ઉદ્ધવ જૂથમાં વધુ એક બળવો થવાનો છે? હવે 3 ધારાસભ્યો અને 1 MLC બેઠકમાંથી ગાયબ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. સોમવારે, છ સાંસદોએ ઔપચારિક રીતે પાર્ટીને અલવિદા કહી દીધું, અને હવે ત્રણ ધારાસભ્યો અને એક MLC સોમવારની બેઠકમાંથી ગાયબ હોવાના અહેવાલ છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી.

શિવસેના (UBT)ના 6 સાંસદો હરીફ શિવસેના જૂથમાં જોડાતા રાજકીય સંકટ વચ્ચે, પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે તેમના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્ર વિધાનસભાના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન મહાયુતિ સરકારને ઘેરવાની રણનીતિ ઘડવાનો હતો.

shiv-sena-UBT2
freepressjournal.in

ચોમાસા સત્રના પહેલા દિવસે પાર્ટીના 'શિવાલય' કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી. રસપ્રદ વાત એ છે કે, તે જ સમયે ફક્ત 500 મીટર દૂર યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે 6 શિવસેના (UBT) સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના હરીફ જૂથમાં જોડાઈ રહ્યા હતા.
શિવસેના (UBT)ની આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં 3 ધારાસભ્યો અને એક MLCની ગેરહાજરીએ નવી અટકળો ફેલાવી દીધી છે. જોકે, આ ધારાસભ્યોએ પાર્ટીને અગાઉથી જાણ કરી હતી કે તેઓ બેઠકમાં હાજરી આપી શકશે નહીં. તેમણે MLC ચૂંટણીઓ, નાદુરસ્ત તબિયત અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ જેવા કારણો આપ્યા હતા.

ધારાસભ્ય સંજય દેરકર, રાહુલ પાટીલ અને સંજય પોટનીસ અને MLC સુનિલ શિંદે પણ બેઠકમાં હાજર નહોતા. નોંધનીય છે કે, સુનિલ શિંદેએ જ આદિત્ય ઠાકરે માટે પોતાની વરલી વિધાનસભા બેઠક ખાલી કરી હતી. તેમણે પણ હાજરી આપી નહોતી. સંજય પાટીલે જણાવ્યું હતું કે તેઓ વિધાન પરિષદની ચૂંટણી માટે મત ગણતરી પ્રક્રિયામાં વ્યસ્ત હતા અને ઠાકરેની આગામી પરભણી મુલાકાતની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

shiv-sena-UBT3
lokmat.com

સુનિલ શિંદેએ કહ્યું કે તેઓ તેમના વતન ચિપલુણમાં હતા અને મુંબઈ પાછા ફરી રહ્યા હતા. પોટનીસે બેઠકમાં ગેરહાજરીનું કારણ સ્પષ્ટ કર્યું નહોતું, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ શિવસેના (UBT) સાથે જ રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સેના (UBT)ના 20 ધારાસભ્યો અને 6 MLC છે. આ બેઠક એક કલાક ચાલી હતી, અને બધા ધારાસભ્યોએ ઉદ્ધવ સાથે ગ્રુપ ફોટો પડાવ્યો હતો જેથી તેઓ પોતાની શક્તિ દર્શાવી શકે.

સેના (UBT)ના MLC અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે આ શિવસેના (UBT)ના ધારાસભ્ય પક્ષની બેઠક હતી. અમે ખેડૂતો, સામાન્ય જનતા અને મુંબઈ જેવા મુદ્દાઓ તેમજ વિદર્ભ અને મરાઠવાડા જેવા પ્રદેશો અને ત્યાં પાણીની અછતના મુદ્દાઓ ઉઠાવવાની ચર્ચા કરી હતી. સેના (UBT) વિધાનસભામાં સૌથી મોટો વિપક્ષી પક્ષ છે; એટલે, આપણે આક્રમક અને સંગઠિત રીતે કાર્ય કરવું જોઈએ. બુધવારે મહા વિકાસ આઘાડી (MVA)ની બેઠક પણ બોલાવવામાં આવી છે. અમે વિરોધ પક્ષના નેતા (LoP)ના પદ માટે અમારો દાવો કરી રહ્યા છીએ.

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.