હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ એવું તે શું કહ્યું જેનાથી બિહાર BJPને સ્પષ્ટતા કરવી પડી?

હરિયાણાના CM નાયબ સિંહ સૈનીના એક નિવેદનથી બિહારમાં રાજકીય તોફાન મચી ગયું. હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, બિહારના DyCM અને BJPના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરી આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી જીતશે. લાલુની પાર્ટી RJDએ મજાક ઉડાવવાનું શરૂ કર્યું, આના કારણે BJPમાં પણ અસમંજસની પરિસ્થિતિ ઊભી થઈ. હાલમાં બિહારમાં CM નીતિશ કુમાર ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યા છે. સવાલો ઉઠવા લાગ્યા કે શું BJPએ બિહારમાં પોતાનો CM બનાવવાની તૈયારી કરી લીધી છે? પરિસ્થિતિ એવી બની કે BJPને સ્પષ્ટતા બહાર પાડવી પડી.

CM-Nayab-Singh-Saini
CM Nayab Singh Saini

હા, બિહાર BJP એ સ્પષ્ટતા કરી કે, આગામી વિધાનસભા ચૂંટણીઓ ફક્ત CM નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડવામાં આવશે. બિહાર પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે, ચૂંટણી CM નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડવામાં આવશે અને આગામી CM પણ નીતિશ કુમાર જ હશે. DyCM સમ્રાટ ચૌધરીએ પણ આ જ વાત ફરીથી કહી હતી.

બીજી તરફ, લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJDએ દાવો કર્યો છે કે, BJPએ ચૂંટણી પછીની તૈયારીઓ કરી લીધી છે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પૂછ્યું, 'BJPમાં કોણ CM નહીં બને?' તમે કેમ લડાવી રહ્યા છો?' તેમણે કહ્યું કે, બે દિવસ પછી BJPમાં બીજું નામ આવી જશે. મહેરબાની કરીને તેની ચિંતા ન કરો.

Samrat-Chaudhary1
livehindustan.com

રવિવારે ગુરુગ્રામમાં મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં હરિયાણાના CMએ કહ્યું હતું કે, હરિયાણા પછી હવે બિહારનો વારો છે. વિજયનો આ ધ્વજ અટકવો જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે, આપણા સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં બિહારમાં પણ વિજયનો ધ્વજ લહેરાશે.

આ કાર્યક્રમમાં CM સૈની મુખ્ય મહેમાન હતા અને તેમણે ઉત્તર પ્રદેશના DyCM કેશવ પ્રસાદ મૌર્ય, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ DyCM છગન ભુજબળ અને રાજ્યસભાના સાંસદ ઉપેન્દ્ર કુશવાહા અને કલ્પના સૈની જેવા વરિષ્ઠ NDA નેતાઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું.

CM Nayab Singh Saini
punjabkesari.com

હરિયાણા BJPના મીડિયા કોઓર્ડિનેટર સંજય આહુજાએ જણાવ્યું હતું કે, CM સૈનીના નિવેદનનો અર્થ એ છે કે, બિહારમાં ફરીથી NDA સરકાર બનશે અને NDA નેતાઓ નક્કી કરશે કે આગામી CM કોણ હશે. હાલમાં, અમે ચૂંટણી લડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

About The Author

Related Posts

Top News

વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

ઉત્તર પ્રદેશમાં આવેલા અમેઠીમાં પોલીસની અસંવેદનશીલતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. જ્યાં વર્ષોથી ખાટલામાં બીમાર અવસ્થામાં સુતેલી 82 વર્ષીય...
National 
વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

(ઉત્કર્ષ પટેલ) જ્યારે મોટા ઉદ્યોગપતિઓ કે ધનિક વ્યક્તિઓ કોઈ મોટું દાન કરે છે ત્યારે આખી દુનિયામાં તેમની ચર્ચા થાય છે....
Opinion 
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ તાજેતરમાં ચેતવણી આપી હતી કે, જો પરિસ્થિતિ વધુ વણસી જશે તો...
Business 
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ અને શહેરી વિકાસને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે....
Gujarat 
આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.