- Opinion
- ગૌમાતાને પ્રથમ રોટલી: સનાતન સંસ્કૃતિની પવિત્ર પરંપરા
ગૌમાતાને પ્રથમ રોટલી: સનાતન સંસ્કૃતિની પવિત્ર પરંપરા

(ઉત્કર્ષ પટેલ)
‘પહેલી રોટી ગૌમાતા કે નામ, યહી હૈ સનાતન ધર્મ કા પ્રણામ...’ આ પંક્તિઓ ફક્ત શબ્દો નથી પરંતુ સનાતન ધર્મના હૃદયમાં રહેલી એક પવિત્ર ભાવના છે. ગૌમાતા જે ધરતીની મમતાનું જીવંત પ્રતીક છે તેના પ્રત્યેની આ શ્રદ્ધા આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. ગૌમાતાને પ્રથમ રોટલી અર્પણ કરવાની પરંપરા માત્ર ધાર્મિક રીતિ નથી પરંતુ તે જીવનની સાદગી, કરુણા અને સેવાનું પ્રતીક છે.
ગૌમાતા સનાતન સંસ્કૃતિમાં માત્ર એક પશુ નથી પરંતુ તે ધરતીની માતા, અન્નપૂર્ણા અને સર્વ જીવોની પોષક છે. આપણા ઋષિ-મુનિઓએ ગાયને પૂજનીય માની કારણ કે તેના દૂધ, ગૌમૂત્ર અને છાણમાંથી મનુષ્યને અનુક્રમે પોષણ, ઔષધ અને ખેતીની ફળદ્રુપતા પ્રાપ્ત થાય છે.
‘ગૌ હૈ ધરતી કી મમતા કી મૂરત’ આ પંક્તિ આપણને યાદ અપાવે છે કે ગૌમાતા એક એવી દિવ્ય શક્તિ છે જે નિઃસ્વાર્થ ભાવે સમગ્ર સૃષ્ટિનું પાલન કરે છે. આ પરંપરા આપણને શીખવે છે કે જે આપણને જીવન આપે છે તેના પ્રત્યે લાગણી વ્યક્ત કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે.
‘સદીઓથી સંસ્કારોની યે રીત ચલી, ગાય કો પહેલી રોટલી, ફિર જીવન સંવર ચલી.’ આ પંક્તિઓ આપણને આપણા પૂર્વજોના મૂલ્યોની યાદ અપાવે છે. ગૌમાતાને પ્રથમ રોટલી આપવાની રીત આપણને શીખવે છે કે જીવનમાં નાની-નાની વાતોમાં પણ શ્રદ્ધા અને સમર્પણનું મહત્ત્વ છે. આ પરંપરા આપણને નમ્રતા, સેવાભાવ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો પાઠ ભણાવે છે. આજના આધુનિક યુગમાં જ્યાં માણસ પોતાના સ્વાર્થમાં ખોવાઈ રહ્યો છે આ પરંપરા આપણને પ્રેરે છે કે આપણે પ્રકૃતિ અને જીવોની સેવા કરીએ.
‘ધર્મ નહીં બસ એક પરંપરા યે પ્યારી, ગૌસેવામાં બસી હૈ કરુણા સારી.’ આ પંક્તિઓ સ્પષ્ટ કરે છે કે ગૌસેવા એ ફક્ત ધાર્મિક કર્મકાંડ નથી પરંતુ તે એક એવો પ્રેમાળ સંસ્કાર છે જેમાં કરુણા અને માનવતાનો સમન્વય થાય છે. ગૌમાતાને રોટલી આપવી એટલે એક નાનકડું પગલું છે પરંતુ તેની પાછળની ભાવના આપણા જીવનને પવિત્ર અને ઉત્તમ બનાવે છે. આજે આપણે આ પરંપરાને જીવંત રાખી ગૌસેવા અને પ્રકૃતિના સંરક્ષણનો સંકલ્પ લઈએ જેથી આવનારી પેઢીઓ પણ આ સંસ્કારોનો લાભ લઈ શકે.
ગૌમાતાને પ્રથમ રોટલી અર્પણ કરવી એટલે જીવનની શરૂઆત કૃતજ્ઞતા અને સેવાથી કરવી. આ પરંપરા આપણને શીખવે છે કે જીવનનો સાચો આનંદ દાન આપવામાં અને સેવામાં છે. ચાલો આ પવિત્ર પરંપરાને અપનાવીએ અને ગૌમાતાના ચરણોમાં આપણું સમર્પણ અર્પણ કરીએ કારણ કે ગૌસેવા એટલે સનાતન ધર્મનું સાચું પ્રણામ!
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Opinion
