આખરે ખબર પડી ગઈ કે પુતિનને કંઈ બીમારી છે? આ ગુપ્તચર એજન્સીએ કર્યો દાવો

યુક્રેનની ગુપ્તચર એજન્સીના પ્રમુખ કિરીલો બુડાનોવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમના મુજબ, પુતિન કેન્સરની જીવલેણ બિમારીથી પીડિત છે અને તેની સારવાર ચાલી રહી છે.

યુક્રેની ગુપ્તચર એજન્સીના ટોપ બોસે એવો દાવો પણ કર્યો છે કે, કેન્સરથી પીડિત હોવાના કારણે વ્લાદિમીર પુતિન સમય-સમય પર જાહેરમાં દેખાવાનું બંધ કરી દે છે. જો કે, રશિયન સરકારે આ પ્રકારના કોઈ પણ દાવા પર ક્યારેય પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી.

ઇન્ટેલિજન્સ ચીફનો દાવો

UKની ન્યૂઝ વેબસાઈટ 'મિરર'માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ યુક્રેનના સંરક્ષણ ગુપ્તચર પ્રમુખ બુડાનોવે કહ્યું કે, 'રશિયન રાષ્ટ્રપતિ પુતિન લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા છે અને આ કારણોસર તેમના આગળના જીવન વિશે બધું સરળતાથી સમજી શકાય છે. ક્રેમલિન નેતાના નજીકના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, 70 વર્ષીય પુતિન કેન્સરથી પીડિત છે.'

કેમ લાગી રહી છે અટકળો?

ખરેખર, પુતિને ગયા વર્ષના અંતમાં તેમના બે મોટા જાહેર કાર્યક્રમોને રદ કરી દીધા હતા. જે બાદ તેમની બગડતી તબિયતને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. આ આયોજનોમાં એક ટેન્ક પ્રોડક્શન ફેક્ટરીની મુલાકાત પણ પ્રસ્તાવિત હતી.

આ વર્ષે પણ ચાલુ રહેશે યુદ્ધ

રિપોર્ટ મુજબ, બુડાનોવે કહ્યું કે રશિયા તરફથી પુતિનના સ્વાસ્થ્ય અને યુક્રેન પર મિસાઈલ હુમલાની સંભાવના સાથે જોડાયેલા ઘણા સમાચારોને આ પહેલા પણ છુપાવવામાં આવ્યા છે. બુડાનોવના જણાવ્યા મુજબ, તેમને લાગે છે કે રશિયા સાથે ચાલી રહેલું યુદ્ધ હાલમાં નહીં અટકશે એટલે કે બંને તરફથી હુમલાઓ આ વર્ષે પણ ચાલુ રહેશે.

ઓગસ્ટ 2022મા ઊડી હતી અફવા

પુતિન કોઈ રહસ્યમય બીમારીથી પીડિત હોવાના દાવાઓ ઘણીવાર કરવામાં આવે છે. યુક્રેન પર રશિયાનો હુમલો શરૂ થવાથી લઈને અત્યાર સુધી ઘણા સમાચારો એવા આવી ચૂક્યા છે, જેમાં પુતિનને ગંભીર રીતે બીમાર હોવાનું કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટ 2022મા અમેરિકન મેગેઝિન ન્યૂઝવીકમાં એક રિપોર્ટ છપાયો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે અમેરિકી ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા ઘણા લોકોનું માનવુ છે કે, પુતિન એક ગંભીર બીમારીથી પીડિત છે અને તેમની કેન્સરની સારવાર ચાલી રહી છે. આ દાવાના સમર્થનમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પુતિન વૈશ્વિક પટલથી એપ્રિલમાં લગભગ સંપૂર્ણપણે ગાયબ રહ્યા કારણ કે, તેઓની એડવાન્સ સ્ટેજના કેન્સરની સારવાર ચાલી રહી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.