બાંગ્લાદેશે ઉડાવ્યા ICCના નિયમોના ધજાગરા, પાકિસ્તાની અમ્પાયરે પણ આપ્યો સાથ

બાંગ્લાદેશે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. પોતાની અંતિમ ગ્રુપ મેચમાં બાંગ્લાદેશે નેપાળને 21 રનથી હરાવી દીધી. 17 જૂને કિંગ્સટાઉનના અર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે 106 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ માત્ર 85 રન પર સમેટાઇ ગઈ. બાંગ્લાદેશ-નેપાળની મેચ દરમિયાન હોબાળો પણ થયો. આ મેચ પર બાંગ્લાદેશ ખેલાડીઓએ ICC નિયમોના ધજાગરા ઉડાવી દીધા. તેની સાથે જોડાયેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં બાંગ્લાદેશી ખેલાડી જેકર અલી ડ્રેસિંગ રૂમ તરફ જોયા બાદ સાથી ખેલાડી તંજીમ હસન સાકીબને DRS લેવા કહે છે. આ આખી ઘટના બાંગ્લાદેશની ઇનિંગની 14મી ઓવરમાં થઈ. આ ઓવરમાં નેપાળી સ્પિનર સંદીપ લામીછાનેનો પહેલો બૉલ બાંગ્લાદેશી બેટ્સમેન તંજીમ હસન સાકીબની પાછળની જાંગ પર લાગ્યો. સાકીબ સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે પૂરી રીતે ચૂકી ગયો. નેપાળી ખેલાડીઓએ અપીલ બાદ ફિલ્ડ અમ્પાયરે તંજીમ સાકીબને આઉટ આપી દીધો.

તંજીમ હસન સાકીબ પોવેલિયન ફરવાના મૂડમાં હતો, પરંતુ આ દરમિયાન જેકર અલીએ રિવ્યૂ લેવા કહ્યું. જેકરે આ દરમિયાન ડ્રેસિંગ રૂમની સલાહ લીધી. જો કે, ત્યારે તંજીમે રિવ્યૂ માટે T સાઇન બનાવ્યું, ત્યાં સુધી 15 સેકન્ડ વીતી ચૂકી હતી એ છતા પાકિસ્તાનના અહસાન રજા (ફિલ્ડ અમ્પાયર)એ થર્ડ અમ્પાયર પાસે આ મામલો મોકલ્યો. ત્રીજા અમ્પાયરે વીડિયો ફૂટેજ જોયા બાદ તંજીમ હસન સાકીબને નોટ આઉટ આપી દીધો.

બૉલ ટ્રેકરથી ખબર પડી કે બૉલ ઓફ સ્ટમ્પને મિસ કરી રહ્યો છે. જો કે, આ ઘટના બાદ સાકીબ પીચ પર વધારે સમય ટકી ન શક્યો. સંદીપ લામીછાનેના બીજા જ બૉલ પર તે ક્લીન બોલ્ડ થઈ ગયો. નિયમાનુસાર ખેલાડી ડગાઉટ/ડ્રેસિંગ રમ તરફ નહીં જોઈ શકે. સાથે જ ડગાઉટમાં બેઠા કોચ કે બીજી વ્યક્તિ પાસે મદદ નહીં લઈ શકે. ICCની મેચ પ્લેઇંગ કન્ડિશન્સ મુજબ અમ્પાયરને જો લાગે છે કે ફિલ્ડિંગ કેપ્ટન કે બેટ્સમેન બહારથી કોઈ વસ્તુને લઈને ઇશારા મળ્યા છે તો તે સમીક્ષાની માગને રદ્દ કરી શકે છે.

આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથની યાદ અપાવી દીધી. માર્ચ 2017માં ભારત વિરુદ્ધ બેંગ્લોર ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન તત્કાલીન કેપ્ટન સ્મિથને અમ્પાયરે આઉટ આપી દીધો હતો. પરંતુ સ્મિથે સમીક્ષા માટે બીજી તરફ ઊભા પીટર હેન્ડ્સકોમ્બ સાથે વાત કરી અને આ દરમિયાન ડ્રેસિંગ રૂમ તરફ જોતા DRS પર સલાહ લેવાનો પ્રયાસ કર્યો. લોંગે સ્મિથને એમ કરતા રોકી દીધો હતો. ભારતના તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સ્મિથે કહ્યું હતું ક, તેણે કોઈ સલાહ લીધી નથી અને એ બધા ગભરાટમાં થયું હતું.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.