રોડ અને પૂલ બનાવવાથી વિકાસ ન થઈ શકે, ઘડિયાળ બતાવી ગડકરીએ કહ્યુ- વિદેશનો મોહ છોડો

કોરોના મહામારીના સંકટમાં લોકડાઉન વખતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકની વાત કરી હતી. દેશમાં સ્વતંત્રાની ચળવળ વખતે મહાત્મા ગાંધીએ પણ સ્વદેશી અપનાવવાની વાત કરી હતી અને વિદેશી કપડાંની હોળી કરવામાં આવી હતી. કેન્દ્રીય  રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, તેમાં તેઓ સ્વદેશી અપનાવવા પર ભાર મૂકી રહ્યા છે, તેમણે વીડિયોમાં કહ્યું છે કે, મને દુખ થાય છે કે આપણને વિદેશી વસ્તુઓનો મોહ છે, પરંતુ આપણા ભારતની વસ્તુઓમાં પણ ક્ષમતા છે. હવે આપણે અલગથી વિચારવું પડશે.

હમેંશા પોતાના સ્પષ્ટ વિચારો અને બેધડક બોલવા માટે જાણીતા ભાજપના દિગ્ગજ નેતા નિતિન ગડકરીએ કહ્યું કે, રોડ અને પુલો બનાવવાથી જ દેશનો વિકાસ ન થઇ શકે. તેમણે કહ્યું કે, આઇસક્રીમ ખાવાનો ચમચો પણ ચીનથી આવતો ત્યારે હું મજાકમાં કહેતો કે, શું ભારતમા ચમચાઓની કમી છે કે ચીનથી મંગાવવા પડે છે.

ગડકરીએ કહ્યુ કે મને નવાઇ લાગે છે કે આપણે શું કામ ખાદી ડેનિમનો ઉપયોગ નથી કરતા? તેમણે પોતાના હાથ પર પહેલી ઘડિયાળ બતાવીને કહ્યું હતું કે, મેં જે ઘડિયાળ પહેરી છે તે ટાઇટન કંપનીની છે. આપણે ત્યાં વિઝનની કમી છે. તેમણે કહ્યું કે, આ ઘડિયાળમાં જે બેલ્ટ છે તે ખાદીનો છે, ડાયલ છે તેમાં પણ ખાદીનો ઉપયોગ થયો છે. લેડીઝ અને જેન્ટસ બંને માટે આ ઘડિયાળ બની છે અને એક જ મહિનામાં એટલી ડિમાન્ડ નિકળી હતી કે પુરો સ્ટોક ખલાસ થઇ ગયો હતો.

નિતિન ગડકરીએ કહ્યું કે, તમને જાણીને નવાઇ લાગશે કે વિદેશી કંપની  Levi's પુરાં ખાદી ડેનિમના કપડાં ખરીદી રહી છે અને પછી પોતાની બ્રાન્ડિંગ સાથે ભારતમાં 3000-4000માં વેચે છે અને આપણે ખરીદીએ છીએ. પણ, આપણા જ દેશમાં મશીન પર ડેનિમ ખાદી 400-500માં વેચવામાં આવે તો કોઇ ખરીદતું નથી.

ગડકરીએ કહ્યું કે, મને દુખ થાય છે કે આપણે સવારે જે અખબાર વાંચીએ છે તે અખબારનું કાગળ ઇમ્પોર્ટેડ હોય છે. તેમણે કહ્યું કે, હવે આપણે અલગથી વિચારવું પડશે, ટેક્નોલોજી લાવવી પડશે, અલગ રોજગારનું સર્જન કરવું પડશે તો જ ભારતનો વિકાસ થશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.