હું ખુલ્લેઆમ હિન્દુ રાજકારણ કરું છું, આમાં વાંધો શું છે?: CM હિમંતા બિસ્વા સરમા

મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનું મતદાન 17 નવેમ્બરે પુરુ થયું હવે બધાની નજર રાજસ્થાનમાં 25 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. કોંગ્રસ અને ભાજપ બંને 200 બેઠકો જીતવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ તેના અનેક દિગ્ગજ નેતાઓને રાજસ્થાન મોકલી રહી છે. ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન પહોંચેલા આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ હતું કે, હું ખુલીને હિંદુ માટે રાજકારણ કરુ છું, એમાં વાંધો શું છે? આસામના મુખ્યમંત્રી તેમના બેબાક નિવેદન માટે જાણીતા છે.

25 નવેમ્બરે યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય રેલીઓનો દોર જારી રહ્યો છે. આ ઉપરાંત નેતાઓની નિવેદનબાજી પણ ખુલ્લેઆમ બહાર આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તેઓ એકબીજા પર ખુલ્લેઆમ આરોપો પણ લગાવી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર માટે આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે હું ખુલ્લેઆમ હિન્દુ રાજનીતિ કરું છું, આમાં શું વાંધો છે? આ દેશમાં હિંદુ એટલે સબ કા સાથ, સબ કા વિશ્વાસ. જો હિંદુ ભારતીય છે તો હિંદુ રાજનીતિ કરવામાં શું વાંધો છે? કોંગ્રેસને કહો કે અમે હિન્દુ છીએ અને હિન્દુ જ રહીશું.

આ પહેલા હિંમતા બિસ્વા સરમાએ પ્રતાપગઢમાં કહ્યું હતું કે તમે જોઈ શકો છો કે આખું રાજસ્થાન વૈજ્ઞાનિક રીતે લૂંટવામાં આવ્યું છે. જો આપણે અર્થતંત્ર અને ભૂગોળમાં રાજસ્થાન અને આસામની સરખામણી કરીએ. આસામમાં ભાજપની સરકાર છે. અમે લોકોને 97-98 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ આપીએ છીએ. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 94-95 રૂપિયા છે, રાજસ્થાનમાં 108-110 રૂપિયા છે અને પ્રિયંકા ગાંધી અહીં આવીને કહે છે કે તે ગરીબોની સાથે છે.

હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર ખુલ્લેઆમ મદરેસાઓ બંધ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર પાસેથી પૈસા અને પગાર મેળવતા તમામ મદરેસાઓ બંધ કરી દેવા જોઈએ. જો કોઈ સમુદાય તેને સ્વતંત્ર રીતે ચલાવે છે, તો તે એક અલગ મુદ્દો છે. સરકારી પગારવાળા મદરેસા બંધ કરવા જોઈએ. સમુદાય સંચાલિત મદરેસાઓનું પણ નિયમન કરવું જોઈએ. વિદ્યાર્થીઓને શિક્ષણના અધિકારની સુવિધાઓ મળવી જોઈએ. મદરેસા મુલ્લા બનાવનારી સંસ્થા ન હોવી જોઇએ.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.