રોડ અને પૂલ બનાવવાથી વિકાસ ન થઈ શકે, ઘડિયાળ બતાવી ગડકરીએ કહ્યુ- વિદેશનો મોહ છોડો

કોરોના મહામારીના સંકટમાં લોકડાઉન વખતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકની વાત કરી હતી. દેશમાં સ્વતંત્રાની ચળવળ વખતે મહાત્મા ગાંધીએ પણ સ્વદેશી અપનાવવાની વાત કરી હતી અને વિદેશી કપડાંની હોળી કરવામાં આવી હતી. કેન્દ્રીય  રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, તેમાં તેઓ સ્વદેશી અપનાવવા પર ભાર મૂકી રહ્યા છે, તેમણે વીડિયોમાં કહ્યું છે કે, મને દુખ થાય છે કે આપણને વિદેશી વસ્તુઓનો મોહ છે, પરંતુ આપણા ભારતની વસ્તુઓમાં પણ ક્ષમતા છે. હવે આપણે અલગથી વિચારવું પડશે.

હમેંશા પોતાના સ્પષ્ટ વિચારો અને બેધડક બોલવા માટે જાણીતા ભાજપના દિગ્ગજ નેતા નિતિન ગડકરીએ કહ્યું કે, રોડ અને પુલો બનાવવાથી જ દેશનો વિકાસ ન થઇ શકે. તેમણે કહ્યું કે, આઇસક્રીમ ખાવાનો ચમચો પણ ચીનથી આવતો ત્યારે હું મજાકમાં કહેતો કે, શું ભારતમા ચમચાઓની કમી છે કે ચીનથી મંગાવવા પડે છે.

ગડકરીએ કહ્યુ કે મને નવાઇ લાગે છે કે આપણે શું કામ ખાદી ડેનિમનો ઉપયોગ નથી કરતા? તેમણે પોતાના હાથ પર પહેલી ઘડિયાળ બતાવીને કહ્યું હતું કે, મેં જે ઘડિયાળ પહેરી છે તે ટાઇટન કંપનીની છે. આપણે ત્યાં વિઝનની કમી છે. તેમણે કહ્યું કે, આ ઘડિયાળમાં જે બેલ્ટ છે તે ખાદીનો છે, ડાયલ છે તેમાં પણ ખાદીનો ઉપયોગ થયો છે. લેડીઝ અને જેન્ટસ બંને માટે આ ઘડિયાળ બની છે અને એક જ મહિનામાં એટલી ડિમાન્ડ નિકળી હતી કે પુરો સ્ટોક ખલાસ થઇ ગયો હતો.

નિતિન ગડકરીએ કહ્યું કે, તમને જાણીને નવાઇ લાગશે કે વિદેશી કંપની  Levi's પુરાં ખાદી ડેનિમના કપડાં ખરીદી રહી છે અને પછી પોતાની બ્રાન્ડિંગ સાથે ભારતમાં 3000-4000માં વેચે છે અને આપણે ખરીદીએ છીએ. પણ, આપણા જ દેશમાં મશીન પર ડેનિમ ખાદી 400-500માં વેચવામાં આવે તો કોઇ ખરીદતું નથી.

ગડકરીએ કહ્યું કે, મને દુખ થાય છે કે આપણે સવારે જે અખબાર વાંચીએ છે તે અખબારનું કાગળ ઇમ્પોર્ટેડ હોય છે. તેમણે કહ્યું કે, હવે આપણે અલગથી વિચારવું પડશે, ટેક્નોલોજી લાવવી પડશે, અલગ રોજગારનું સર્જન કરવું પડશે તો જ ભારતનો વિકાસ થશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.