જો ભારત-વેસ્ટ ઇન્ડીઝ મેચ રદ થાય છે, તો સેમિફાઇનલની ટિકિટ કોને મળશે? આ છે નિયમો

T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8 સ્ટેજમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થનારી મેચ હવે કરો યા મરો જેવી બની ચૂકી છે. 1 માર્ચ, 2026ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ વર્ચ્યૂઅલ ક્વાર્ટર ફાઇનલ જેવી છે. આ મેચ ગ્રુપ-1માંથી બીજી સેમીફાઇનાલિસ્ટમાં કોણ છે તે નક્કી કરશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો આ મેચ કોઇપણ કારણોસર રદ થાય છે તો શું થશે? ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની કઇ ટીમ સેમીફાઇનલમાં આગળ પહોંચશે?

મેચ રદ થઇ તો સેમીફાઇનલમાં કોને ટિકિટ મળશે?

હાલમાં, ગ્રુપ-1 પોઇન્ટ ટેબલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝના બરાબર પોઇન્ટ છે. વેસ્ટ ઇન્ડીઝ 2 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તો ભારતના પણ 2 પોઇન્ટ છે, પરંતુ નેટ રન રેટને કારણે તે ત્રીજા સ્થાને છે. આ મેચ જીતનાર ટીમ, 4 પોઇન્ટ સાથે સીધી સેમીફાઇનલમાં પહોંચી જશે. પરંતુ જો ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઇ જાય અથવા પરિણામ ન આવે, તો ICCના નિયમો મુજબ બંને ટીમોને 1-1 પોઇન્ટ મળશે.

Kuno-National-Park2
business-standard.com

આ સ્થિતિમાં, બંને ટીમોના કુલ પોઇન્ટ 3-3 રહેશે. સેમીફાઇનલમાં પહોંચનારી ટીમ નેટ રન રેટ (NRR) દ્વારા નક્કી કરવામાં આવશે. વેસ્ટ ઇન્ડીઝની NRR +1.791 છે, જે ભારતના -0.100 કરતા ખૂબ સારી છે. એટલે, જો વરસાદ કે અન્ય કોઇ કારણોસર મેચ રદ કરવામાં આવે છે, તો વેસ્ટ ઇન્ડીઝ સેમીફાઇનલમાં પહોંચી જશે, અને ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. આ ભારતીય ફેન્સ માટે મોટો ઝટકો હશે.

team-india
BCCI

મેચના દિવસે કોલકાતામાં હવામાન કેવું રહેશે?

હવામાન અહેવાલો અનુસાર, 1 માર્ચે કોલકાતામાં વરસાદની કોઇ શક્યતા નથી. મેચ દરમિયાન હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની અપેક્ષા છે. મતલબ કે ફેન્સને આખી મેચ જોવા મળશે, અને ટીમો તેમના પ્રદર્શનના આધારે સેમીફાઇનલમાં સ્થાન મેળવશે. બંને ટીમો 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં એકબીજાની સામસામે હશે. છેલ્લી વખત, ભારતીય ટીમને હાર મળી હતી. એવામાં, ભારતની નજર હિસાબ બરાબર કરવા પર પણ રહેશે.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.