9 મહિનાની જુડવા દીકરીઓની તેની જ માએ કરી હત્યા, 13 દિવસ પછી આ રીતે થયો ખુલાસો

હરિયાણાના જીંદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ જ પોતાની 9 મહિનાની જોડિયા દીકરીઓની શ્વાસ રૂંધી મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટનાને 12 જુલાઈના રોજ અંજામ આપવામાં આવ્યો હતો. જ્યારે ઘરે કોઈ નહોતું. મહિલાના પતિએ પોલીસને જણાવ્યું કે તે મજૂરી કરવા ગયો હતો. જ્યારે બપોરે ઘરે આવ્યો તો તેણે જોયું કે તેના ઘર આગળ ભીડ હતી અને જોર જોરથી તેની પત્નીના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

પતિના પૂછવા પર પત્ની શીતલે જણાવ્યું કે, તબિયત ખરાબ થવાને લીધે અચાનક જાનકી અને જાનવીનું મોત થઇ ગયું છે. પરિવારે શીતલની વાત સાચી માનીને પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના બંને બાળકીઓના શવને દફન કરી દીધા.

આ રીતે થયો ખુલાસો

બાળકીઓના નિધનના 3-4 દિવસ પછી પડોસમાં રહેતી મહિલાને શીતલે જાતે જ જણાવ્યું કે જાનકી અને જાનવીની હત્યા તેણે પોતે તકિયાથી મોઢુ દબાવીને કરી હતી. શરૂઆતમાં તો કોઈને વિશ્વાસ થયો નહીં અને લાગ્યું કે દીકરીઓના મોતથી શીતલ સદમામાં છે.

પણ રવિવારે જ્યારે શીતલના માતા-પિતાએ પૂછપરછ કરી તો શીતલે ફરી કબૂલ્યું કે તેણે જ બંને દીકરીઓની હત્યા કરી હતી. ત્યાર પછી પતિ જગદીપે પોલીસ સ્ટેશનમાં પત્ની સામે ફરિયાદ દાખલ કરાવી દીધી.

પોલીસે આરોપી માની કરી ધરપકડ

પોલીસનું કહેવું છે કે દફન કરવામાં આવેલા શવોને બહાર કાઢી તેમનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આત્મારામનું કહેવું છે કે બાળકીઓની હત્યા કઈ રીતે થઇ તેની તપાસ કરવામાં આવશે. આરોપી મહિલા સાથે પૂછપરછ કરવામાં આવી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. જોકે, મહિલાએ શા માટે તેની દીકરીઓની હત્યા કરી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. એવું શું કારણ રહ્યું હશે કે મહિલાએ આવું પગલુ ભર્યું! શું તે માનસિક રોગથી પીડાઈ રહી હતી? આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ હેરાનમાં છે કે આખરે એક મા કઈ રીતે તેની સંતાનની હત્યા કરી શકે? 

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.