતે કરવું પડશે કારણ કે તે એક સુરક્ષિત સ્થળ છે. કોંગ્રેસના શાસન દરમિયાન થોડા વર્ષો પહેલા આ જગ્યા ASIના રક્ષણ હેઠળ આપવામાં આવી હતી.'

Aurangzeb Grave
bheldailynews.com

તાજેતરમાં, મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આસીમ આઝમી દ્વારા મુઘલ સમ્રાટ ઔરંગઝેબની પ્રશંસા કરતી ટિપ્પણીને કારણે વિવાદ થયો હતો. ગયા અઠવાડિયે ઔરંગઝેબના વખાણ કરનારા નિવેદન બદલ આઝમીને 26 માર્ચે બજેટ સત્રના અંત સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે એક ઇન્ટરવ્યુ દરમિયાન, આઝમીએ કહ્યું હતું કે, ઔરંગઝેબને ફક્ત એક ક્રૂર શાસક તરીકે જ નહીં પરંતુ એક મહાન પ્રશાસક તરીકે પણ જોવો જોઈએ જેણે મંદિરો પણ બનાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની સરહદો અફઘાનિસ્તાન અને બર્મા (હવે મ્યાનમાર) સુધી પહોંચી ગઈ હતી.

Aurangzeb Grave
tv9hindi.com

આઝમીએ આગળ કહ્યું, 'આ સાથે, હું એવું પણ માનતો નથી કે છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેની લડાઈ ધર્મને લઈને નહોતી; આ એક રાજકીય લડાઈ હતી.' પરંતુ ત્યાર પછી, મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના વડાએ તેમની ટિપ્પણી બદલ માફી માંગી પણ નિવેદનને યોગ્ય ઠેરવતા કહ્યું કે, તેમણે ફક્ત તે જ કહ્યું જે ઇતિહાસકારો અને લેખકોએ મુઘલ શાસક વિશે કહ્યું છે અને તે કોઈ પણ રીતે છત્રપતિ શિવાજી મહારાજ કે સંભાજી મહારાજ વિરુદ્ધ નહોતું.

અહીં તમને બતાવી દઈએ કે 7 માર્ચે, શિવાજી મહારાજના 13મા વંશજ, સતારા રાજવી પરિવારના છત્રપતિ ઉદયનરાજે ભોંસલેએ મકબરાને તોડી પાડવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, જે લોકો ઔરંગઝેબની કબરની મુલાકાત લે છે અને શ્રદ્ધાંજલિ આપે છે તેઓ તેમનું ભવિષ્ય હોઈ શકે છે. તેમણે તે કબરને પોતાના ઘરે લઈ જવી જોઈએ, પરંતુ ઔરંગઝેબના ગુણગાન ગાવાનું હવે સહન કરવામાં આવશે નહીં.

About The Author

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.