બુમરાહે પોતે જ કહી દીધું ક્યારે નિવૃત્તિ લેશે

T20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ પછી જસપ્રિત બુમરાહને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી, જે હવે ખતમ થઈ ગઈ છે.

ભારતીય ક્રિકેટરો રાહતનો શ્વાસ લઈ શકે છે. જસપ્રિત બુમરાહે તેની નિવૃત્તિની યોજના જાહેર કરી છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ પછી તરત જ રોહિત શર્મા અને 24 કલાકની અંદર રવિન્દ્ર જાડેજાએ પણ T20I ફોર્મેટને અલવિદા કહી દીધું. ત્યારથી જસપ્રીત બુમરાહને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. બુમરાહે નિવૃત્તિ સાથે જોડાયેલા સવાલો અને અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

ભારતીય ટીમે 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ભારતીય ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ ભારત આવતાની સાથે જ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પછી ટીમે મુંબઈમાં વિજય પરેડમાં ભાગ લીધો હતો. નરીમાન પોઈન્ટથી શરૂ થયેલી વિજય પરેડ વાનખેડે સ્ટેડિયમ પર રોકાઈ હતી, જ્યાં ટીમના સન્માન સમારોહની તૈયારીઓ થઈ ચૂકી હતી. આ જ સમારોહમાં બુમરાહે નિવૃત્તિની અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.

જસપ્રીત બુમરાહે વિજયની ઉજવણીમાં પોતાની નિવૃત્તિ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, તે (નિવૃત્તિ) હજુ ખુબ દૂર છે. મેં હાજી હમણાં જ શરૂઆત કરી છે. આ બધું હજી ઘણું દૂર છે.' જસ્સીએ વાનખેડે સ્ટેડિયમની યાદોનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, ‘આ મેદાન ખૂબ જ ખાસ છે. હું નાનો હતો ત્યારે અહીં આવ્યો હતો. આજે મેં જે જોયું તે પહેલાં ક્યારેય જોયું ન હતું.'

30 વર્ષના બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં 15 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ જીતવા પર તેણે કહ્યું, 'T-20 વર્લ્ડ કપ જીત્યા પછી દરેક ખેલાડીના ચહેરા પર ખુશીના આંસુ હતા. મારા પુત્રને જોઈને હું ભાવુક થઈ ગયો. સામાન્ય રીતે આવું થતું નથી પણ તે સમયે મારી પાસે કહેવા માટે શબ્દો નહોતા. હું રડવા લાગ્યો અને બે-ત્રણ વાર રડ્યો.'

About The Author

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.