બ્રિટનના નેતાઓ મંદિરે વધુ કેમ જઈ રહ્યા છે?

બ્રિટનમાં 4 જુલાઈએ સામાન્ય ચૂંટણી થવાની છે. આ ચૂંટણી ન માત્ર વડાપ્રધાન ઋષિ સુનક માટે, પરંતુ વિપક્ષ લેબર પાર્ટી માટે ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. એવામાં બ્રિટનની કુલ વસ્તીમાં સામેલ 10 લાખ હિન્દુઓને લોભાવવાના ઇરાદે નેતા મંદિરોની મુલાકાત લેવા માંડ્યા છે. વડાપ્રધાન ઋષિ સુનક એક દિવસ અગાઉ જ હિન્દુ મંદિર પહોંચ્યા હતા, પરંતુ હવે વડાપ્રધાન પદ માટે મુખ્ય વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મર પણ હિન્દુ મંદિર પહોંચ્યા છે.

તેમણે લંડનના કિંગ્સબરીના સ્વામિનારાયણ મંદિર પહોંચીને દર્શન કર્યા. આ દરમિયાન તેમણે જય સ્વામીનારાયણનો જયકારો લગાવ્યો. તેમણે કહ્યું કે, બ્રિટનમાં હિન્દુફોબિયા માટે કોઈ જગ્યા નથી. આ અગાઉ ઋષિ સુનક નેસડેનમાં BAPS સ્વામીનારાયણ મંદિર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ મંદિર આ સમુદાય દ્વારા બ્રિટન માટે આપેલા યોગદાનનું મહાન ઉદાહરણ છે. તેમણે મંદિરોમાં પ્રાર્થના કરી અને લોકો સાથે મળીને હિન્દુ હોવાના સંબંધે પોતાને ભાગ્યશાળી બતાવ્યા.

 
 
 
View this post on Instagram

A post shared by Keir Starmer (@keirstarmer)

આ અગાઉ બ્રિટિશ હિન્દુ સંગઠનોના એક પ્રમુખ ગ્રુપે સમાન્ય ચૂંટણી અગાઉ હિન્દુ ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. 32 પાનાંના આ ઘોષણાપત્રમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે હિન્દુ પૂજા સ્થળોની રક્ષા કરવા અને હિન્દુઓ પ્રત્યે નફરતને નિપટવા માટે દરેક સંભવિત પગલું ઉઠાવવાની માગ કરવામાં આવી હતી. આ ઘોષણાપત્રમાં કુલ 7 માગ કરવામાં આવી છે જેમાં હિન્દુ હેટ ક્રાઇમની ઘટનાઓને ધાર્મિક નફરતની જેમ ઓળખવી અને એવા લોકોને સજા આપવી. પૂજા સ્થળોને સુરક્ષા આપવી અને મંદિરો માટે સરકારી ફંડિંગ.

 
 
 
View this post on Instagram

A post shared by Keir Starmer (@keirstarmer)

હિન્દુઓની માન્યતાઓને આગામી પેઢી સુધી લઈ જવા માટે ફેઈથ સ્કૂલ તૈયાર કરાવવી. સરકાર અને સાર્વજનિક સ્થળો પર હિન્દુઓના પ્રતિનિધિત્વને વધારવું. પૂજારીઓ સાથે જોડાયેલા વિઝાના મામલાઓ ઉકેલવા. સામાજિક સેવાઓમાં હિન્દુઓને સામેલ કરવા અને ધાર્મિક માન્યતાઓને ઓળખવી અને તેમને પ્રોટેક્ટ કરવા જેવી માગ સામેલ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021ની વસ્તી ગણતરી મુજબ બ્રિટનમાં 10 લાખ કરતા વધુ હિન્દુ વસ્તી છે. વર્ષ 2011માં બ્રિટનની કુલ જનસંખ્યાની દોઢ ટકા હિન્દુઓની વસ્તી હતી. આગામી 10 વર્ષોમાં એ વધીને 1.7 ટકા થઈ ગઈ. ત્યાં ખ્રિસ્તી અને મુસ્લિમ બાદ હિન્દુ ત્રીજો સૌથી મોટો ધર્મ છે.

About The Author

Related Posts

Top News

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.