જાણી લો, દિવાળી પૂજાનું શુભ મૂહુર્ત અને પૂજા-વિધિ

આજે આસો વદ અમાસ એટલે કે દિવાળી છે. કહેવાય છે કે, દરેક અમાસમાં આસો માસની અમાસ સૌથી વધુ ઘેરી હોય છે. આ રાત્રે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના સ્વાગતમાં દીવડા પ્રગટાવી ભગવાનની પૂજા કરવામાં આવે છે.

દિવાળીના દિવસે સાંજના સમયે સ્થિર લગ્નમાં પૂજા કરવાને સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. જ્યારે મધ્યરાત્રિમાં નિશીથ કાળમાં દેવી લક્ષ્મીની પૂજા દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનારી માનવામાં આવે છે.

શુભ મૂહુર્ત

પંચાંગ અનુસાર, 7 નવેમ્બરે સાંજે 6.30 વાગ્યાથી લઈને 8.30 વાગ્યા સુધી વૃષભ રાશિ, સ્વાતિ નક્ષત્ર રહેશે. આ દરમિયાન મહાલક્ષ્મીની પૂજા કરવી વધુ સૌભાગ્યદાયક રહેશે.

ચોઘડિયાની ગણનાથી દિવાળીની સાંજે 7.10 વાગ્યાથી લઈને 8.51 વાગ્યા સુધી શુભ યોગ છે. રાત્રે 8.51થી 10.32 મિનિટ સુધી અમૃત યોગ રહેશે. સાંજે 4.10 વાગ્યાથી લઈને 5.30 વાગ્યા સુધી લાભ યોગ રહેશે. ઘરમાં સુખ, સમૃદ્ધિ માટે ઘરે 7.10 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે પૂજા કરવી.

દિવાળીની પૂજા-વિધી

સામગ્રી

કમળ તેમજ ગુલાબના ફૂલ, નાગરવેલના પાન, કેસર, ચોખા, સોપારી, ફળ, ફૂલ, દૂધ, અત્તર, પતાશા, મેવા, મધ, મિઠાઈ, દહીં, ગંગાજળ, દીપક, શ્રીફળ, તાંબાનો કળશ, સ્ટીલ અથવા ચાંદીનો કળશ, ચાંદીનો સિક્કો, લોટ, તેલ, લવિંગ, લાલ કપડું, બાજટ, ઘી અને એક થાળી.

પૂજા-વિધી

બાજટ સાફ કરી લોટની મદદથી તેના પર નવગ્રહ યંત્ર બનાવો. સ્ટીલના કળશમાં દૂધ, દહીં, મધ, ગંગાજળ, લવિંગ વગેરે ભરી તેના પર લાલ કપડું બાંધો અને તેની પર શ્રીફળ મૂકો. નવગ્રહ યંત્ર પર ચાંદીનો સિક્કો મૂકો અને લક્ષ્મી-ગણપતિની માટીની પ્રતિમા સ્થાપિત કરી ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ કંકુ અને ચોખાનો ચાંદલો કરો.

મંત્ર

લક્ષ્મી વિનાયક મંત્ર

શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા

લક્ષ્મી ગણેશ ધ્યાન મંત્ર

દન્તાભયે ચક્રવરૌ દધાનં, કરાગ્રગં સ્વર્ણઘટં ત્રિનેત્રમ્

ધૃતાબ્જયાલિદ્નિતમાબ્ધિ પુત્ર્યા-લક્ષ્મી ગણેશં કનાકભમીડે

ઋણહર્તા ગણપતિ મંત્ર

ગણેશ ઋણં છિન્ધિ વરેણ્યં હું નમઃ ફટ્

About The Author

Related Posts

Top News

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમના દીકરી અનાર પટેલના ક્રાફ્ટ રૂટ...
Gujarat 
આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માન આપવા માટે અધિકારીઓને સુચના કેમ આપવી પડે?

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીઓ અને ધારાસભ્યોને સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની અને જિલ્લાના પ્રવાસ દરમિયાન માન સન્માન ન જળવાતું...
Governance 
ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માન આપવા માટે અધિકારીઓને સુચના કેમ આપવી પડે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.