આકાશ ચોપરા બોલ્યા- આ ખેલાડીને ટીમમાં સિલેક્ટ કરવાને લઈને મને ખૂબ હેરાની થઈ

ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું સિલેક્શન એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં થયું છે. તેને લઈને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અર્શદીપ સિંહને એશિયન ગેમ્સમાં સિલેક્ટ કરવાથી હું હેરાન છું. આકાશ ચોપડા મુજબ, તેઓ એ વાતથી હેરાન છે કે અર્શદીપને વન-ડે ટીમમાં મહત્ત્વ આપવામાં આવી રહ્યું નથી. એશિયન ગેમ્સમાં આ વખત ક્રિકેટ પણ સામેલ છે અને તેમાં હિસ્સો લેવા માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે.

એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કેપ્ટન્સી ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે અને આ ટીમમાં ઘણા નવા ચહેરાઓને પહેલી વખત નેશનલ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શાનદાર રમત દેખાડનારા રિન્કુ સિંહ અને જીતેશ શર્માને ભારતીય ટીમમાં પહેલી વખત જગ્યા મળી છે. રાહુલ ત્રિપાઠી, વૉશિંગટન સુંદર, યશસ્વી જયસ્વાલ, શાહબાજ અહમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, શિવમ માવી અને શિવમ દુબે જેવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.

જો કે, આકાશ ચોપરાએ જણાવ્યું કે, અર્શદીપ સિંહના સિલેક્શન પર હેરાની વ્યક્ત કરી. પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, મને આ ટીમમાં અર્શદીપનું નામ જોઈને ખૂબ હેરાની થઈ રહી છે. હું હેરાન છું કે વન-ડે માટે પણ તેને મહત્ત્વ આપવામાં આવી રહ્યું નથી. એ સિવાય વેસ્ટ ઇન્ડીઝમાં T20 સીરિઝ માટે પણ તેનું સિલેક્શન થયું નથી. હવે તમે તેને એશિયા કપ માટે પણ સાઇડ કરી રહ્યા છો અને વર્લ્ડ કપ લિસ્ટથી પહેલા જ બહાર કરી દેવાયો છે. અર્શદીપ સિંહની જો વાત કરીએ તો તે ત્રણેય ફોર્મેટમાં રમી શકે છે. ઓછામાં ઓછો સફેદ બૉલ ક્રિકેટમાં તે રમી શકે છે, પરંતુ તેના ઉપર ભરોસો દેખાડવામાં આવી રહ્યો નથી.

એશિયન ગેમ્સમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરવાને લઈને ઉત્સાહિત ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે, તેનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું હશે કે ટીમ ગોલ્ડ મેડલ સાથે પોડિયમ પર ઊભી રહે, જેથી ભારતનું રાષ્ટ્રગાન વાગે. તેણે કહ્યું કે, મને લાગે છે કે આ અવસર કંઈક ખાસ છે અને અમે એવી ક્રિકેટ રમીશું, જેનાથી દેશના લોકોને ગર્વ થશે. એ કંઈક એવું છે જેમ આપણે હંમેશાં ટીવી પર જોતા મોટા થયા છીએ. એથલીટોને દેશ માટે જીતતા જોયા છે. હવે અમને એવો અવસર મળ્યો છે. એ વાસ્તવમાં વિશેષ હશે.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.