આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી

દક્ષિણ આફ્રિકા સામે 2-1થી વન-ડે સીરિઝ જીતનાર ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે પોતાના ઘર આંગણે પહેલી વખત ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સીરિઝ ગુમાવી છે. કિવી ટીમ 1989થી ભારતનો પ્રવાસ કરી રહી છે, પરંતુ સીરિઝ જીતવા માટે 2026 સુધી રાહ જોવી પડી હતી. ન્યૂઝીલેન્ડે સતત 2 વન-ડે જીતીને ભારત સામે 3 મેચની સીરિઝ જીતી લીધી છે. તેની સાથે જ 2019થી ઘર આંગણે સતત વન-ડે સીરિઝ જીતવાનો ભારતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો. સીરિઝમાં હાર બાદ, ભારતીય ટીમની ભારે ટીકા થઈ રહી છે. ચાલો આગળ જાણીએ ભારતીય ટીમે કયા 5 કારણે વન-ડે સીરિઝ ગુમાવી દીધી.

ભારતીય ટીમ હંમેશાં ઘરઆંગણે મજબૂત રહી છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે સીરિઝની ત્રીજી અને અંતિમ વન-ડેમાં તેના બોલરો નબળી કડી સાબિત થયા. ઇન્દોર વન-ડેમાં ભારતીય બોલરો વિકેટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ન્યૂઝીલેન્ડના બોલરો આખી સીરિઝમાં હાવી રહ્યા. ડેબ્યૂટન્ટ ક્રિશ્ચિયન ક્લાર્ક 3 મેચમાં 7 વિકેટ લઈને ટોપ પર રહ્યો, જ્યારે કાયલ જેમિસન 6 વિકેટ સાથે બીજા સ્થાને રહ્યો. ભારતના હર્ષિત રાણા 6 વિકેટ સાથે ત્રીજા સ્થાને રહ્યો. બેટિંગમાં, ડેરિલ મિશેલે 3 ઇનિંગ્સમાં 352 રન સાથે સીરિઝમાં સૌથી વધુ રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલી 240 રન સાથે બીજા સ્થાને રહ્યો.

Team India
BCCI

ત્રીજી વન-ડેમાં રોહિત અને ગિલની બેટ શાંત રહી

રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલની ઓપનિંગ જોડી સારી શરૂઆત ન અપાવી શકી. ભારતીય ટીમ 338 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી, પરંતુ બંને ઓપનર્સે માત્ર 28 રનની પાર્ટનરશિપ કરીને ભારતની શરૂઆત ખરાબ કરી દીધી. રોહિત શર્મા 13 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો, જ્યારે ગિલ 18 બોલમાં 23 રન બનાવીને આઉટ થઇ ગયો. ભારતની વન-ડે સીરિઝની હારમાં ભારતીય ઓપનિંગ જોડીએ મુખ્ય ભૂમિકા ભજવી.

શ્રેયસ ઐયર નિરાશ કર્યા

મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર પર વધારે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, પરંતુ તેણે પણ નિરાશ કર્યા. ટીમને જ્યાઈ તેની જરૂરિયાત હતો ત્યારે શ્રેયસ પોતાની વિકેટ ગુમાવીને પેવેલિયન પાછો ફર્યો. ત્રીજી વન-ડેમાં શ્રેયસે 10 બોલમાં 3 રન બનાવ્યા. તેનાથી સ્પષ્ટ થાય છે કે શ્રેયસે રન બનાવવા માટે કેટલો સંઘર્ષ કર્યો.

Team India
BCCI

જાડેજા બેટિંગ અને બોલિંગમાં સુપર ફ્લોપ રહ્યો

રવીન્દ્ર જાડેજાની બેટિંગ અને બોલિંગ સમગ્ર સીરિઝ દરમિયાન સારી ન રહી. જાડેજા બેટ અને બોલ બંનેમાં સુપર ફ્લોપ રહ્યો. ઇન્દોર વન-ડેમાં તેણે 16 બોલમાં 11 રન બનાવ્યા, જ્યારે બોલિંગની વાત કરીએ તો તેણે 6 ઓવરમાં 41 રન આપ્યા, પરંતુ કોઈ વિકેટ ન મળી. જાડેજાની બોલિંગ પણ ધીમે-ધીમે ફિક્કી પડી રહી છે.

કુલદીપ યાદવની ફિરકીનો જાદુ ન ચાલ્યો

ચાઇનામેન સ્પિનર ​​કુલદીપ યાદવનો જાદુ આખી સીરિઝમાં ન ચાલ્યો. તે હંમેશાં ઘરઆંગણે અસરકારક રહ્યો છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે તેની સ્પિન બિનઅસરકારક સાબિત રહી. ત્રીજી વન-ડેમાં તેણે 6 ઓવરમાં 48 રન આપ્યા અને એક વિકેટ લીધી. તાજેતરના સમયમાં વન-ડે સીરિઝમાં ભારતીય ટીમની આ ત્રીજી હાર છે. આ અગાઉ, ભારતીય ટીમને શ્રીલંકાએ હરાવી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ તેને વન-ડે સીરિઝમાં હરાવી હતી.

About The Author

Related Posts

Top News

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-03-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.