13 દિવસથી બંધ છે રાજસ્થાનનો આ વિસ્તાર, 60 લોકોએ કરાવ્યું સામૂહિક મુંડન,જાણો કારણ

રાજસ્થાનના બિકાનેર જિલ્લાથી ખાજુવાલા અને છત્તરગઢ તાલુકાને અલગ કરીને અનુપગઢ જિલ્લામાં સામેલ કરવાના વિરોધ હવે ઉગ્ર થતો જઈ રહ્યો છે. આ વિરોધનાં કારણે છેલ્લા 13 દિવસથી ખાજુવાલા વિસ્તારના બજાર પૂરી રીતે બંધ છે. બંને તાલુકામાં 37 લોકો બે દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. તો 5 ડઝનથી વધુ લોકોએ ધરણાસ્થળ પર સામૂહિક રૂપે મુંડન કરાવીને અશોક ગહલોત સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, પછી જે થાય તે પોતાની માગ મનાવીને જ રહેશે. માગો ન માનવા સુધી અનિશ્ચિતકાળ માટે બજાર બંધ કરવામાં આવ્યા છે.

આંદોલનના 13માં દિવસે એટલે કે શનિવારે આંદોલનકારીઓએ ફરી ચક્કા જામ કર્યો હતો. રાજીવ સર્કલ પર મોટી સંખ્યામાં પહોંચેલા ગ્રામજનોએ ચક્કા જામ કરીને સરકાર વિરુદ્ધ નરેબાજી કરી હતી. ચક્કા જામ થવાના કારણે બસોથી આવતા લોકોને પગપાળા જ ચાલવું પડ્યું હતું. તો મેડિકલ સેવાઓને પણ શનિવારે બંધ રાખવામાં આવી હતી. સંઘર્ષ સમિતિનું કહેવું છે કે, સરકાર ગ્રામજનોની રાહની પરીક્ષા લઈ રહી છે. આશ્વાસન બાદ પણ અત્યાર સુધી સરકાર પાસે કોઈ જવાબ ન મળવાથી ગ્રામજનોમાં ગુસ્સો વધતો જઈ રહ્યો છે.

સમય રહેતા સરકાર નિર્ણય કરે નહિતર ફરી ગ્રામજનો પ્રશાસનને ઠપ્પ કરશે. ધરણાં સ્થળ પર રેટિયો લઈને શાંતિપૂર્વક આંદોલન કરી રહેલી ખાજુવાલા સંઘર્ષ સમિતિએ હવે આંદોલન વધુ તેજ કરવાની ચેતવણી આપી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેમની એક માગ છે અથવા તો ખાજુવાલા અને છત્તરગઢને બિકાનેર જિલ્લામાં યથાવત રાખવામાં આવે કે પછી તેમને મળાવીને નવો જિલ્લો બનાવવામાં આવે, પરંતુ બંને ક્ષેત્રોને અનુપગઢ જિલ્લામાં કોઈ પણ હિસાબે સામેલ ન કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગહલોત સરકારે હાલમાં જ રાજ્યમાં 19 નવા જિલ્લા અને 3 પેટાવિભાગોની રચના કરી છે. તેના માટે ઘણા જિલ્લાઓને તોડવામાં આવ્યા છે. બિકાનેરના ખાજુવાલા અને છત્તરગઢને પણ આ જિલ્લાથી કાપીને નવા બનાવાયેલા અનુપગઢ જિલ્લામાં સામેલ કરવામાં આવ્યા છે. તેના માટે આ ક્ષેત્રોના લોકો ક્યારેય રાજી નથી. તો તેઓ આંદોલન પર ઉતરી આવ્યા. એવી પરિસ્થિતિ માત્ર અહીં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય હિસ્સાઓમાં પણ આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.