શું આ છોડ આ દુનિયાનો નથી? વૈજ્ઞાનિકોએ શોધ્યો રહસ્યમય જીવાશ્મ, બોલ્યા એલિયન જેવો દેખાય છે

વૈજ્ઞાનિકોએ એક એવા જીવાશ્મ છોડની શોધ કરી છે, જે હાલના કોઈપણ છોડના પરિવાર સાથે મેળ ખાતો નથી. આ છોડને ઓથનિઓફાઇટન એલોન્ગેટમ નામ આપવામાં આવ્યું છે. તેની શોધ 55 વર્ષ અગાઉ, 1969માં, અમેરિકા રાજ્ય યૂટા રાજ્યના એક ભૂતિયા શહેરની નજીક થઇ હતી. અગાઉ વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે તે જિનસેંગ પરિવાર સાથે સંબંધિત હોઈ શકે છે, પરંતુ તાજેતરમાં જ થયેલા રિસર્ચમાં વૈજ્ઞાનિકોના અનુમાનને ખોટા સાબિત કરી દીધા.

વૈજ્ઞાનિક સ્ટીવન માન્ચેસ્ટરની નવી શોધ

ફ્લોરિડા મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના વૈજ્ઞાનિક સ્ટીવન માન્ચેસ્ટરને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના અશ્મિ સંગ્રહમાં આ છોડનો સાચવેલો અવશેષ મળ્યો. આ અશ્મિ પણ તેજ વિસ્તારમાંથી મળી આવ્યો હતો જ્યાં પહેલા ઓથનિયોફાઇટનના અશ્મિભૂત પાંદડાઓ શોધવામાં આવ્યા હતા. માન્ચેસ્ટર અને તેમની ટીમે તેનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે તે એજ પ્રજાતિનું છે.

 

9 નવેમ્બરના રોજ એનલ્સ ઓફ બોટની નામનીપત્રિકામાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ અશ્મિ 47 મિલિયન વર્ષ જૂનો છે અને તેને પૂર્વીય યુટાની ગ્રીન રિવર ફોર્મેશનમાંથી કાઢવામાં આવ્યો હતો. આ વિસ્તાર એક સમયે તળાવો અને સક્રિય જ્વાળામુખીથી ઘેરાયેલો હતો, જેમાં માછલી, સરિસૃપ, પક્ષીઓ અને છોડના અવશેષો રહી શક્યા.

આ નવા અશ્મિમાં માત્ર પાંદડા જ નહીં, પણ ફૂલો અને ફળો પણ છે. રિસર્ચરે તેની સંરચનાની તુલના હાલના છોડો સાથે કરી, પરંતુ કોઈ સમાનતા મળી નથી. તે જિનસેંગ પરિવારના છોડથી પણ ખૂબ અલગ હતું. આધુનિક માઇક્રોસ્કોપી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નિકના માધ્યમથી, વૈજ્ઞાનિકોએ છોડના બીજ અને પુંકેસરના સુક્ષ્મ અવશેષોનો અભ્યાસ કર્યો. તેમાં કેટલાક લક્ષણ હતા, જે આજના કોઈપણ વનસ્પતિમાં જોવા મળતા નથી.

વૈજ્ઞાનિકોએ આ છોડને કોઈપણ વિલુપ્ત થતા છોડના ગ્રુપ સાથે જોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ નક્કર પુરાવા અને સંબંધ ન મળ્યા. ગ્રીન રિવર ફોર્મેશનમાં અગાઉ અજાણ્યા ઘણા છોડના અવશેષો મળી ચૂક્યા છે, જેનાથી આ ક્ષેત્રમાંમાં પ્રાચીન છોડની વિવિધતાના સંકેત મળે છે. જો કે, વૈજ્ઞાનિકો આ અવશેષોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખશે, જેથી પૃથ્વીની વનસ્પતિની ઉત્ક્રાંતિને વધુ સારી રીતે સમજી શકાય.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.