રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો, સમજાવો: રાજ્યપાલ

ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધુંધ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો, તેમને સમજાવો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, રાસાયણિક ખાતરની આયાત વધતી જ જાય છે, સાથોસાથ કેન્સર જેવા જીવલેણ રોગો પણ વધતા જાય છે. વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં અન્નમાંથી 45% પોષક તત્વો ગાયબ થઈ ગયા છે. ધરતીમાં પણ પોષક તત્વો રહ્યા નથી. વધુ વિકટ પરિસ્થિતિ સર્જાય તે પહેલાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

રાજભવન-ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે આજે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓને અનુરોધ કરતાં કહ્યું કે, રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. ભૂમિ, પર્યાવરણ, પાણી અને માનવ સ્વાસ્થ્ય માટે રાસાયણિક ખાતર ગંભીર ખતરો છે. તેમણે કૃષિ વિભાગના તમામ અધિકારીઓ-કર્મચારીઓને ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માર્ગદર્શન અને તાલીમ આપવા સૂચન કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પહેલાં પોતાના ફાર્મ; ગુરુકુલ-કુરુક્ષેત્ર, હરિયાણામાં રાસાયણિક ખેતી કરતા હતા. એક વખત એમના ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહેલો વ્યક્તિ દવા છાંટતાં બેભાન થઈ ગયો. તે દિવસથી તેમણે રાસાયણિક દવાઓ-ખાતરની ઝેરી અસરની ગંભીરતા સમજીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. તેઓ છેલ્લા નવ વર્ષથી કુરુક્ષેત્ર ફાર્મમાં પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં મબલખ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. અને એટલે જ તેઓ અન્ય તમામ લોકો પણ કલ્યાણકારી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે પરિશ્રમ કરી રહ્યા છે.

ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ અને તેમના હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બને અને તમામ કૃષિ યુનિવર્સિટીઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે એવી અપીલ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવા અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નનું ઉત્પાદન કરવું એ માનવતાના કલ્યાણ અને દેશની ભલાઈનું કાર્ય છે. આ કામ પૂરી પ્રમાણિકતા અને અંતરમનથી થશે તો જ પરિણામો મળશે અને સમગ્ર દેશમાં ક્રાંતિ થશે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ અને અન્ય સંલગ્ન વિભાગોના અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ માટે યુદ્ધના ધોરણે કામ કરવાની અપીલ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, રાસાયણિક ખેતી કરતો ખેડૂત દુઃખી છે. તેની જમીન વેરાન થઈ ગઈ છે. વધારે માત્રામાં રાસાયણિક ખાતર વાપરવું પડતું હોવાથી ખેતીમાં ઉત્પાદન ખર્ચ પણ વધ્યું છે, ઉપરથી બિન આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવવાનું. ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડવા ઈચ્છે છે. પ્રાકૃતિક ખેતી જ કરવી પડશે એવી પરિસ્થિતિ છે, ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અને પદ્ધતિસરની તાલીમ આપવાની આવશ્યકતા છે.

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા મોડેલ ફાર્મ તૈયાર કરી રહ્યા છે. રાજ્ય સરકાર આ માટે ખેડૂતોને તાલીમ અને પ્રોત્સાહન આપી રહી છે. 33 જિલ્લાઓમાં 3082 મોડેલ ફોર્મ તૈયાર છે. સૌથી વધુ મહેસાણા જિલ્લામાં; 158 મોડલ ફાર્મ છે. પાટણ, ભાવનગર, કચ્છ, સુરત, પંચમહાલ, અમરેલી અને ખેડા જિલ્લામાં 100 થી વધુ મોડેલ ફાર્મ તૈયાર થયા છે.

 

Related Posts

Top News

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત

દેશી સ્માર્ટફોન કંપની લાવાએ પોતાનો નવો મોબાઇલ ફોન લોન્ચ કરી દીધો છે, જે શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે. કંપનીએ...
Tech and Auto 
દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત
Copyright (c) Khabarchhe All Rights Reserved.