ઇથેનોલ અને પાણીથી ચાલશે આ સ્ટવ, ગડકરી બોલ્યા- તે LPG કરતા પણ સસ્તો છે

દેશના કેટલાક ભાગોમાંથી રસોઈ ગેસ (LPG)ની અછત અંગેના અહેવાલો સામે આવી રહ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે પરિસ્થિતિ સામાન્ય છે અને દેશભરમાં રસોઈ ગેસની કોઈ અછત નથી. જોકે, હોર્મુઝ સ્ટ્રેટ રૂટમાં અવરોધોને કારણે પરેશાની જરૂર વધી છે, કારણ કે રસોઈ ગેસ મોટા પાયે આયાત કરવામાં આવે છે.

આ દરમિયાન, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી ઇથેનોલ-આધારિત સ્ટવ ટેક્નોલોજી લોન્ચ કરી છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નવી સ્ટવ ટેકનોલોજીનું અનાવરણ કરતા, ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આમાં કોમર્શિયલ LPG સિલિન્ડરોની તુલનામાં ભોજન બનાવવાનું સસ્તું પડશે. સાથે જ, તે પર્યાવરણને અનુકૂળ પણ છે.

nitin-gadkari
ndtv,com

ભારતમાં વધતા બાયોફ્યૂઅલ મિશનમાં આને એક સીમાચિહ્નરૂપ ગણાવી શકાય છે. સ્ટવ ટેક્નોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે. આ ટેક્નોલોજીની સૌથી ખાસ વાત એ છે કે સ્ટવ શુદ્ધ ઇથેનોલ પર ચાલતો નથી; પરંતુ, તે ઇથેનોલમાં પાણીના મિશ્રણ સાથે કાર્ય કરે છે. આ મિશ્રણ સ્વચ્છ રસોઈ જ્યોત ઉત્પન્ન કરે છે. આ ટેક્નોલોજી પરંપરાગત LPG સિલિન્ડર અને કેરોસીનનો સુરક્ષિત, ઓછો ખર્ચ અને પ્રદૂષણમુક્ત વિકલ્પ પ્રદાન કરે છે.

છેલ્લા એક દાયકામાં ભારતે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2014ની આસપાસ પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ માત્ર 1.5% હતું, તો સરકારી નીતિઓ અને બાયોફ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણોને કારે 2025 સુધીમાં આ આંકડો લગભગ 20% સુધી પહોંચાડ્યો છે. અત્યાર સુધી, સરકારનું પ્રાથમિક ધ્યાન વાહનોમાં ઇથેનોલનો ઉપયોગ કરવા પર હતું; જો કે, હવે તેનો રસોઈ બળતણ તરીકે પણ ઉપયોગ કરવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

ethanol-cookstoves
business-standard.com

LPG કરતા વધુ સારો વિકલ્પ?

નોંધનીય છે કે ઇથેનોલ એ આલ્કોહોલ આધારિત બાયોફ્યૂઅલ છે, જે મુખ્યત્વે શેરડીમાંથી ઉત્પન્ન થાય છે. ગડકરીના મતે, આ ટેક્નોલોજી કોમર્શિયલ LPG સિલિન્ડરો કરતા ખૂબ સસ્તી સાબિત થશે, જેનાથી સામાન્ય પરિવારો અને આતિથ્ય ઉદ્યોગના માસિક ખર્ચમાં ઘટાડો થશે.

કેરોસીન, લાકડું અથવા કોલસાની તુલનામાં, ઇથેનોલ સંપૂર્ણપણે સ્વચ્છ રીતે બળે છે. તે કાર્બન મોનોક્સાઇડ અને બળેલા હાઇડ્રોકાર્બનનું નજીવું ઉત્સર્જન કરે છે, જેનાથી ઘરની અંદરની હવાની ગુણવત્તા શુદ્ધ રહે છે.

ભારત પોતાની ક્રૂડ ઓઇલ અને LPG જરૂરિયાતોનો આશરે 85% વિદેશથી આયાત કરે છે. દર વર્ષે, આયાત બિલના રૂપમાં લાખો કરોડ રૂપિયા દેશમાંથી બહાર જાય છે. ઇથેનોલનો ઉપયોગ આ મોટા આર્થિક બોજને દૂર કરવામાં મદદ કરી શકે છે.

ઇથેનોલનું ઉત્પાદન શેરડી અને મકાઈમાંથી થાય છે; એટલે, તેની માંગમાં વધારો થવાથી દેશના શેરડી અને મકાઈ ઉગાડતા ખેડૂતોની આવકમાં ભારે વધારો થશે.

નિષ્ણાતોનું માનવું છે કે સરકારને ભારતીય ઘરોમાં મોટા પાયે ઇથેનોલ સ્ટવનો ઉપયોગ કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડશે. કારણ કે ઘરોમાં ઇથેનોલ જેવા અત્યંત જ્વલનશીલ પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરવા માટે કડક સલામતી ધોરણોની જરૂર પડશે, જેથી કોઈપણ સંભવિત અકસ્માતોને રોકી શકાય.

About The Author

Related Posts

Top News

રસ્તા પર નમાજ નહીં, જાહેર સ્થળોએ કુરબાની પર પ્રતિબંધ: બકરી ઇદને લઈને યોગી સરકાર કડક

બકરીઇદ (ઈદ-ઉલ-અઝહા) ના તહેવાર પૂર્વે ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તહેવાર દરમિયાન રસ્તાઓ પર નમાજ પઢવા...
National 
રસ્તા પર નમાજ નહીં, જાહેર સ્થળોએ કુરબાની પર પ્રતિબંધ: બકરી ઇદને લઈને યોગી સરકાર કડક

'કોકરોચ જનતા પાર્ટી' માટે ચૂંટણી પંચ સુધી પહોંચી અરજી, પરંતુ એક મોટો ખેલ પણ થઇ ગયો

સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી'ની રચના કરનાર અભિજીત દિપકને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાના...
National 
'કોકરોચ જનતા પાર્ટી' માટે ચૂંટણી પંચ સુધી પહોંચી અરજી, પરંતુ એક મોટો ખેલ પણ થઇ ગયો

1 જૂનથી આ કંપનીની કાર 30 હજાર રૂપિયા સુધી મોંઘી થશે

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની...
Tech and Auto 
1 જૂનથી આ કંપનીની કાર 30 હજાર રૂપિયા સુધી મોંઘી થશે

અન્ના હઝારેએ જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ વિશે શું કહ્યું

'કોકરોચ જનતા પાર્ટી'ને લઈને ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે, વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ આ ઓનલાઈન...
National 
અન્ના હઝારેએ જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ વિશે શું કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.