2000ની નોટ બદલવા માટે બેંકોમાં કેમ ભીડ નથી? તજજ્ઞોએ આ 5 કારણ આપ્યા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા શુક્રવારે મોડી સાંજે એક નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી કે 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. આના માટે RBIએ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં લોકોને નોટ જમા કરાવી દેવા કહ્યું હતું અને સાથે રોજની 20000 રૂપિયાની નોટ બેંકોમાંથી બદલી શકાશે એવી પણ સુચના આપી હતી. RBIએ 23 મે 2023ના દિવસથી નોટ બદલવાનું કહ્યું હતું.

RBI જ્યારે નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારે ઘણા લોકોને એવી શંકા હતી કે 23 મેથી બેંકોમાં નોટ બદલવા માટે લાઇનો લાગી જશે અને પેનિક ફેલાશે, પરંતુ એવું કશું થયું નથી. 23 તારીખે બેંકોમાં બિલુકલ ભીડ જોવા મળી નથી. હવે  બેંકોમાં લોકોની ભીડ કેમ ન થઇ? તેના વિશે તજજ્ઞોએ 5 કારણો આપ્યા છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવ્યા મુજબ ઇકોનોમિક એક્સપર્ટ સિનિયર જર્નાલિસ્ટ રૂસત્મ વોરા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ પી કે મોદીએ જણાવ્યું હતું કે જેવો ડર હતો એવી ભીડ બેંકોમાં જોવા મળી નથી. તેમણે બેંકરો સાથે વાતચીત કરી તેમાં 5 કારણો સામે આવ્યા હતા.

પહેલું કારણ એ છે કે આ વખતે રિઝર્વ બેંકે લોકોને પુરતા દિવસો આપ્યા છે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકમાં રૂપિયા જમાવવા કરાવવાનો સમય આપ્યો છે એટલે કે લોકો પાસે 4 મહિનાનો સમય છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે પણ લોકોને વિનંતી કરી હતી કે બેંકોમાં કોઇ પણ પ્રકારની ભીડ કરશો નહી, શાંતિથી તમારા રૂપિયા જમા કરાવજો. રોજના 20000 રૂપિયા બદલવાનો પણ RBIએ વિકલ્પ આપ્યો છે.

બીજું કારણ એ છે કે વર્ષ 2016માં 500 અને 1000 રૂપિયાની નોટનું ચલણ હતું જે રોજિંદા વપરાશમાં આવતું હતું, પરંતુ 2000ની નોટ લોકોના દૈનિક વપરાશમાં આવતી નહોતી. દરેક જગ્યાએ છુટાની સમસ્યા નડતી હતી. એટલે કે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પાસે 2000ની નોટ ઓછા પ્રમાણમાં છે. એટલે પણ લાઇન લાગતી નથી.

ત્રીજું કારણ એ છે કે કેટલાંક રિટેલ સ્ટોર, જ્વેલર્સ, હોસ્પિટલ કે અન્ય દુકાનોમાં 2000ની નોટ સરળતાથી લેવામાં આવે છે એટલે લોકો આવી જગ્યાએ તેમની 2000ની નોટોનો નિકાલ કરી રહ્યા છે.

ચોથું કારણ એ છે કે જેમની પાસે 2000ની નોટ વધારે સંખ્યામાં છે તેવા લોકો પોતાનું જૂનુ દેવું ચૂકતે કરી રહ્યા છે અથવા દાન ધર્મમાં વાપરી રહ્યા છે. કેટલાંક લોકો એડવાન્સ ભાડા તરીકે 2000ની નોટ આપી રહ્યા છે.

પાંચમાં કારણમાં બેંકરોએ કહ્યું હતું કે હજુ પહેલો દિવસ છે એટલે કદાચ સંખ્યા ઓછી હોય શકે છે, આવનારા દિવસોમાં લોકો આવી શકે છે. જો કે બેંકરોનું માનવું છે કે લોકો પાસે ઘણા ઓપ્શન હોવાથી હવે લાઇનો લાગશે એવું લાગતું નથી.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.