'એક્ટ્રેસ સાથે અફેર, શરીર પર ટેટૂ',ટીમમાં આવવા આ જોઈએ,ક્રિકેટરનું વિચિત્ર નિવેદન

ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ વનડે અને T-20 મેચોની શ્રેણી રમવાની છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત 18 જુલાઈએ કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવ T-20 શ્રેણીમાં ભારતીય ટીમનું સુકાન સંભાળશે. જ્યારે રોહિત શર્મા વનડે શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી નિભાવશે.

ભારતીય પસંદગીકારોએ શ્રીલંકા પ્રવાસ માટે કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. અભિષેક શર્મા અને રૂતુરાજ ગાયકવાડને બંને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે રિંકુ સિંહ અને સંજુ સેમસનને ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી, ત્યારે રિયાન પરાગને T20 અને ODI બંને ટીમમાં સ્થાન મળ્યું છે.

હવે ટીમ ઈન્ડિયાની પસંદગી પર પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. બદ્રિનાથે T20 ટીમમાંથી રૂતુરાજ ગાયકવાડ અને ODI ટીમમાંથી રિંકુ સિંહને બાકાત રાખવાની ટીકા કરી હતી. બદ્રીનાથના મતે, ટીમમાં પસંદગી માટે તેની ક્ષમતા કરતાં ખેલાડીની વિશેષ છબીને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. બદ્રિનાથે કહ્યું કે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે ખેલાડીઓ પાસે 'ખરાબ વ્યક્તિની છબી' અને તેમના શરીર પર ટેટૂ હોવા જરૂરી છે.

S. બદ્રીનાથે તેની યુટ્યુબ ચેનલ ક્રિક ડિબેટ વિથ બદ્રી પર કહ્યું, 'ક્યારેક એવું લાગે છે કે તમને ખરાબ વ્યક્તિની છબીની જરૂર છે. જ્યારે ભારતીય ટીમમાં રિંકુ સિંહ, રૂતુરાજ ગાયકવાડ અને અન્યની પસંદગી કરવામાં આવી નથી. ત્યારે લાગે છે કે તમારું કોઈ બોલિવૂડ અભિનેત્રી સાથે અફેર હોવું જોઈએ. સારા મીડિયા મેનેજર હોવા જોઈએ અને શરીર પર ટેટૂ હોવા જોઈએ.'

43 વર્ષીય બદ્રીનાથે ભારત માટે 2 ટેસ્ટ, 7 ODI અને 1 T20 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ટેસ્ટમાં 63 રન, વનડેમાં 79 રન અને T20 ઇન્ટરનેશનલમાં 43 રન બનાવ્યા હતા. બદ્રીનાથની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી શાનદાર રહી હતી, તેણે 145 મેચોમાં 54.49ની એવરેજથી 10245 રન બનાવ્યા હતા. બદ્રીનાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 32 સદી અને 45 અડધી સદી ફટકારી હતી.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રીષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, KL રાહુલ (વિકેટકીપર), રીષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ અને હર્ષિત રાણા.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.