World Health Day: 7 એપ્રિલના રોજ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ડે

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા સાત એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક રહેવાનો સંદેશ અપાય છે. તે સિવાય સરકારોને પણ સ્વાસ્થ્ય નીતિઓના નિર્માણ અને તેને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

દુનિયાભરના લોકોને નીરોગી બનાવવાના ઉદ્દેશ્યથી સાત એપ્રિલ 1948ના રોજ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે WHOની પ્રથમ બેઠક મળી હતી. જેના બે વર્ષ બાદ એટલે કે સાત એપ્રિલ 1950થી દર વર્ષે આજ દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ વર્ષે વર્લ્ડ હેલ્થ ડેની થીમ યુનિવર્સલ હેલ્થ કવરેજ રાખવામાં આવી છે. જે પ્રમાણે, વિશ્વભરના લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રાખવાનો ઉદ્દેશ્ય છે. તે સિવાય દુનિયાભરના લોકોને કોઈ પણ સમસ્યાની આર્થિક સમસ્યાનો સામનો કર્યા વિના સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવો છે.

આ દિવસ મનાવવા પાછળનો હેતુ તમામ વ્યક્તિને સારી સ્વાસ્થ્ય સુવિધા મળે તેવો છે. દુનિયાભરમાં લાખો કરોડો લોકો પોલિયો, હાર્ટની બીમારી, ટીબી મલેરિયા, એઇડ્સ જેવા ખતરનાક રોગોનો શિકાર છે. એવામાં આ બીમારીઓને નાથવા અને તેની પૂરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનમાં 195 દેશો સામેલ છે. આ તમામ દેશ પોતાના દેશના નાગરિકોનો રોગમુક્ત બનાવવાના પ્રયાસમાં લાગેલા છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.