‘15 લાખ કરોડ રૂપિયા પડ્યા છે, હું ખર્ચ નથી કરી શકતો..’, નાગપુરમાં આવું કેમ બોલ્યા નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના નીડર બોલી માટે જાણીતા છે. શનિવારે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે તેમની પાસે પૈસાની કોઈ અછત નથી. 15 લાખ કરોડ રૂપિયા પડ્યા છે. કામ કરનારાઓની અછત છે. ગડકરીએ ઉદ્યોગ વિકાસ સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી.

નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘હું કામ કરું છું, મારી પાસે પૈસાની કોઈ અછત નથી. હું એવો વ્યક્તિ છું કે મારી પાસે 15 લાખ કરોડ રૂપિયા પડ્યા છે, હું તેને ખર્ચી શકતો નથી. કામ કરનારાઓની અછત છે. બજારમાં પૈસા છે. જશો તો લોકો પૈસા લઈને ઉભા છે, પરંતુ કામ થઈ રહ્યું નથી, પરંતુ જે દિવસે તમે કામની શરૂઆત કરશો, તો તમને ખ્યાલ આવશે કે એટલા બધા લોકો આવશે, એટલી બધી નોકરીઓ ઉભી થશે કે તમે નહીં આપી શકો; એટલી બધી પોટેન્શિયલ છે.

Nitin-Gadkari

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આગામી 5 વર્ષમાં 5 લાખ નવી નોકરીઓ ઊભી કરવાનો સંકલ્પનું આહ્વાન કરતા કહ્યું કે આપણે વિદર્ભના આર્થિક વિકાસમાં યોગદાન આપીએ. તેનાથી આર્થિક વિકાસ થશે, તેનાથી નાગપુર સ્માર્ટ સિટી બનાવી શકીશું. ઘણા ગામડાઓને વિકસિત કરી શકીશું.

Nitin-Gadkari.jpg-3

નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે રોજગાર વૃદ્ધિ વધારવા માગીએ છીએ, અને અમારો ઉદ્દેશ્ય વિદર્ભના યુવાનો માટે રોજગારીનું સર્જન કરવાનો છે. ઉદ્યોગ વિકાસ સંગઠનને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે તમારું લક્ષ્ય 5 વર્ષમાં લગભગ 5 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનું હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તે એક સંયોગ છે કે તેઓ જે કહે છે, તે ટારગેટ પૂરો થઈ જાય છે. જ્યારે નાગપુરમાં મિહાન (મલ્ટી-મોડલ ઇન્ટરનેશનલ હબ એરપોર્ટ) બનાવવામાં આવી રહ્યું હતું, કેટલાક લોકોએ વિરોધ કર્યો. તે સમયે અમે કહ્યું હતું કે, 100,000 લોકોને રોજગાર આપીશું અને અત્યાર સુધી 100,000 લોકોને રોજગારી અપાઈ ચૂકી છે.

About The Author

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.