ઇમરાન ખાન દોષી જાહેર, 5 વર્ષ નહીં લડી શકે ચૂંટણી, પોલીસે કરી ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી વધી ગઈ છે. ઇસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાનને 3 વર્ષની જેલની સજા સંભળાવી છે. એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઈમરાનની પાર્ટી PTIએ દાવો કર્યો છે કે, જમાન પાર્ક સ્થિત ઘરથી તેમની ધરપકડ કરી લીધી છે. કોર્ટના નિર્ણય બાદ ઈમરાનના રાજનૈતિક કરિયર પર સંકટ આવી ગયું છે. તેઓ આગામી 5 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. ઇસ્લામાબાદ પોલીસે ઈમરાન ખાન વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કર્યું હતું. ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં માહોલ ગરમાઈ શકે છે.

એક રિપોર્ટ મુજબ, જમાન પાર્ક સ્થિત ઈમરાન ખાનના આવાસ પર ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. જમાન પાર્ક રોડ પર વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. કોઈ પણ સભાની મંજૂરી નથી. પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવશે. આ અગાઉ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તોશાખાના કેસમાં રાહતની માગ કરનારી ઈમરાન ખાનની અરજી કરી દીધી. PTI પ્રમુખ ઈમરાન પર તોશાખાનાથી પોતાની પાસે રાખેલા ઉપકરણોના વિવરણ જાણીજોઇને છુપાવવાનો આરોપ લાગ્યો હતો. ટ્રાયલ કોર્ટે આરોપ સાબિત થયા બાદ નિર્ણય સંભળાવ્યો.

આ અગાઉ ઇસ્લામાબાદ હાઇ કોર્ટ દ્વારા કેસમાં રાહત આપવાની ના પડ્યા બાદ ઇમરાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યાંથી પણ રાહત મળી નહોતી. પાકિસ્તાનના ચૂંટણી પંચે ગયા વર્ષે 21 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનને તોશાખાના કેસમાં ખોટા નિવેદન અને ખોટી જાહેરાત કરવા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. મેમાં ટ્રાયલ કોર્ટે કેસમાં PTI પ્રમુખને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટના નિર્ણય બાદ PTIએ નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે, તે એકદમ શરમજનક અને ધ્રુણિત છે. કાયદાનું મજાક ઉડાવવામાં આવી રહ્યું છે. માત્ર એટલે કે ઈમરાન ખાનને અયોગ્ય ઠેરવવા અને જેલમાં નાખવાની ઈચ્છા છે.

PTIએ તોશાખાના કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજનો ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. પાર્ટીએ જજ હુમાયું દિવાલરના પક્ષપાતપૂર્ણ નિર્ણયને ફગાવી દીધો છે. નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર આપવાની વાત કરી છે. PTIનું કહેવું છે કે પક્ષપાતી અને નૈતિક રૂપે ભ્રષ્ટ ન્યાયાધીશોના હાથે ન્યાયની હત્યાનો પ્રયાસ કર્યો છે. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે તોશાખાના કેસે ન્યાય વ્યવસ્થાના માથા પર વધુ એક કાળો ડાઘ લગાવી દીધો છે. પક્ષપાતી જજ દ્વારા ઇતિહાસના સૌથી બેબુનિયાદ રીતે કેસ ચલાવવામાં આવે છે.

ટ્રાયલ કોર્ટના જજે પૂર્વગ્રહની પટ્ટી બાંધીને એક ખાસ એજન્ડા હેઠળ કેસના તથ્યો પર પટ્ટી બાંધી દીધી. સેશન કોર્ટનો નિર્ણય રાજનૈતિક બદલાનું સૌથી ખાસ ઉદાહરણ છે. એક ત્રુટિપૂર્ણ, હાસ્યાસ્પદ અને વિના યોગ્ય કાયદાકીય આધારવાળા નિર્ણયના માધ્યમથી ગણતંત્ર અને લોકતંત્ર પર શરમજનક આક્રમણ કર્યું છે. દેશ સૌથી લોકપ્રિય અને વિશ્વનિય રાજનીતિક નેતા વિરુદ્ધ આ પ્રકારનું ષડયંત્ર અને બદલાના પ્રયાસને દેશ ક્યારેય નહીં સ્વીકારે.

શું છે તોશાખાના કેસ?

પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના પ્રમુખો, વિદેશી હસ્તીઓ દ્વારા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સાંસદો, નોકરશાહો અને અધિકારીઓને આપવામાં આવેલા ઉપહારો રાખવામાં આવે છે. ઈમરાન ખાન પર વડાપ્રધાન પદ પર રહેતા તોશાખાનમાં રાખવામાં આવેલી ગિફ્ટને ઓછામાં ઓછી કિંમતે ખરીદવા અને પછી તેને વેચીને લાભ કામવાનો આરોપ લાગ્યો હતો. ઈમરાન ખાનને વર્ષ 2018માં દેશના વડાપ્રધાન તરીકે યુરોપ અને ખાસ કરીને અરબ દેશોની યાત્રા દરમિયાન ખૂબ કિંમતી ભેટો મળી હતી.

ઘણી ગિફ્ટને ઇમરાને ડિક્લેર જ ન કરી, જ્યારે ઘણી ગિફ્ટને અસલના ખૂબ ઓછી કિંમતમાં ખરીદી લીધી અને બહાર જઈને મોટી કિંમત પર વેચી દીધી. પૂર્વ વડાપ્રધાને ચૂંટણી પંચને જણાવ્યું હતું કે, રાજ્યના ખજાનાથી આ ગિફ્ટસને 2.15 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને તેમને વેચીને તેને લગભગ 5.8 કરોડ રૂપિયાનો નફો થયો આ ગિફ્ટ્સના એક Graff ઘડિયાળ, કફલિન્કનું એક જોડું, એક મોંઘી પેન, એક અંગૂઠી અને 4 રોલેક્સ ઘડિયાળો સહિત ઘણા અન્ય ઉપહાર પણ હતા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.