દ્રવિડ પછી લક્ષ્મણે પણ ના પાડી! કેમ ભારતના પૂર્વ ખેલાડીઓ કોચ બનવા માગતા નથી

ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચની રેસ રસપ્રદ બની રહી છે. વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ 2024 T20 વર્લ્ડ કપ સાથે સમાપ્ત થાય છે, જે જૂનના અંત સુધી ચાલશે. BCCIએ નવા કોચ માટે જાહેરાત બહાર પાડી છે. આગામી કોચનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષનો હશે, જે 2027ના અંત સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી, 2027 ODI વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટ્સ આવશે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતીય ટીમને લાંબા સમય પછી વિદેશી કોચ મળી શકે છે, કારણ કે રાહુલ દ્રવિડ પછી આ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર માનવામાં આવતા VVS લક્ષ્મણે પણ અરજી કરવાનો ઇનકાર કરી દીધો છે. VVS લક્ષ્મણ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ ના પદ પર છે. આવો અમે તમને એવા ત્રણ કારણો જણાવીએ કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે આવેદન કરવામાં મોટા નામો કેમ ખચકાય છે.

ભારતીય ટીમના મુખ્ય કોચને માત્ર ખેલાડીઓનું સંચાલન કરવાની જ જવાબદારી નથી પરંતુ 125 કરોડથી વધુ પ્રશંસકો, મીડિયા અને ક્રિકેટ અધિકારીઓના ભારે દબાણનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ઘણા મોટા નામો આટલો બધો તણાવ લેવાનું પસંદ કરતા નથી, જ્યાં તેઓ સતત મીડિયાની નજરમાં હોય. જો તમે હારી જાઓ તો આકરી ટીકાનો સામનો કરો. આ ઉપરાંત, ખૂબ ટૂંકા કાર્યકાળમાં વધુ સારા પરિણામો આપવાનું દબાણ પણ છે. ખાસ કરીને, જો ટીમ સારું પ્રદર્શન ન કરે તો તમામ દોષ કોચ પર નાખી દેવામાં આવે છે.

કેટલાક પ્રખ્યાત કોચ પહેલાથી જ અન્ય ટીમો, લીગ અથવા ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલા હોઈ શકે છે, જેના કારણે તેમના માટે હિતોના સંઘર્ષને કારણે ભારતીય ટીમને કોચ કરવાનું મુશ્કેલ બને છે. ભારતીય ટીમ 12માંથી નવ મહિના ક્રિકેટ રમે છે. એટલે કે કોચ તરીકે તમારે આખું વર્ષ મેદાન પર રહેવું પડશે. પરિવારથી દૂર પણ રહેવું પડે છે. આ દરમિયાન તમે કોઈ અન્ય પ્રકારનું કામ પણ કરી શકતા નથી. ઉમેદવારોને આર્થિક નુકસાન પણ વેઠવું પડી શકે છે.

કેટલાક પ્રખ્યાત કોચ રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાને બદલે IPL જેવી T-20 ટૂર્નામેન્ટનું કોચિંગ પસંદ કરે છે, જે માત્ર થોડા મહિનાઓ સુધી જ નહીં, પરંતુ તેમાં મળતા પૈસા અને પુરસ્કારો પણ આકર્ષક હોય છે. કદાચ આ જ કારણ છે કે, હવે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન જેવી ઘણી ટીમો અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચની ફોર્મ્યુલા હેઠળ કામ કરી રહી છે. જ્યારે વિદેશી કોચ ભારત આવે છે, ત્યારે તેને અહીંની જીવનશૈલી અને સંસ્કૃતિને અનુરૂપ થવામાં સમય લાગે છે.

About The Author

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.