જાપાની ઝાડના દેડકામાં એક શક્તિશાળી કેન્સર વિરોધી દવા મળી આવી, જે એક ડોઝ આપતા જ કેન્સરને દૂર કરે છે

વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત શોધ કરી છે. જાપાની ઝાડના દેડકા (ડ્રાયોફાઇટ્સ જાપોનિકસ)ના આંતરડામાં જોવા મળતા બેક્ટેરિયા, કેન્સર સામે લડવામાં ખૂબ અસરકારક સાબિત થયા છે. ઉંદર પર કરવામાં આવેલા પરીક્ષણોમાં, એક ચોક્કસ પ્રકારના બેકટેરિયાએ ટ્યુમરને કોઈપણ ગંભીર આડઅસર કર્યા વિના સંપૂર્ણપણે દૂર કરી દીધી.

દેડકા, ગરોળી અને અન્ય ઉભયજીવી અને સરિસૃપ ભાગ્યે જ કેન્સરથી પીડાતા હોય છે. જાપાન એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે, જો તેમના આંતરડાના બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરવામાં આવે તો તેની શું અસર થશે.

Japanese Frog
mapress.com

તેમણે દેડકા, ન્યુટ્સ અને ગરોળીમાંથી 45 વિવિધ બેક્ટેરિયા પસંદ કર્યા. આમાંથી નવ બેકટેરિયાએ મજબૂત કેન્સર સામે લડવાની ક્ષમતા દર્શાવી હતી. સૌથી પ્રભાવશાળી રહેલું જાપાની ઝાડના દેડકામાંથી લીધેલું બેકટેરિયા 'ઇવિંગેલા અમેરિકાના' હતું.

આ બેક્ટેરિયાએ શું કર્યું?: માત્ર એક ડોઝ આપવાથી ઉંદરમાં (ટ્યુમર)ગાંઠો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ. 30 દિવસ પછી ફરી વખત જ્યારે કેન્સર કોષો દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ, આગામી મહિના સુધી કોઈ ગાંઠો બની ન હતી.

આ બેક્ટેરિયમ બે રીતે કામ કરે છે: તે ટ્યુમર પર સીધો હુમલો કરે છે અને T કોષો, B કોષો અને ન્યુટ્રોફિલ્સને સક્રિય કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ટ્યુમરમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય છે, જેના કારણે કીમોથેરાપી દવાઓ ઓછી અસરકારક બને છે. જો કે, આ બેક્ટેરિયા આવા ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં પણ સારી રીતે કામ કરે છે.

Japanese Frog
en.wikipedia.org

સલામતી અને સરખામણી: ઉંદરોમાં, આ બેક્ટેરિયા લોહીના પ્રવાહમાંથી ઝડપથી સાફ થઈ ગયું. તે વર્તમાન કીમોથેરાપી દવા, ડોક્સોરુબિસિન કરતાં વધુ અસરકારક સાબિત થયું. લાંબા ગાળાના નુકસાનનો કોઈ અનુભવ થયો ન હતો, અને તે સ્વસ્થ અંગોને અસર કરતું ન હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ બેક્ટેરિયા ક્લિનિકલ ટ્રાયલ માટે સલામત વિકલ્પ હોઈ શકે છે.

આ શોધ અત્યારે ફક્ત ઉંદરોમાં જ કરવામાં આવી છે. તે માનવોમાં કામ કરશે કે નહીં તે નક્કી કરવા માટે વધુ પરીક્ષણની જરૂર છે. વૈજ્ઞાનિકો હવે તેને અન્ય પ્રકારના કેન્સર પર પરીક્ષણ કરવા, તેને અન્ય દવાઓ સાથે જોડવા અને વધુ સારી રીતે દવા પહોંચાડવા માટેના પ્રકારો શોધવા માંગે છે.

Japanese Frog
newatlas.com

સલામતી એક મુખ્ય ચિંતા છે, કારણ કે. 'ઇવિંગેલા અમેરિકાના' મનુષ્યોમાં ચેપનું કારણ પણ બની શકે છે. તેથી, ક્લિનિકલ ટ્રાયલ્સમાં પણ અત્યંત સાવધાની રાખવી પડશે. હાલમાં, મૂત્રાશયના કેન્સરની સારવાર માટે બેક્ટેરિયા થેરાપીનો ઉપયોગ પહેલાથી જ થઈ રહ્યો છે. દેડકા જેવા સજીવો ભવિષ્યમાં નવી કેન્સર દવાઓ પ્રદાન કરી શકે છે.

વૈજ્ઞાનિકો કહે છે કે, કુદરતની જૈવવિવિધતામાં ઘણા છુપાયેલા ઉપચારો છે. આપણે તેને બચાવવા જોઈએ, કે જેથી કરીને નવી નવી દવાઓ તેમાંથી મળતી રહે. આ સંશોધન 'ગટ માઇક્રોબ્સ' જર્નલમાં પ્રકાશિત થયું છે. આ શોધ કેન્સરના દર્દીઓ માટે નવી આશા જન્માવી આપે છે.

About The Author

Top News

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.