13 દિવસથી બંધ છે રાજસ્થાનનો આ વિસ્તાર, 60 લોકોએ કરાવ્યું સામૂહિક મુંડન,જાણો કારણ

રાજસ્થાનના બિકાનેર જિલ્લાથી ખાજુવાલા અને છત્તરગઢ તાલુકાને અલગ કરીને અનુપગઢ જિલ્લામાં સામેલ કરવાના વિરોધ હવે ઉગ્ર થતો જઈ રહ્યો છે. આ વિરોધનાં કારણે છેલ્લા 13 દિવસથી ખાજુવાલા વિસ્તારના બજાર પૂરી રીતે બંધ છે. બંને તાલુકામાં 37 લોકો બે દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. તો 5 ડઝનથી વધુ લોકોએ ધરણાસ્થળ પર સામૂહિક રૂપે મુંડન કરાવીને અશોક ગહલોત સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, પછી જે થાય તે પોતાની માગ મનાવીને જ રહેશે. માગો ન માનવા સુધી અનિશ્ચિતકાળ માટે બજાર બંધ કરવામાં આવ્યા છે.

આંદોલનના 13માં દિવસે એટલે કે શનિવારે આંદોલનકારીઓએ ફરી ચક્કા જામ કર્યો હતો. રાજીવ સર્કલ પર મોટી સંખ્યામાં પહોંચેલા ગ્રામજનોએ ચક્કા જામ કરીને સરકાર વિરુદ્ધ નરેબાજી કરી હતી. ચક્કા જામ થવાના કારણે બસોથી આવતા લોકોને પગપાળા જ ચાલવું પડ્યું હતું. તો મેડિકલ સેવાઓને પણ શનિવારે બંધ રાખવામાં આવી હતી. સંઘર્ષ સમિતિનું કહેવું છે કે, સરકાર ગ્રામજનોની રાહની પરીક્ષા લઈ રહી છે. આશ્વાસન બાદ પણ અત્યાર સુધી સરકાર પાસે કોઈ જવાબ ન મળવાથી ગ્રામજનોમાં ગુસ્સો વધતો જઈ રહ્યો છે.

સમય રહેતા સરકાર નિર્ણય કરે નહિતર ફરી ગ્રામજનો પ્રશાસનને ઠપ્પ કરશે. ધરણાં સ્થળ પર રેટિયો લઈને શાંતિપૂર્વક આંદોલન કરી રહેલી ખાજુવાલા સંઘર્ષ સમિતિએ હવે આંદોલન વધુ તેજ કરવાની ચેતવણી આપી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેમની એક માગ છે અથવા તો ખાજુવાલા અને છત્તરગઢને બિકાનેર જિલ્લામાં યથાવત રાખવામાં આવે કે પછી તેમને મળાવીને નવો જિલ્લો બનાવવામાં આવે, પરંતુ બંને ક્ષેત્રોને અનુપગઢ જિલ્લામાં કોઈ પણ હિસાબે સામેલ ન કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગહલોત સરકારે હાલમાં જ રાજ્યમાં 19 નવા જિલ્લા અને 3 પેટાવિભાગોની રચના કરી છે. તેના માટે ઘણા જિલ્લાઓને તોડવામાં આવ્યા છે. બિકાનેરના ખાજુવાલા અને છત્તરગઢને પણ આ જિલ્લાથી કાપીને નવા બનાવાયેલા અનુપગઢ જિલ્લામાં સામેલ કરવામાં આવ્યા છે. તેના માટે આ ક્ષેત્રોના લોકો ક્યારેય રાજી નથી. તો તેઓ આંદોલન પર ઉતરી આવ્યા. એવી પરિસ્થિતિ માત્ર અહીં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય હિસ્સાઓમાં પણ આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.