હું ખુલ્લેઆમ હિન્દુ રાજકારણ કરું છું, આમાં વાંધો શું છે?: CM હિમંતા બિસ્વા સરમા

મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનું મતદાન 17 નવેમ્બરે પુરુ થયું હવે બધાની નજર રાજસ્થાનમાં 25 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. કોંગ્રસ અને ભાજપ બંને 200 બેઠકો જીતવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ તેના અનેક દિગ્ગજ નેતાઓને રાજસ્થાન મોકલી રહી છે. ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન પહોંચેલા આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ હતું કે, હું ખુલીને હિંદુ માટે રાજકારણ કરુ છું, એમાં વાંધો શું છે? આસામના મુખ્યમંત્રી તેમના બેબાક નિવેદન માટે જાણીતા છે.

25 નવેમ્બરે યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય રેલીઓનો દોર જારી રહ્યો છે. આ ઉપરાંત નેતાઓની નિવેદનબાજી પણ ખુલ્લેઆમ બહાર આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તેઓ એકબીજા પર ખુલ્લેઆમ આરોપો પણ લગાવી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર માટે આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે હું ખુલ્લેઆમ હિન્દુ રાજનીતિ કરું છું, આમાં શું વાંધો છે? આ દેશમાં હિંદુ એટલે સબ કા સાથ, સબ કા વિશ્વાસ. જો હિંદુ ભારતીય છે તો હિંદુ રાજનીતિ કરવામાં શું વાંધો છે? કોંગ્રેસને કહો કે અમે હિન્દુ છીએ અને હિન્દુ જ રહીશું.

આ પહેલા હિંમતા બિસ્વા સરમાએ પ્રતાપગઢમાં કહ્યું હતું કે તમે જોઈ શકો છો કે આખું રાજસ્થાન વૈજ્ઞાનિક રીતે લૂંટવામાં આવ્યું છે. જો આપણે અર્થતંત્ર અને ભૂગોળમાં રાજસ્થાન અને આસામની સરખામણી કરીએ. આસામમાં ભાજપની સરકાર છે. અમે લોકોને 97-98 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ આપીએ છીએ. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 94-95 રૂપિયા છે, રાજસ્થાનમાં 108-110 રૂપિયા છે અને પ્રિયંકા ગાંધી અહીં આવીને કહે છે કે તે ગરીબોની સાથે છે.

હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર ખુલ્લેઆમ મદરેસાઓ બંધ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર પાસેથી પૈસા અને પગાર મેળવતા તમામ મદરેસાઓ બંધ કરી દેવા જોઈએ. જો કોઈ સમુદાય તેને સ્વતંત્ર રીતે ચલાવે છે, તો તે એક અલગ મુદ્દો છે. સરકારી પગારવાળા મદરેસા બંધ કરવા જોઈએ. સમુદાય સંચાલિત મદરેસાઓનું પણ નિયમન કરવું જોઈએ. વિદ્યાર્થીઓને શિક્ષણના અધિકારની સુવિધાઓ મળવી જોઈએ. મદરેસા મુલ્લા બનાવનારી સંસ્થા ન હોવી જોઇએ.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.