PM મોદી રોડ શો શું કામ કરે છે? અને લોકો દર વખતે આટલી મોટી સંખ્યામાં કેમ આવે છે?

(ઉત્કર્ષ પટેલ)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક એવું નામ છે જે ભારતના રાજકીય અને સામાજિક પટલ પર એક અનોખી ઓળખ ધરાવે છે. તેમના રોડ શો એ ભાજપના માત્ર રાજકીય કાર્યક્રમ નથી પરંતુ એક એવું માધ્યમ છે જે લોકોના હૃદય સાથે સીધું જોડાય છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે આ રોડ શો કેમ યોજાય છે? અને લોકો લાખોની સંખ્યામાં આમાં કેમ ઉમટી પડે છે? આ બંને પ્રશ્નોનો જવાબ આપણા દેશની નાગરિકોને જાગૃતિ, નેતૃત્વની શક્તિ અને પ્રધાનમંત્રી મોદીના દેશ અને જનલક્ષી વ્યક્તિત્વમાં રહેલો છે.

photo_2025-05-29_01-07-54

પ્રધાનમંત્રી મોદીના રોડ શોનો મુખ્ય હેતુ એક નેતા તરીકે લોકો સાથે સીધો સંવાદ સંપર્ક સાધવાનો છે. આ રોડ શો માત્ર ચૂંટણીલક્ષી નથી પરંતુ તે લોકોની લાગણીઓ, આશાઓ અને મહત્વકાંક્ષાઓ સમજવાનું અને તેમની સાથે એક ભાવનાત્મક બંધન સાધવાનું એક પ્લેટફોર્મ છે. પ્રધાનમંત્રી મોદી એક લાગણીશીલ અને જનમાનસની નાડી સમજનારા નેતા છે. તેમના રોડ શો દ્વારા તેઓ દેશના ખૂણે ખૂણે રહેતા લોકો સુધી પહોંચે છે અને તેમની વચ્ચે રહીને તેમની લાગણીઓને સ્પર્શે છે. આ રોડ શો એક રીતે લોકશાહીનો ઉત્સવ છે જેમાં નેતા અને જનતા વચ્ચેનું અંતર ઘટે છે.

લોકો આ રોડ શોમાં લાખોની સંખ્યામાં કેમ ઉમટે છે? આનું કારણ છે પ્રધાનમંત્રી મોદીનું જનપ્રિય વ્યક્તિત્વ અને તેમનું પ્રેરણાદાયી નેતૃત્વ. તેઓ એક એવા નેતા છે જેમણે પોતાના જીવનની શરૂઆત નાના ગામડામાંથી કરી. સામાન્ય પરિવારમાંથી ઉભરીને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. એમનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણાનું પ્રતીક છે. લોકો તેમનામાં પોતાના સપના અને આશાઓ જુએ છે. તેમની વાણીમાં સરળતા, નિષ્ઠા અને દેશ પ્રત્યેની અદમ્ય ભક્તિ લોકોને આકર્ષે છે. રોડ શોમાં ઉભરાતી જનમેદની એ લોકોનો વિશ્વાસ છે જે તેમણે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ પર રાખ્યો છે.

01

આ રોડ શોમાં જોખમની વાત પણ સાચી છે. લાખો લોકોની ભીડમાં સુરક્ષાનો પડકાર હંમેશા રહે છે પરંતુ પ્રધાનમંત્રી મોદીનો જનતા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ આ જોખમની પણ અવગણના કરે છે. તેઓ માને છે કે લોકો સાથે જોડાયા વિના લોકશાહી અધૂરી છે. આ રોડ શો એક નેતાની જવાબદારી અને જનતાની ભાગીદારીનું સુંદર સમન્વય છે.

photo_2025-05-29_01-07-59

આ બધું જોતાં એ સ્પષ્ટ થાય છે કે પ્રધાનમંત્રી મોદીના રોડ શો માત્ર રાજકીય કાર્યક્રમ નથી પરંતુ એક એવો પ્રયાસ છે જે દેશની એકતા, આશાઓ અને નવા ભારતના નિર્માણનું પ્રતીક બની રહે છે. લોકોની ભીડ એ દેશના ભવિષ્ય પ્રત્યેનો વિશ્વાસ છે અને પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ એ એક પ્રેરણા છે જે દરેક ભારતીયને વિકાસના પંથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

Related Posts

Top News

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.