આજે ગર્વ સાથે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતની પવિત્ર ભૂમિ પર સ્થિત સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે આપણી સનાતન સંસ્કૃતિનું અમર આસ્થા કેન્દ્ર છે. આ મંદિરની કથા વીરતા, ત્યાગ અને અડગ વિશ્વાસની છે જે સદીઓથી આપણા હૃદયમાં ગર્વની લાગણી સાથે વસે છે. આજે જ્યારે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ ત્યારે આ ગર્વાનુભવ વધુ ગાઢ બને છે. આ પર્વ જે 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ચાલશે આપણને યાદ અપાવે છે કે આપણો વારસો કેટલો ગર્વાનુભવ આપનારો છે.

02

સોમનાથની ઇતિહાસિક કથા 1026માં શરૂ થાય છે જ્યારે મહમૂદ ગઝનવીએ તેના પર આક્રમણ કર્યું હતું. તે વખતે મંદિરમાં અપાર સંપત્તિ હતી અને આસ્થાનું કેન્દ્ર હતું પરંતુ આક્રમણકારીઓએ તેને વિનાશ કરવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં ભારતીય આસ્થા ક્યારેય ડગમગી નહીં. સદીઓમાં અનેક આક્રમણો થયા અલાઉદ્દીન ખિલજી, મુઝફ્ફર શાહ અને ઔરંગઝેબ જેવા શાસકોએ તેને તોડવાના પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખતે ભારતીય સનાતનીઓએ તેને પુનઃનિર્માણ કરીને પોતાની સંસ્કૃતિની રક્ષા કરી. આ મંદિર પાંચ વખત તૂટ્યું અને છ વખત બન્યું જે આપણા પૂર્વજોની ઇચ્છાશક્તિનું પ્રમાણ છે.

આજે સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ 1951માં પૂર્ણ થયું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને કે.એમ. મુન્શી જેવા મહાનુભાવોનું યોગદાન સોમનાથની અમરગાથા માં લખાયું છે. આ મંદિર આજે પણ અડગ ઊભું છે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ આવીને મહાદેવના આશીર્વાદ લેતા હોય છે. તેની વાસ્તુકલા જેમાં ચાલુક્ય શૈલીની ભવ્યતા છે આપણને પ્રાચીન ભારતીય કળાની ઓળખ કરાવે છે. સમુદ્રના કિનારે આવેલું આ મંદિર પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનું અનોખું મિશ્રણ છે જે આપણા હૃદયમાં ભક્તિ, શાંતિ અને ગર્વને જાળવે છે.

04

'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું આયોજન દેશના PM નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. આ પર્વ માત્ર ઉજવણી નથી પરંતુ એક સંકલ્પ છે આપણી વિરાસતને આગામી પેઢીઓ સુધી પહોંચાડવાનો. આમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યાખ્યાનો અને પ્રદર્શનો દ્વારા ઇતિહાસની વાતો કરવામાં આવશે. તે આપણને યાદ અપાવે છે કે આક્રમણકારીઓ સમયની ધૂળમાં વિલીન થઈ ગયા પરંતુ સોમનાથ આજે પણ અડગ છે. આ પર્વ આપણા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે જેમાં ગુજરાતી તરીકે આપણે વિશેષ ગર્વ અનુભવીએ છીએ.

આજે જ્યારે વિશ્વ આપણી સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહ્યું છે ત્યારે સોમનાથ જેવા સનાતન ધર્મના કેન્દ્ર આપણને અનોખી ઓળખ આપે છે. આવો આપણે સૌ આ પર્વમાં જોડાઈએ, આપણા વારસા પર ગર્વ કરીએ અને એક થઈને રાષ્ટ્રના ઉત્થાનમાં યોગદાન આપી રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યે જાગૃતિ દાખવી યુવા પેઢીને પ્રેરણા આપીએ.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.