બદલાતા જિયોપોલિટિક્સમાં ભારત માટે અચાનક આટલો મહત્ત્વપૂર્ણ કેમ થઈ ગયો નાનકડો દેશ ક્રોએશિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી પરત ફરતી વખતે ક્રોએશિયાની યાત્રા કરીને આવી રહ્યા છે. આ યાત્રા ભારતની યુરોપિયન રણનીતિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ યાત્રાથી ભારત અને ક્રોએશિયા વચ્ચેના જૂના સંબંધોને વધુ મજબૂત થશે. ક્રોએશિયા ભૌગોલિક રૂપે મહત્ત્વપૂર્ણ છે. યુરોપિય સંઘ (EU) અને NATOમાં પણ તેની રાજનીતિક પકડ પણ છે. ક્રોએશિયા ભારત માટે એક વિશ્વસનીય સાથી સાબિત થઈ શકે છે. આ યાત્રામાં રક્ષા સહયોગ, રોકાણ, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પર ઘણી સમજૂતી થઈ. આ યાત્રા ભારત માટે યુરોપમાં પોતાનો પ્રભાવ વધારવાની સારી એક તક છે.

Modi
https://x.com/narendramodi

 

ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ છે ક્રોએશિયા

ભલે ક્રોએશિયા એક નાનો દેશ હોય, પરંતુ ભારત માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ દેશ એડ્રિયાટિક સમુદ્રના પૂર્વી કિનારે છે. એટલે યુરોપનો એક મહત્ત્વપૂર્ણ સમુદ્રી પ્રવેશદ્વાર છે. ક્રોએશિયાના મુખ્ય બંદરો જેમ કે રિજેકા, સ્પ્લિટ અને પ્લોચે યુરોપિયન યુનિયન (EU)ના ટેન-ટી (TEN-T) નેટવર્કનો હિસ્સો છે. આ નેટવર્ક યુરોપમાં પરિવહનને સારું બનાવે છે. ભારત માટે આ બંદરો યુરોપમાં નિકાસ કરવા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે સુએઝ અને લાલ સમુદ્રમાં સમસ્યાઓ આવી રહી છે.

ભારતના વિશ્વ વેપાર માટે પણ મહત્ત્વપૂર્ણ

ભારતના ઈન્ડિયા-મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) યોજનામાં ક્રોએશિયાની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. આ દેશ આ વેપાર માર્ગમાં એક મહત્ત્વપૂર્ણ કડી છે. તે ભારતને પશ્ચિમ યુરોપ સિવાય મધ્ય અને પૂર્વી યુરોપ સુધી પહોંચવાનો એક નવો માર્ગ આપે છે. ક્રોએશિયા EU અને NATO બંનેનો સભ્ય છે. તેનાથી ભારતને યુરોપિયન નિયમો અને નીતિઓ સમજવામાં મદદ મળી શકે છે.

Modi
https://x.com/narendramodi

 

ક્રોએશિયા ભારત-EU મુક્ત વેપાર સમજૂતી પર ચાલી રહેલી વાતચીતોમાં પણ ભારતને મદદ કરી શકે છે. ક્રોએશિયા આ સંસ્થાઓમાં ભારતના હિતોને સમર્થન આપી શકે છે. ક્રોએશિયાનું બજાર ભલે નાનું હોય, પરંતુ ભારતીય કંપનીઓ તેને EUમાં પ્રવેશ કરવાનો સારો માર્ગ માને છે. ખાસ કરીને દવા, માહિતી ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં. વર્ષ 2023માં બંને દેશો વચ્ચે 337.68 મિલિયન અમેરિકન ડોલરનો વેપાર થયો હતો. આ વેપાર વધી રહ્યો છે અને તેમાં વધુ સંભાવનાઓ છે.

આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત સાથે ઉભો છે

ક્રોએશિયા આંતરરાષ્ટ્રીય મંચો પર હંમેશાં ભારત સાથે ઉભો રહ્યો છે. તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની  કાયમી સભ્યપદનું સમર્થન કર્યું છે. તેણે જમ્મુ અને કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ભારતનો સાથ આપ્યો છે. EUના મોટા દેશોની તુલનામાં ક્રોએશિયા ભારત માટે વિશ્વસનીય મિત્ર સાબિત થયો છે. 2017માં ભારત-ક્રોએશિયા આર્થિક સહયોગ સમજૂતી થઈ હતી. વર્ષ 2001માં દ્વિપક્ષીય રોકાણ સુરક્ષા સમજૂતી થઈ. વર્ષ 2021માં શરૂ થયેલા ભારત-ક્રોએશિયા સ્ટાર્ટઅપ બ્રિજથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન ટેક્નોલોજી અને રોબોટિક્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધી રહ્યો છે. ક્રોએશિયાની યાત્રા પર વડાપ્રધાન મોદીએ ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, રક્ષા સહયોગને વધુ વધારવામાં આવશે.આ સહયોગ રક્ષા ઉત્પાદન, ટ્રેનિંગ અને સૈન્ય આદાન-પ્રદાન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, બંને દેશોની અર્થવ્યવસ્થા એક-બીજાને મદદ કરી શકે છે.

Modi
https://x.com/narendramodi

 

વડાપ્રધાન મોદીની ક્રોએશિયાની યાત્રા ભારતની યુરોપિય રણનીતિમાં એક મહત્ત્વપૂર્ણ બદલાવના સંકેત છે. ક્રોએશિયાની ચીન પર ઓછી નિર્ભરતા અને તેના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ પ્રત્યે શંકા તેને ભારત માટે સારો ભાગીદાર બનાવે છે. ક્રોએશિયાની સીમાઓ હંગેરી, સ્લોવેનિયા, બોસ્નિયા અને હર્જગોવિના અને સર્બિયા જેવા મુખ્ય યુરોપિયન દેશો સાથે લાગે છે. એટલે જાગ્રેબ સાથે સંબંધ મજબૂત કરવાથી ભારતને મધ્ય યુરોપિય બજારો સુધી પહોંચવામાં મદદ મળશે.

Related Posts

Top News

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.