‘મહિલાઓ દ્વારા નાના કપડામાં ડાન્સ કરવું અશ્લીલતા નહીં: બોમ્બે હાઇ કોર્ટ

On

ઓછા કપડાં પહેરેલી મહિલાઓના ઉત્તેજક ડાન્સ જોવું અશ્લીલતા નહીં કહી શકાય અને તેના માટે ગુનેગાર નહીં કહી શકાય એમ કહી બોમ્બે હાઇ કોર્ટની નાગપુર પીઠે પાંચ આરોપીઓ વિરુદ્ધ સાડા ચાર મહિના અગાઉ નોંધાયેલી FIRને રદ્દ કરી દીધી. 6 ડાન્સર્સ સહિત 13 અન્ય લોકો પર પણ કેસ નોંધવામાં આવ્યો હતો. ન્યાયાધીશ વિજય જોશી અને ન્યાયાધીશ વાલ્મિકી મેનેજેસની ખંડપીઠે બુધવારે કહ્યું કે, વર્તમાન સમયમાં મહિલાઓ માટે સ્વિમિંગ માટેનો પોશાક કે અન્ય આકર્ષક પોશાક પહેરવો અનિવાર્ય અને સામાન્ય વાત છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, નાના સ્કર્ટ પહેરવા અને ઉત્તેજક નૃત્ય કરવા, જેમ પોલીસ અધિકારીઓએ અશ્લીલ માન્યું છે અને FIRમાં ઉલ્લેખ કર્યો છે તે પોતાની જાતમાં અશ્લીલ નહીં કહી શકાય. સાથે જ તેનાથી દર્શકોમાંથી કોઈને પણ પરેશાની નથી થઈ. આપણે ભારતીય સમાજમાં નૈતિકતાના માપદંડો પ્રત્યે સચેત છીએ અને અમે આ તથ્ય પર ન્યાયિક સંજ્ઞાન લીધું. એમ કહેતા કે લોકો મોટા ભાગે સેન્સર બોર્ડથી પાસ થનારી ફિલ્મોમાં કે દર્શકોને પરેશાન કર્યા વિના સાર્વજનિક રૂપે બ્યુટી કન્ટેસ્ટમાં આ પ્રકારના કપડાં પહેરે છે. પીઠે કહ્યું કે, IPCની કલમ 294 (અશ્લીલ હરકતો કે શબ્દો માટે સજા) માટે આ કેસમાં લાગૂ નહીં થાય.

શું છે આખો મામલો:

બોમ્બે હાઇ કોર્ટે કહ્યું કે, અશ્લીલતાનું કારણ બનનાર કૃત્યો પર એક સકીર્ણ દૃષ્ટિકોણ અપનાવવો અમારા તરફથી ઉચિત નહીં હોય. અમે એક પ્રગતિશીલ દૃષ્ટિકોણ પસંદ કરીએ છીએ અને પોલીસ પર નિર્ણય છોડવા માટે તૈયાર નથી. અમે એવી સ્થિતિનો સામનો કરવામાં અસમર્થ છીએ જ્યાં આ પ્રકારના કૃત્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. FIRનો નિર્ણય એક પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે. જે આ કૃત્યોને અશ્લીલ અને જનતાને પરેશાન કરનારા માનવામાં આવે છે.

અરજીકર્તા વકીલ અક્ષય નાઇકના માધ્યમથી 31 મેના રોજ ઉમરેડ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 294 અને 34, મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમ 110, 131 (A), 33 (A), 112 અને 117, મહારાષ્ટ્ર નિષેધ અધિનિયમ, 1949ની કલમ 65 (E) હેઠળ FIRને રદ્દ કરવા માટે હાઇ કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો. કેસ ત્યારે નોંધવામાં આવ્યો હતો જ્યારે પોલીસે એક ખાનગી રિસોર્ટના બેંક્વેટમાં છાપેમારી કરી, જ્યાં અરજીકર્તા 6 ઓછા કપડાં પહેરેલી મહિલાઓનું કથિત રીતે નૃત્ય જોઈ રહ્યા હતા અને તેના પર 10 રૂપિયાની નકલી નોટ વરસાવી રહ્યા હતા.

પોલીસની દલીલનો વિરોધ કરતા અક્ષય નાઇકે કહ્યું કે આ મોરલ પોલીસિંગનો મામલો છે અને કાયદાની કલમ 294ના ખંડ (A)માં અશ્લીલતાના આધાર પર માત્ર ફરિયાદકર્તાની વ્યક્તિપરખ નૈતિકતાના આધાર પર કેસ ચલાવવાની મંજૂરી આપતો નથી. બોમ્બે હાઇ કોર્ટે કહ્યું કે, અરજીકર્તાઓ અને ડાન્સર્સ વિરુદ્ધ FIRમાં કોઈ આરોપ નથી કે તેમણે અશોભનીય પ્રદર્શન કે અપમાનજનક ભાષાના માધ્યમથી જનતાના કોઈ પણ સભ્યને પરેશાન કર્યા. જેનાથી શાંતિ ભંગ થઈ. કલમ 131(A) સાર્વજનિક મનોરંજન માટે પોલીસ અધિનિયમ હેઠળ લાઇસન્સ પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા માટે દંડનું પ્રાવધાન કરે છે. આ પ્રાવધાન માત્ર એવી જગ્યાના કબજાવાળા પર લાગૂ થશે, આરોપી પર નહીં.

Related Posts

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.