2029માં યુવાનોની વસ્તી 38 કરોડ સુધી પહોંચશે; શું આ પાસું પલટી શકે?

ભારતીય રાજકારણમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, જે તાજેતરમાં NEET પેપર લીક વિવાદ દરમિયાન સ્પષ્ટ થયું હતું. NEET પેપર લીક વિવાદ દરમિયાન રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થીઓના વિરોધ અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણીઓએ સ્પષ્ટ કર્યું કે યુવાનો હવે મૂક પ્રેક્ષક નથી. આ વિરોધ ફક્ત પરીક્ષાના મુદ્દા વિશે નહોતો, પરંતુ ભારતની નવી પેઢીના રાજકીય ઉદયની ઔપચારિક શરૂઆત પણ હતી.

NEET-UG પરીક્ષામાં ગોટાળા અને પેપર લીક વિવાદ પછી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી દેશના રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થયું છે કે, સરકારો હવે દેશના યુવાનો (18થી 32 વર્ષની વયના)ના અવાજોને અવગણી શકશે નહીં.

India-Youngest-Country1
downtoearth.org.in

પરીક્ષા પ્રક્રિયામાં સરળ સુગમ વ્યવસ્થાની માંગ તરીકે જે શરૂ થયું તે ઝડપથી સરકારી જવાબદારી અને શિક્ષણ પ્રણાલીની માંગણી કરતા એક મોટા આંદોલનમાં ફેરવાઈ ગયું. આ ઘટનાએ દર્શાવ્યું કે, આજની યુવા પેઢી, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલી, કેટલી ઝડપથી એક થઈ શકે છે અને રાષ્ટ્રીય રાજકારણના માર્ગને કેવી રીતે બદલી શકે છે.

2029ની સામાન્ય ચૂંટણી સુધીમાં, 18થી 32 વર્ષની વયના યુવાનો ભારતની સૌથી મોટી પુખ્ત વસ્તી બનશે. આ એવી મત બેંક હશે જે દેશની નવી સરકાર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

જનગણનાના આંકડા મુજબ, 2029 સુધીમાં 18થી 32 વર્ષની વયના યુવાનોની સંખ્યા આશરે 38 કરોડ સુધી પહોંચી શકે છે. આમાં આશરે 19 કરોડ 90 લાખ પુરુષો અને 18 કરોડ 10 લાખ મહિલાઓનો સમાવેશ થશે.

આ યુવા વર્ગ ભારતની સૌથી મોટી પુખ્ત વસ્તી તરીકે ઉભરી આવશે, જે અગાઉની પેઢી (33થી 45 વર્ષની વયના)ને વટાવી જશે, જેની વસ્તી 2029 સુધીમાં આશરે 35 કરોડ 70 લાખ હોવાનો અંદાજ છે.

આ યુવા વર્ગમાં વિદ્યાર્થીઓ, પહેલી વાર મત આપનારાઓ અને નોકરી શરૂ કરનારાઓની ખુબ મોટી સંખ્યા હશે. તેથી, આગામી ચૂંટણીઓમાં, ફક્ત પરંપરાગત મુદ્દાઓને બદલે, રોજગાર, સારું શિક્ષણ, જીવનનિર્વાહનો ખર્ચ, ફુગાવો, પર્યાવરણ અને પારદર્શક શાસન જેવા મુદ્દાઓ મોખરે રહેશે.

India-Youngest-Country2
navbharattimes.indiatimes.com

18-32 વર્ષના યુવા જૂથની પાછળ બાળકોની બીજી મોટી વસ્તી છે. જો કે તેઓ 2029માં મતદાનની ઉંમરથી ઓછી ઉંમરના હોવા છતાં, 41 કરોડ 70 લાખ હશે, તેઓ ભારતનો સૌથી મોટી વય જૂથ હશે.

એક રસપ્રદ મુદ્દો એ પણ છે કે દેશની કુલ વસ્તીમાં યુવાનોની ટકાવારી પહેલાના સમયની તુલનામાં થોડી ઘટી છે, કારણ કે દેશમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધી રહી છે. 1988માં, કુલ મતદારોમાં 18થી 29 વર્ષની વયના યુવાનોનો હિસ્સો 38.3 ટકા હતો, જે 2024માં ઘટીને 30.1 ટકા થયો. હવે, 2029ની સામાન્ય ચૂંટણીઓમાં આ હિસ્સો ઘટીને 27.8 ટકા થઈ જશે. આનો અર્થ એ થયો કે દાયકાના અંત સુધીમાં, લગભગ 4માંથી 1 મતદાર 18થી 29 વર્ષની વયના હશે.

મતદારોમાં યુવાનોનો હિસ્સો ઘટવાનો અર્થ એ નથી કે તેમનો પ્રભાવ ઘટશે, કારણ કે આ પેઢી પાસે માત્ર સંખ્યા જ નહીં પણ જબરદસ્ત ડિજિટલ શક્તિ, વ્યાપક વિચારસરણી અને સોશિયલ મીડિયા દ્વારા મિનિટોમાં એકત્ર થવાની ક્ષમતા પણ છે. NEET વિવાદ એ હમણાંનું અને સૌથી મોટું ઉદાહરણ છે કે, આ પેઢી કોઈપણ મુદ્દાને કેટલી ઝડપથી દેશના સૌથી મહત્વપૂર્ણ મુદ્દામાં ફેરવી શકે છે.

India-Youngest-Country4
samtamarg.in

યુવાનોમાં આ વધારા સાથે, દેશની વસ્તી રચના પણ બદલાઈ રહી છે. ભારતમાં બાળકોનો ગુણોત્તર ઘટી રહ્યો છે, અને મધ્યમ વયના અને વૃદ્ધ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પુરુષોમાં આ હિસ્સો 1989માં 45.2 ટકાથી ઘટીને 2029માં 27.8 ટકા થવાનો અંદાજ છે, જ્યારે સ્ત્રીઓમાં, તે 44.8 ટકાથી ઘટીને 27.3 ટકા થવાનો અંદાજ છે.

46થી 61 વર્ષની વયના લોકોનો હિસ્સો લગભગ 18 ટકા સુધી પહોંચી ગયો છે. 62 અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોની વસ્તી બમણી થઈને લગભગ 10-11 ટકા થવાનો અંદાજ છે.

NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે શરૂ થયેલું આંદોલન ફક્ત પરીક્ષા લીક સુધી મર્યાદિત રહ્યું નથી, પરંતુ ભારતની નવી પેઢીના રાજકીય ઉદય માટે એક રણનીતિ બની ગયું છે. જ્યારે ભારત 2029માં તેની આગામી સરકાર પસંદ કરશે, ત્યારે આ 38 કરોડ યુવાનો સત્તાની ચાવીઓ પોતાના હાથમાં રાખશે. એક ચૂંટણી બળ જેને કોઈ પણ પક્ષ ઓછો આંકી શકે નહીં, કારણ કે આજના બાળકો ભારતની પ્રથમ પેઢી છે, જે ટેકનોલોજીની રીતે સક્ષમ છે અને મિનિટોમાં કોઈપણ મુદ્દાને રાષ્ટ્રીય ચર્ચામાં ફેરવી શકે છે.

About The Author

Related Posts

Top News

GEN-Z, આલ્ફા, બીટાના ભવિષ્ય માટે શું કરવાના છો? રાજસ્થાન હાઇ કોર્ટ સરકાર પાસે જવાબ માંગ્યો

રાજસ્થાન હાઇકોર્ટે GEN Z, GEN ALFA, GEN BITAના કલ્યાણ અને ભવિષ્ય અંગે સુઓમોટો દાખલ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને...
Education 
GEN-Z, આલ્ફા, બીટાના ભવિષ્ય માટે શું કરવાના છો? રાજસ્થાન હાઇ કોર્ટ સરકાર પાસે જવાબ માંગ્યો

SIR: જેમણે 3 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે ભૂતપૂર્વ રાજદૂત નવદીપ સુરી ભારતીય સાબિત થવા માટે દોડી રહ્યા છે

ભૂતપૂર્વ રાજદૂત નવદીપ સુરી 3 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે તેમ છતાં, પંજાબમાં ચાલી રહેલા મતદાર યાદીઓના સ્પેશિયલ...
National 
SIR: જેમણે 3 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે ભૂતપૂર્વ રાજદૂત નવદીપ સુરી ભારતીય સાબિત થવા માટે દોડી રહ્યા છે

2029માં યુવાનોની વસ્તી 38 કરોડ સુધી પહોંચશે; શું આ પાસું પલટી શકે?

ભારતીય રાજકારણમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, જે તાજેતરમાં NEET પેપર લીક વિવાદ દરમિયાન સ્પષ્ટ થયું હતું. NEET ...
National 
2029માં યુવાનોની વસ્તી 38 કરોડ સુધી પહોંચશે; શું આ પાસું પલટી શકે?

ફક્ત 46 પૈસા ઓછા હતા, ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરી શકાયું તો લાગી 2600% લેટ ફી

ક્રેડિટ કાર્ડના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા ગેરફાયદા પણ છે. તેનો ઉપયોગ ત્યાં સુધી ટેન્શન ફ્રી રહે છે, જ્યાં...
Business 
ફક્ત 46 પૈસા ઓછા હતા, ક્રેડિટ કાર્ડનું બિલ  ન ભરી શકાયું તો લાગી 2600% લેટ ફી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.