13 દિવસથી બંધ છે રાજસ્થાનનો આ વિસ્તાર, 60 લોકોએ કરાવ્યું સામૂહિક મુંડન,જાણો કારણ

On

રાજસ્થાનના બિકાનેર જિલ્લાથી ખાજુવાલા અને છત્તરગઢ તાલુકાને અલગ કરીને અનુપગઢ જિલ્લામાં સામેલ કરવાના વિરોધ હવે ઉગ્ર થતો જઈ રહ્યો છે. આ વિરોધનાં કારણે છેલ્લા 13 દિવસથી ખાજુવાલા વિસ્તારના બજાર પૂરી રીતે બંધ છે. બંને તાલુકામાં 37 લોકો બે દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. તો 5 ડઝનથી વધુ લોકોએ ધરણાસ્થળ પર સામૂહિક રૂપે મુંડન કરાવીને અશોક ગહલોત સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, પછી જે થાય તે પોતાની માગ મનાવીને જ રહેશે. માગો ન માનવા સુધી અનિશ્ચિતકાળ માટે બજાર બંધ કરવામાં આવ્યા છે.

આંદોલનના 13માં દિવસે એટલે કે શનિવારે આંદોલનકારીઓએ ફરી ચક્કા જામ કર્યો હતો. રાજીવ સર્કલ પર મોટી સંખ્યામાં પહોંચેલા ગ્રામજનોએ ચક્કા જામ કરીને સરકાર વિરુદ્ધ નરેબાજી કરી હતી. ચક્કા જામ થવાના કારણે બસોથી આવતા લોકોને પગપાળા જ ચાલવું પડ્યું હતું. તો મેડિકલ સેવાઓને પણ શનિવારે બંધ રાખવામાં આવી હતી. સંઘર્ષ સમિતિનું કહેવું છે કે, સરકાર ગ્રામજનોની રાહની પરીક્ષા લઈ રહી છે. આશ્વાસન બાદ પણ અત્યાર સુધી સરકાર પાસે કોઈ જવાબ ન મળવાથી ગ્રામજનોમાં ગુસ્સો વધતો જઈ રહ્યો છે.

સમય રહેતા સરકાર નિર્ણય કરે નહિતર ફરી ગ્રામજનો પ્રશાસનને ઠપ્પ કરશે. ધરણાં સ્થળ પર રેટિયો લઈને શાંતિપૂર્વક આંદોલન કરી રહેલી ખાજુવાલા સંઘર્ષ સમિતિએ હવે આંદોલન વધુ તેજ કરવાની ચેતવણી આપી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેમની એક માગ છે અથવા તો ખાજુવાલા અને છત્તરગઢને બિકાનેર જિલ્લામાં યથાવત રાખવામાં આવે કે પછી તેમને મળાવીને નવો જિલ્લો બનાવવામાં આવે, પરંતુ બંને ક્ષેત્રોને અનુપગઢ જિલ્લામાં કોઈ પણ હિસાબે સામેલ ન કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ગહલોત સરકારે હાલમાં જ રાજ્યમાં 19 નવા જિલ્લા અને 3 પેટાવિભાગોની રચના કરી છે. તેના માટે ઘણા જિલ્લાઓને તોડવામાં આવ્યા છે. બિકાનેરના ખાજુવાલા અને છત્તરગઢને પણ આ જિલ્લાથી કાપીને નવા બનાવાયેલા અનુપગઢ જિલ્લામાં સામેલ કરવામાં આવ્યા છે. તેના માટે આ ક્ષેત્રોના લોકો ક્યારેય રાજી નથી. તો તેઓ આંદોલન પર ઉતરી આવ્યા. એવી પરિસ્થિતિ માત્ર અહીં જ નહીં, પરંતુ રાજ્યના અન્ય હિસ્સાઓમાં પણ આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે.

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.