શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?

આપણું ગુજરાત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર હેઠળ વિકાસના મોડલ તરીકે ઓળખાતું હતું આજે એક અલગ જ પરિસ્થિતિમાં છે. રાજ્યમાં આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક પ્રગતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે તેને 'ગુજરાત મોડલ' તરીકે વખાણવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને 2019 થી 2026 સુધીના સમયગાળામાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારનું ગંભીર સ્વરૂપ જોવા મળ્યું છે. આ ભ્રષ્ટાચાર માત્ર નાગરિકોને જ ત્રાસ આપી રહ્યો નથી પરંતુ ચૂંટાયેલા રાજકારણીઓને પણ તેની અસર થઈ રહી છે. શું સરકારી અધિકારીઓ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ નથી ગણતા?

01

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધી રહ્યા છે જેમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ સુધી સૌ સામેલ છે. આ પ્રકારની વ્યવસ્થા દર્શાવે છે કે ભ્રષ્ટાચાર કેટલો વ્યવસ્થિત અને બેફામ બની ગયો છે. નાગરિકોને તો તેમના કામ માટે લાંચ આપવી પડે છે પરંતુ વધુ ચિંતાજનક વાત એ છે કે ચૂંટાયેલા ધારાસભ્યો (એમએલએ), કોર્પોરેટરો અને સરપંચો પણ અધિકારીઓ ની મનમાની સામે અસહાય બની રહ્યા છે. તેઓને તેમના વિસ્તારના વિકાસ કાર્યો માટે અધિકારીઓની મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડે છે અને કેટલાક કિસ્સાઓમાં તો અધિકારીઓ તેમની વાતને અવગણીને પોતાની મરજીથીજ કામ કરે છે.

આ પરિસ્થિતિનું મુખ્ય કારણ છે અધિકારીઓની બાબુશાહીની વધતી જતી સત્તા અને ભ્રષ્ટાચારનું જાળ. ભાજપની લાંબી સત્તા હોવા છતાં તંત્રમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ જોવા મળે છે. અધિકારીઓની બાબુશાહી એટલી વધી ગઈ છે કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ગણકારતા નથી. ઉદાહરણ તરીકે ગ્રામીણ વિસ્તારોમાં સરપંચોને રોડ, પાણી અને વીજળી જેવા મૂળભૂત કાર્યો માટે તહસીલદાર કે કલેક્ટરની મંજૂરી મેળવવામાં અનેક અડચણો આવે છે. શહેરી વિસ્તારોમાં કોર્પોરેટરોને મ્યુનિસિપલ અધિકારીઓની અવગણનાનો સામનો કરવો પડે છે આના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના મતદારોને વચનો આપીને પણ પૂરા કરી શકતા નથી જે તેમને નિરાશ અને ત્રાહિમામ કરી રહ્યા છે.

photo_2026-01-08_18-15-32

ગુજરાત સરકારની પારદર્શી અને વિકાસલક્ષી છબીને રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓજ નુકસાન પહોંચાડી રહ્યા છે. ભ્રષ્ટાચારના કારણે વિકાસના પ્રોજેક્ટ્સમાં વિલંબ થાય છે, સરકારી ભંડોળનો દુરુપયોગ થાય છે અને જનતાનો વિશ્વાસ ઘટે છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ અધિકારીઓની બાબુશાહીથી પરેશાન છે તો સામાન્ય નાગરિકોની હાલતની કલ્પના કરી શકાય છે. આ પરિસ્થિતિમાં જરૂરી છે કે સરકાર અધિકારીઓ પર નિયંત્રણ મેળવે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરે.

આખરે ગુજરાતને ફરી વિકાસના માર્ગે લાવવા માટે અધિકારીઓ અને ચૂંટાયેલા રાજનેતાઓ વચ્ચે સંતુલન સંકલન જરૂરી છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.