બુમરાહે પોતે જ કહી દીધું ક્યારે નિવૃત્તિ લેશે

T20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ પછી જસપ્રિત બુમરાહને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી, જે હવે ખતમ થઈ ગઈ છે.

ભારતીય ક્રિકેટરો રાહતનો શ્વાસ લઈ શકે છે. જસપ્રિત બુમરાહે તેની નિવૃત્તિની યોજના જાહેર કરી છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ પછી તરત જ રોહિત શર્મા અને 24 કલાકની અંદર રવિન્દ્ર જાડેજાએ પણ T20I ફોર્મેટને અલવિદા કહી દીધું. ત્યારથી જસપ્રીત બુમરાહને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. બુમરાહે નિવૃત્તિ સાથે જોડાયેલા સવાલો અને અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

ભારતીય ટીમે 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ભારતીય ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ ભારત આવતાની સાથે જ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પછી ટીમે મુંબઈમાં વિજય પરેડમાં ભાગ લીધો હતો. નરીમાન પોઈન્ટથી શરૂ થયેલી વિજય પરેડ વાનખેડે સ્ટેડિયમ પર રોકાઈ હતી, જ્યાં ટીમના સન્માન સમારોહની તૈયારીઓ થઈ ચૂકી હતી. આ જ સમારોહમાં બુમરાહે નિવૃત્તિની અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.

જસપ્રીત બુમરાહે વિજયની ઉજવણીમાં પોતાની નિવૃત્તિ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, તે (નિવૃત્તિ) હજુ ખુબ દૂર છે. મેં હાજી હમણાં જ શરૂઆત કરી છે. આ બધું હજી ઘણું દૂર છે.' જસ્સીએ વાનખેડે સ્ટેડિયમની યાદોનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, ‘આ મેદાન ખૂબ જ ખાસ છે. હું નાનો હતો ત્યારે અહીં આવ્યો હતો. આજે મેં જે જોયું તે પહેલાં ક્યારેય જોયું ન હતું.'

30 વર્ષના બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં 15 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ જીતવા પર તેણે કહ્યું, 'T-20 વર્લ્ડ કપ જીત્યા પછી દરેક ખેલાડીના ચહેરા પર ખુશીના આંસુ હતા. મારા પુત્રને જોઈને હું ભાવુક થઈ ગયો. સામાન્ય રીતે આવું થતું નથી પણ તે સમયે મારી પાસે કહેવા માટે શબ્દો નહોતા. હું રડવા લાગ્યો અને બે-ત્રણ વાર રડ્યો.'

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.