- Politics
- શું ચિરાગ ગોટીનું ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયા સાથે કનેક્શન છે?
શું ચિરાગ ગોટીનું ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયા સાથે કનેક્શન છે?
સુરતના કુખ્યાત ચિરાગ ગોટી પ્રકરાણમાં હવે ભાજપમાં જ આતંરિક વિખવાદ ઉભો થયો છે. ભાજપ નેતા નંદલાલ પાંડવે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા સામે મોર્ચો માંડ્યો છે.
ભાજપના નેતા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નંદલાલ પાંડવે ફેસબુક પર ધારાસભ્ય વિનુ મોરડિયા સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. ચિરાગ ગોટી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી કરીને પાંડવે સીધો સવાલ પૂછ્યો છે કે, આ તમારા ગામનો જ ટપોરી છે
નંદલાલ પાંડવ દ્વારા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાના જૂના નિવેદનોને ટાંકીને પ્રહાર કરવામાં આવ્યા છે કે જો વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય નથી, તો પછી ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષ લોકોને કઈ રીતે હેરાન કરી રહ્યા છે?
જેના જવાબમાં ધારાસભ્ય વિનુ મોરડીયાએ કહ્યું છે કે, નંદલાલ પાંડવ પાર્ટી અને સમાજનું નુકશાન કરી રહ્યા છે. ચિરાગ ગોટી મારા ગામ નિંગાળાનો છે એ વાત સાચી, પરંતુ મારે તેની સાથે કોઇ લેવા દેવા નથી.

