રોડ અને પૂલ બનાવવાથી વિકાસ ન થઈ શકે, ઘડિયાળ બતાવી ગડકરીએ કહ્યુ- વિદેશનો મોહ છોડો

કોરોના મહામારીના સંકટમાં લોકડાઉન વખતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકની વાત કરી હતી. દેશમાં સ્વતંત્રાની ચળવળ વખતે મહાત્મા ગાંધીએ પણ સ્વદેશી અપનાવવાની વાત કરી હતી અને વિદેશી કપડાંની હોળી કરવામાં આવી હતી. કેન્દ્રીય  રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, તેમાં તેઓ સ્વદેશી અપનાવવા પર ભાર મૂકી રહ્યા છે, તેમણે વીડિયોમાં કહ્યું છે કે, મને દુખ થાય છે કે આપણને વિદેશી વસ્તુઓનો મોહ છે, પરંતુ આપણા ભારતની વસ્તુઓમાં પણ ક્ષમતા છે. હવે આપણે અલગથી વિચારવું પડશે.

હમેંશા પોતાના સ્પષ્ટ વિચારો અને બેધડક બોલવા માટે જાણીતા ભાજપના દિગ્ગજ નેતા નિતિન ગડકરીએ કહ્યું કે, રોડ અને પુલો બનાવવાથી જ દેશનો વિકાસ ન થઇ શકે. તેમણે કહ્યું કે, આઇસક્રીમ ખાવાનો ચમચો પણ ચીનથી આવતો ત્યારે હું મજાકમાં કહેતો કે, શું ભારતમા ચમચાઓની કમી છે કે ચીનથી મંગાવવા પડે છે.

ગડકરીએ કહ્યુ કે મને નવાઇ લાગે છે કે આપણે શું કામ ખાદી ડેનિમનો ઉપયોગ નથી કરતા? તેમણે પોતાના હાથ પર પહેલી ઘડિયાળ બતાવીને કહ્યું હતું કે, મેં જે ઘડિયાળ પહેરી છે તે ટાઇટન કંપનીની છે. આપણે ત્યાં વિઝનની કમી છે. તેમણે કહ્યું કે, આ ઘડિયાળમાં જે બેલ્ટ છે તે ખાદીનો છે, ડાયલ છે તેમાં પણ ખાદીનો ઉપયોગ થયો છે. લેડીઝ અને જેન્ટસ બંને માટે આ ઘડિયાળ બની છે અને એક જ મહિનામાં એટલી ડિમાન્ડ નિકળી હતી કે પુરો સ્ટોક ખલાસ થઇ ગયો હતો.

નિતિન ગડકરીએ કહ્યું કે, તમને જાણીને નવાઇ લાગશે કે વિદેશી કંપની  Levi's પુરાં ખાદી ડેનિમના કપડાં ખરીદી રહી છે અને પછી પોતાની બ્રાન્ડિંગ સાથે ભારતમાં 3000-4000માં વેચે છે અને આપણે ખરીદીએ છીએ. પણ, આપણા જ દેશમાં મશીન પર ડેનિમ ખાદી 400-500માં વેચવામાં આવે તો કોઇ ખરીદતું નથી.

ગડકરીએ કહ્યું કે, મને દુખ થાય છે કે આપણે સવારે જે અખબાર વાંચીએ છે તે અખબારનું કાગળ ઇમ્પોર્ટેડ હોય છે. તેમણે કહ્યું કે, હવે આપણે અલગથી વિચારવું પડશે, ટેક્નોલોજી લાવવી પડશે, અલગ રોજગારનું સર્જન કરવું પડશે તો જ ભારતનો વિકાસ થશે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.