આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી

દક્ષિણ આફ્રિકા સામે 2-1થી વન-ડે સીરિઝ જીતનાર ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે પોતાના ઘર આંગણે પહેલી વખત ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સીરિઝ ગુમાવી છે. કિવી ટીમ 1989થી ભારતનો પ્રવાસ કરી રહી છે, પરંતુ સીરિઝ જીતવા માટે 2026 સુધી રાહ જોવી પડી હતી. ન્યૂઝીલેન્ડે સતત 2 વન-ડે જીતીને ભારત સામે 3 મેચની સીરિઝ જીતી લીધી છે. તેની સાથે જ 2019થી ઘર આંગણે સતત વન-ડે સીરિઝ જીતવાનો ભારતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો. સીરિઝમાં હાર બાદ, ભારતીય ટીમની ભારે ટીકા થઈ રહી છે. ચાલો આગળ જાણીએ ભારતીય ટીમે કયા 5 કારણે વન-ડે સીરિઝ ગુમાવી દીધી.

ભારતીય ટીમ હંમેશાં ઘરઆંગણે મજબૂત રહી છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે સીરિઝની ત્રીજી અને અંતિમ વન-ડેમાં તેના બોલરો નબળી કડી સાબિત થયા. ઇન્દોર વન-ડેમાં ભારતીય બોલરો વિકેટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ન્યૂઝીલેન્ડના બોલરો આખી સીરિઝમાં હાવી રહ્યા. ડેબ્યૂટન્ટ ક્રિશ્ચિયન ક્લાર્ક 3 મેચમાં 7 વિકેટ લઈને ટોપ પર રહ્યો, જ્યારે કાયલ જેમિસન 6 વિકેટ સાથે બીજા સ્થાને રહ્યો. ભારતના હર્ષિત રાણા 6 વિકેટ સાથે ત્રીજા સ્થાને રહ્યો. બેટિંગમાં, ડેરિલ મિશેલે 3 ઇનિંગ્સમાં 352 રન સાથે સીરિઝમાં સૌથી વધુ રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલી 240 રન સાથે બીજા સ્થાને રહ્યો.

Team India
BCCI

ત્રીજી વન-ડેમાં રોહિત અને ગિલની બેટ શાંત રહી

રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલની ઓપનિંગ જોડી સારી શરૂઆત ન અપાવી શકી. ભારતીય ટીમ 338 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી, પરંતુ બંને ઓપનર્સે માત્ર 28 રનની પાર્ટનરશિપ કરીને ભારતની શરૂઆત ખરાબ કરી દીધી. રોહિત શર્મા 13 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો, જ્યારે ગિલ 18 બોલમાં 23 રન બનાવીને આઉટ થઇ ગયો. ભારતની વન-ડે સીરિઝની હારમાં ભારતીય ઓપનિંગ જોડીએ મુખ્ય ભૂમિકા ભજવી.

શ્રેયસ ઐયર નિરાશ કર્યા

મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર પર વધારે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, પરંતુ તેણે પણ નિરાશ કર્યા. ટીમને જ્યાઈ તેની જરૂરિયાત હતો ત્યારે શ્રેયસ પોતાની વિકેટ ગુમાવીને પેવેલિયન પાછો ફર્યો. ત્રીજી વન-ડેમાં શ્રેયસે 10 બોલમાં 3 રન બનાવ્યા. તેનાથી સ્પષ્ટ થાય છે કે શ્રેયસે રન બનાવવા માટે કેટલો સંઘર્ષ કર્યો.

Team India
BCCI

જાડેજા બેટિંગ અને બોલિંગમાં સુપર ફ્લોપ રહ્યો

રવીન્દ્ર જાડેજાની બેટિંગ અને બોલિંગ સમગ્ર સીરિઝ દરમિયાન સારી ન રહી. જાડેજા બેટ અને બોલ બંનેમાં સુપર ફ્લોપ રહ્યો. ઇન્દોર વન-ડેમાં તેણે 16 બોલમાં 11 રન બનાવ્યા, જ્યારે બોલિંગની વાત કરીએ તો તેણે 6 ઓવરમાં 41 રન આપ્યા, પરંતુ કોઈ વિકેટ ન મળી. જાડેજાની બોલિંગ પણ ધીમે-ધીમે ફિક્કી પડી રહી છે.

કુલદીપ યાદવની ફિરકીનો જાદુ ન ચાલ્યો

ચાઇનામેન સ્પિનર ​​કુલદીપ યાદવનો જાદુ આખી સીરિઝમાં ન ચાલ્યો. તે હંમેશાં ઘરઆંગણે અસરકારક રહ્યો છે, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે તેની સ્પિન બિનઅસરકારક સાબિત રહી. ત્રીજી વન-ડેમાં તેણે 6 ઓવરમાં 48 રન આપ્યા અને એક વિકેટ લીધી. તાજેતરના સમયમાં વન-ડે સીરિઝમાં ભારતીય ટીમની આ ત્રીજી હાર છે. આ અગાઉ, ભારતીય ટીમને શ્રીલંકાએ હરાવી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ તેને વન-ડે સીરિઝમાં હરાવી હતી.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.