ગુજરાત ભાજપમાં આયાતી નેતાઓ પાયાના પીઢ કાર્યકર્તાઓને નિરાશ કરે છે

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું સંગઠન એક એવી વ્યવસ્થા રહી છે જે પાયાના કાર્યકર્તાઓની મહેનત, નિષ્ઠા અને સેવાભાવ પર ઊભી છે. દાયકાઓથી આ પક્ષે ગુજરાતની જનતાનો વિશ્વાસ જીત્યો છે અને રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જોકે સમય સાથે પક્ષની રચનામાં થયેલા ફેરફારો અને નવા પડકારો સામે આવ્યા છે જેની અસર પક્ષના આંતરિક વાતાવરણ પર પડી રહી છે. ખાસ કરીને અન્ય રાજકીય પક્ષોમાંથી આવેલા નેતાઓ અને કાર્યકર્તાઓનો સમાવેશ અને તેમને મળેલી જવાબદારીઓએ પાયાના કાર્યકર્તાઓના મનમાં કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. અહીં ભાજપના સંગઠન અને પાયાના કાર્યકર્તાઓ માટે આ વિષય પર તટસ્થ રીતે ચિંતન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી ભાજપના સંગઠનની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની દિશા પર પ્રકાશ પડે.

bjp

પાયાના કાર્યકર્તાઓ: ભાજપની કરોડરજ્જુ

ભાજપની સફળતાનો આધાર તેના પાયાના કાર્યકર્તાઓ છે. જેમણે પોતાના અથાક પ્રયાસોથી પક્ષને ગુજરાતમાં એક મજબૂત સંગઠન આપ્યું છે. આ કાર્યકર્તાઓ ગામડાંઓથી લઈને શહેરો સુધી પક્ષનો સંદેશ લઈને ગયા છે. લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો છે અને ચૂંટણીઓમાં પક્ષની જીતને સુનિશ્ચિત કરી છે. તેમનું શિસ્ત, સમર્પણ અને સંઘની વિચારધારા સાથેની સમજ એ ભાજપની ઓળખ રહી છે. ગુજરાતની જનતાએ પણ આ મહેનતને સન્માન આપીને પક્ષને ભવ્ય વિજયો અપાવ્યા છે.

પરંતુ હાલના સમયમાં એક નવું ચિત્ર ઉભરી રહ્યું છે. પાયાના કાર્યકર્તાઓના મનમાં એક લાગણી જન્મી છે કે તેમની મહેનત અને નિષ્ઠાને યોગ્ય મૂલ્યાંકન નથી મળી રહ્યું. અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓ અને ટૂંકસમયમાં ઉભરીને આવેલા કાર્યકર્તાઓને ભાજપમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેમાંથી કેટલાકને સરકારમાં મહત્ત્વના હોદ્દાઓ પણ સોંપવામાં આવ્યા છે. આ પગલું રાજકીય વ્યૂહરચનાનો હિસ્સો હોઈ શકે પરંતુ તેની અસર પાયાના અને પીઢ કાર્યકર્તાઓના મનોબળ પર પડી છે. જે લોકો સામે તેઓએ ભૂતકાળમાં લડત આપી હતી તે જ લોકો હવે પક્ષના મંચ પર મહત્ત્વની જવાબદારીઓ સાથે જોવા મળે છે જે એક વિરોધાભાસી પરિસ્થિતિ ઊભી કરે છે.

1666505994kamalam

આયાતી નેતાઓનું એક નવું ચિત્ર.

અન્ય પક્ષોમાંથી નેતાઓ અને કાર્યકર્તાઓનો સમાવેશ એ ભાજપની રાજકીય નીતિનો એક ભાગ રહ્યો છે. આ પગલું પક્ષની પહોંચને વિસ્તારવા અને રાજકીય સમીકરણોને સંતુલિત કરવા માટે લેવાયું હોઈ શકે. ગુજરાતમાં આ પ્રક્રિયા છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ સ્પષ્ટ રીતે જોવા મળી છે જ્યાં આવા નેતાઓને માત્ર પક્ષમાં સામેલ જ નથી કરવામાં આવ્યા પરંતુ તેમને સત્તાના મહત્ત્વના સ્થાનો પણ આપવામાં આવ્યા છે. આ નિર્ણયની પાછળ પક્ષનો વ્યાપ વધારવાનો અને વિવિધ સમુદાયોને જોડવાનો હેતુ હોઈ શકે પરંતુ તેની સાથે જ કેટલીક જટિલતાઓ પણ ઉભી થઈ છે. 

આ સ્થિતિમાં પાયાના અને પીઢ કાર્યકર્તાઓની લાગણીઓને સમજવું પણ ખૂબ જરૂરી બની રહે છે. જ્યારે પક્ષનું અહિત કરનારા લોકો પણ ધારાસભ્યો કે હોદ્દેદારો તરીકે પાયાના અને પીઢ કાર્યકર્તાઓની સામે આવે છે ત્યારે તેમના મનમાં નિરાશા જન્મે છે. આ નિરાશા પક્ષના હિતમાં મૌનમાં રૂપાંતરિત થાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે આ લાગણીઓનું કોઈ મહત્ત્વ નથી. આ એક એવો મુદ્દો છે જેના પર ચિંતનની જરૂર છે જેથી પક્ષની આંતરિક એકતા અને મનોબળ જળવાઈ રહે.

શીર્ષ નેતૃત્વ અને પ્રદેશની નેતૃત્વની જવાબદારી:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગુજરાત ભાજપ સાથે અંતરની લાગણીઓ રહી છે. બંને નેતાઓએ પક્ષને રાજ્યમાં મજબૂત બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે અને તેમનું માર્ગદર્શન હંમેશા પક્ષ માટે મહત્ત્વનું રહ્યું છે. જોકે પ્રદેશ સ્તરે નેતૃત્વની ભૂમિકા પણ એટલી જ નિર્ણાયક છે. હાલના સમયમાં પાયાના પીઢ કાર્યકર્તાઓનું મનોબળ નબળું પડતું જણાય છે જેનું કારણ છેલ્લા કેટલાક સમયની પ્રદેશ નેતૃત્વની કેટલીક નીતિઓ અને નિર્ણયો છે. આ સ્થિતિમાં શીર્ષ નેતૃત્વે પ્રદેશની ભૂલોને સુધારવા અને કાર્યકર્તાઓની લાગણીઓને સંબોધવા માટે વધુ સક્રિય રીતે કામ કરવું પડશે.

આ સંદર્ભે એક પ્રશ્ન ઊભો થાય છે:

શું આયાતી નેતાઓ અને પાયાના પીઢ કાર્યકર્તાઓ વચ્ચે સમન્વય સાધવો શક્ય છે? શું ભાજપની વિચારધારા અને સંગઠનની શક્તિ આ બંને જૂથોને એક સામાન્ય ધ્યેય માટે જોડી શકે છે? આ પ્રશ્નોના જવાબ ભવિષ્યમાં પક્ષની દિશા નક્કી કરશે.

આ રાજ્યમાં કોંગ્રેસ-BJP ગઠબંધન થતા થતા રહી ગયું, પ્રદેશ પ્રમુખે અટકાવવું પડ્યું

ભવિષ્યની દિશા પર ચિંતન:

ગુજરાત ભાજપ આજે એ વળાંક પર ઊભું છે જ્યાં તેની પાસે પોતાની શક્તિને ફરીથી સાબિત કરવાની તક છે. પક્ષનું સંગઠન હજુ પણ પ્રજાના ઘરો સુધી પહોંચવામાં સક્ષમ છે પરંતુ તેની સફળતા પાયાના અને પીઢ કાર્યકર્તાઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસ પર નિર્ભર કરે છે. આ માટે પ્રદેશનું એવું નવું માળખું ઘડવું જરૂરી બની રહે છે જે પક્ષમાં નવો જોમ લાવે અને કાર્યકર્તાઓની લાગણીઓને સ્થાન આપે. સંઘની વિચારધારા સાથેનો તાલમેલ જળવાય અને દરેક કાર્યકર્તાને પોતાનું યોગદાન મહત્ત્વનું લાગે.

આ સંદર્ભે, આયાતી નેતાઓની ભૂમિકાને એક પડકાર તરીકે જોવાને બદલે તેને એક તક તરીકે પણ જોઈ શકાય.

જો પક્ષ આ નેતાઓને પોતાની વિચારધારા સાથે સંકલિત કરી શકે અને પાયાના કાર્યકર્તાઓ સાથે સમન્વય સાધી શકે તો તે ભાજપની શક્તિને વધુ વિસ્તારી શકે છે. આ માટે પ્રદેશ નેતૃત્વે સંવેદનશીલતા અને દૂરંદેશી દાખવવી પડશે.

ગુજરાત ભાજપની સફળતા તેના ભૂતકાળની મહેનતનું અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યેની ગુજરાતના મતદારોની લાગણીઓનું પરિણામ છે. પાયાના કાર્યકર્તાઓ અને આયાતી નેતાઓ વચ્ચેનો તણાવ એક એવો મુદ્દો છે જેના પર ચિંતન અને સમાધાનની જરૂર છે. શીર્ષ નેતૃત્વનું માર્ગદર્શન અને પ્રદેશની નેતૃત્વની જવાબદારી પૂર્વકના નિર્ણયો આ દિશામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભાજપ પાસે હજુ પણ તે શક્તિ અને સંભાવના છે કે તે આ પડકારોને પાર કરીને ગુજરાતમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરે. આ માટે જરૂરી છે એક એવા સંગઠનની, જે  પાયાના પીઢ એવા દરેક કાર્યકર્તાની ભૂમિકાને મહત્ત્વ આપે અને ભવિષ્ય માટે એક સંગઠિત દિશા નક્કી કરે.

Top News

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ...
Politics  Health 
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.