બ્રિટનના નેતાઓ મંદિરે વધુ કેમ જઈ રહ્યા છે?

બ્રિટનમાં 4 જુલાઈએ સામાન્ય ચૂંટણી થવાની છે. આ ચૂંટણી ન માત્ર વડાપ્રધાન ઋષિ સુનક માટે, પરંતુ વિપક્ષ લેબર પાર્ટી માટે ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. એવામાં બ્રિટનની કુલ વસ્તીમાં સામેલ 10 લાખ હિન્દુઓને લોભાવવાના ઇરાદે નેતા મંદિરોની મુલાકાત લેવા માંડ્યા છે. વડાપ્રધાન ઋષિ સુનક એક દિવસ અગાઉ જ હિન્દુ મંદિર પહોંચ્યા હતા, પરંતુ હવે વડાપ્રધાન પદ માટે મુખ્ય વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મર પણ હિન્દુ મંદિર પહોંચ્યા છે.

તેમણે લંડનના કિંગ્સબરીના સ્વામિનારાયણ મંદિર પહોંચીને દર્શન કર્યા. આ દરમિયાન તેમણે જય સ્વામીનારાયણનો જયકારો લગાવ્યો. તેમણે કહ્યું કે, બ્રિટનમાં હિન્દુફોબિયા માટે કોઈ જગ્યા નથી. આ અગાઉ ઋષિ સુનક નેસડેનમાં BAPS સ્વામીનારાયણ મંદિર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ મંદિર આ સમુદાય દ્વારા બ્રિટન માટે આપેલા યોગદાનનું મહાન ઉદાહરણ છે. તેમણે મંદિરોમાં પ્રાર્થના કરી અને લોકો સાથે મળીને હિન્દુ હોવાના સંબંધે પોતાને ભાગ્યશાળી બતાવ્યા.

 
 
 
View this post on Instagram

A post shared by Keir Starmer (@keirstarmer)

આ અગાઉ બ્રિટિશ હિન્દુ સંગઠનોના એક પ્રમુખ ગ્રુપે સમાન્ય ચૂંટણી અગાઉ હિન્દુ ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. 32 પાનાંના આ ઘોષણાપત્રમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે હિન્દુ પૂજા સ્થળોની રક્ષા કરવા અને હિન્દુઓ પ્રત્યે નફરતને નિપટવા માટે દરેક સંભવિત પગલું ઉઠાવવાની માગ કરવામાં આવી હતી. આ ઘોષણાપત્રમાં કુલ 7 માગ કરવામાં આવી છે જેમાં હિન્દુ હેટ ક્રાઇમની ઘટનાઓને ધાર્મિક નફરતની જેમ ઓળખવી અને એવા લોકોને સજા આપવી. પૂજા સ્થળોને સુરક્ષા આપવી અને મંદિરો માટે સરકારી ફંડિંગ.

 
 
 
View this post on Instagram

A post shared by Keir Starmer (@keirstarmer)

હિન્દુઓની માન્યતાઓને આગામી પેઢી સુધી લઈ જવા માટે ફેઈથ સ્કૂલ તૈયાર કરાવવી. સરકાર અને સાર્વજનિક સ્થળો પર હિન્દુઓના પ્રતિનિધિત્વને વધારવું. પૂજારીઓ સાથે જોડાયેલા વિઝાના મામલાઓ ઉકેલવા. સામાજિક સેવાઓમાં હિન્દુઓને સામેલ કરવા અને ધાર્મિક માન્યતાઓને ઓળખવી અને તેમને પ્રોટેક્ટ કરવા જેવી માગ સામેલ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021ની વસ્તી ગણતરી મુજબ બ્રિટનમાં 10 લાખ કરતા વધુ હિન્દુ વસ્તી છે. વર્ષ 2011માં બ્રિટનની કુલ જનસંખ્યાની દોઢ ટકા હિન્દુઓની વસ્તી હતી. આગામી 10 વર્ષોમાં એ વધીને 1.7 ટકા થઈ ગઈ. ત્યાં ખ્રિસ્તી અને મુસ્લિમ બાદ હિન્દુ ત્રીજો સૌથી મોટો ધર્મ છે.

Related Posts

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.