ભાજપમાં મોટી મોકાણ: ગ્રાસરુટ પર કામ કરતા કાર્યકરોની સહનશીલતાનો ગેરલાભ ઉઠાવતા નેતાઓ

ગુજરાત ભાજપની સ્થિતિની વાત કરીએ તો ગ્રાસરુટ પર કામ કરતા કાર્યકરો ક્યારેય પાર્ટીની વિરુદ્વ જતા નથી અને જશે પણ નહીં પરંતુ ઉપલી નેતાગીરીમાં લોકોમાં પકડ પણ નહીં ધરાવતા નેતાઓ દ્વારા આવા કાર્યકરોની અવહેલના કરવામાં આવી રહી છે. મૂળભૂત રીતે કહીએ તો ગ્રાસરુટ પર કામ કરતા કાર્યકરોની સહનશીલતનો બની બેઠેલા નેતાઓ ગેરલાભ ઉઠાવતા હોવાની લાગણી પક્ષમાં પ્રવર્તી રહી છે.

આમ પણ વોર્ડના શક્તિ કેન્દ્રો માટે સીધી રીતે સૂચના છે કે 40 કરતાં વધુની ઉમરના કાર્યકરોને લેવામાં આવશે નહીં. હકીકત એ છે કે પાયાના કાર્યકરોની ઉંમર જ હમણાં-હમણા 40ને વટાવી ગઈ છે ત્યારે પાયાનાં કાર્યકરોની દશા મા મને કોઠીમાંથી કાઢ જેવી બની જવા પામી છે. પાયાના કાર્યકરો જાયે તો કહાં જાયે જેવી કફોડી સ્થિતિમાં મૂકાઈ જવા પામ્યા છે. આમના માટે પાર્ટીએ વિચાર કરવાની જરુરિયાત રહેલી છે.

 BJP03

મહત્વની વાત એ છે કે માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં એક માત્ર PM નરેન્દ્ર મોદીના કારણે ભાજપ દરેક જગ્યાએ વિજયી પતાકા લહેરાવી રહ્યું છે. એક પણ નેતા એવો નથી કે જે લોકોમાં પ્રિય હોય અથવા તો પોતાની લોકપ્રિયતાના કારણે જીત્યો હોય. બધાને પીએમ મોદીના નામે પોતાની નૌકાને હંકારવી છે અને કિનારે લંગારવી પણ છે. નેતા ગમે તે હોય, ઉમેદવાર ગમે તે હોય કાર્યકરોએ ક્યારેય કોઈ બળવાખોરીનો સૂર પણ વ્યક્ત કર્યો નથી કે પાર્ટીની વિરુદ્વ ચૂંટણી કે અન્ય રીતે કોઈ કામ પણ કર્યું નથી, છતાં આજે દશા અત્યંત વિશદ બની જવા પામી છે.

સૌથી મોટી મોકાણ તો એ છે કે ભાજપના ચૂસ્ત કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે અથવા તો એમ કહો કે તેમને હવે રીતસરના ઈગનોર કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ નીચલા સ્તરે સંગઠન અને રાજ્ય સરકારમાં શું થઈ રહ્યું છે તેનો કોઈ તાળો મેળ ખાઈ રહ્યો નથી. બધે જ ગૂંચવાડા સર્જી દેવામાં આવ્યા છે. સારા કાર્યકરો, ચૂસ્તબદ્વ કાર્યકરો અને કમિટેડ વર્કરોની બૂરે વલે થઈ રહી છે, જ્યારે મેનેજ કરીને આવતા કાર્યકરો અને નેતાઓની સરભરા કરવામાં આવી રહી છે, તેમને પદો અને જવાબદારીઓ તાસકમાં ભેટ આપવામાં આવી રહી છે.

About The Author

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.