ક્રીઝ બહાર હોવા છતા જીતેશને નોટ આઉટ કેમ આપ્યો? પૂર્વ અમ્પાયરે સમજાવ્યા નિયમો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની અંતિમ લીગ મેચ 27 મે મંગળવારના રોજ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ હાઇ-સ્કોરિંગ થ્રિલર મેચ દરમિયાન, લખનઉ સુપર જાયન્ટ્સના લેગ-સ્પિનર ​​દિગ્વેશ સિંહ રાઠીએ 17મી ઓવરમાં નોન-સ્ટ્રાઇકર એન્ડ પર જીતેશ શર્મા સામે રન આઉટની અપીલ કરી હતી.

જોકે, થર્ડ અમ્પાયરે તેમની અપીલ ફગાવી દીધી અને જીતેશ શર્માને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો. નોટ આઉટનો નિર્ણય ટેકનિકલ નિયમોને કારણે સાચો હતો કે, લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે અપીલ પાછી ખેંચી લેવાને કારણે થયો તે અંગે મૂંઝવણ હતી. આ દરમિયાન, એવું પણ જોવા મળ્યું કે રિષભ પંતે અપીલ પાછી ખેંચી લીધા પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન જીતેશ શર્માએ તેમને ગળે લગાવ્યા. એટલું જ નહીં, ક્રિકેટના નિયમો સ્પષ્ટ કરવાને બદલે, તેને 'અપીલ પાછી ખેંચી' તરીકે વર્ણવવામાં આવી. જોકે, ટુર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તાએ 27 મેના રોજ મધ્યરાત્રિ પછી 1:29 વાગ્યે એક વીડિયો શેર કર્યો. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું, જીતેશ શર્મા રન-આઉટ ડ્રામા અને રિષભ પંતનું અપીલ પાછી ખેંચી લેવું, ખરેખર થયું શું છે? ભૂતપૂર્વ અમ્પાયર અનિલ ચૌધરીએ બધું સમજાવ્યું હતું.

Mankading-Rule,-Jitesh-Sharma1
aajtak.in

એક સ્પોર્ટ્સ ચેનલના વીડિયોમાં અનિલ ચૌધરીએ કહ્યું, 'સૌ પ્રથમ, માંકડ નામ ખોટું છે. તે રન આઉટ છે. મેં TV અમ્પાયરની કોમેન્ટ્રી સાંભળી. તેમણે કહ્યું કે, બોલર પોપિંગ એરિયાથી આગળ વધી ગયો છે. શું થયું તે એ છે કે તે તેની છેલ્લી બોલિંગ સ્ટ્રાઈડ પર હતો અને તેનો હાથ ઉપર તો ગયો ન હતો. જોકે, તે તેમનો અભિપ્રાય (TV અમ્પાયર) છે, પરંતુ મને લાગ્યું કે તે કદાચ આઉટ હતો.'

અનિલ ચૌધરીએ પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે, 'એ અલગ વાત છે કે તે પછી મેં જોયું કે નોટ આઉટ આવ્યા પછી, રિષભ પંત પણ કદાચ અપીલ પાછી ખેંચી રહ્યા હતા. તેથી આ બધી ઘટનાઓ એક પછી એક બની. પરંતુ કાયદા મુજબ... કારણ કે તેણે રિલીઝ પોઈન્ટ પહેલા બેલ્સ હટાવી દીધા હતા, જેમ તમે આ પહેલા અશ્વિનને જોયા હશે, તે ઘણા સમય પહેલા, 2-3 વર્ષ પહેલા થયું હતું.... તેથી મેં એક વખત વિચાર્યું કે તે આઉટ થઈ ગયો છે.'

Mankading-Rule,-Jitesh-Sharma2
aajtak.in

અનિલ ચૌધરીએ કહ્યું, 'જો કે TV અમ્પાયરના અભિપ્રાયનો અમે આદર કરીએ છીએ.' તેમણે કહ્યું કે તે આગળ ગયો. તે પોપિંગ એરિયાથી આગળ ગયો, જ્યારે તે બોલિંગ સ્ટ્રાઈડમાં જ હતો. જો રિષભ પંત અપીલ પછી ખેંચી લેત, તો અમ્પાયરે તેને સ્વીકાર્યો હોત અને બેટ્સમેન નોટ આઉટ જ રહેત. આ સ્તરે આ એક સામાન્ય પ્રથા છે. ઘણા લોકો અપીલ કર્યા પછી તેને પછી ખેંચી લે છે.'

અનિલ ચૌધરીએ સમજાવતા કહ્યું કે, 'સમસ્યા એ છે કે અમ્પાયર ઉપર જતા પહેલા (થર્ડ અમ્પાયરનો સંપર્ક કરવા) પૂછી શકતો નથી... અથવા તો તે પહેલાં જ અપીલ પછી ખેંચી શક્યો હોતે, કારણ કે જો તે અપીલ તરફ ગયો હોતે, માઈકલ ગોફે બોલરને...રાઠીને...પૂછ્યું હતું કે તમે અપીલ કરી રહ્યા છો, તો તેણે હા પાડી. પછી તેણે રેફર કર્યું.'

MCC ક્રિકેટ નિયમ પુસ્તક નંબર 38.3માં 'નોન-સ્ટ્રાઈકર ક્રીઝ વહેલા છોડવા'ની વાત કહેવામાં આવી છે.

Mankading-Rule,-Jitesh-Sharma4
timesnownews-com.translate.goog

કાયદો નંબર 38.3.1 એ વાતની સ્પષ્ટતા આપે છે કે, બેટ્સમેન કેવી રીતે રન આઉટ થઈ શકે છે, કારણ કે બોલર બોલ છોડે ત્યારે બોલ રમતમાં આવે છે. કાયદો જણાવે છે કે, 'બોલ રમતમાં આવે તે ક્ષણથી લઈને તે ક્ષણ સુધી જ્યારે બોલર સામાન્ય રીતે બોલ છોડવાની અપેક્ષા રાખે છે, જો નોન-સ્ટ્રાઈકર તેની ક્રીઝની બહાર હોય તો તેને રન આઉટ કરી શકાય છે.' આ પરિસ્થિતિઓમાં નોન-સ્ટ્રાઈકર રન આઉટ થશે જો તે બોલર દ્વારા બોલ સ્ટમ્પ પર ફેંકવા અથવા બોલરના હાથ દ્વારા બોલ પકડવાના પરિણામે તેની વિકેટ પડે ત્યારે તેની ક્રીઝની બહાર હોય, પછી ભલે બોલ ફેંકવામાં આવ્યો હોય કે ન આવ્યો હોય.

MCCનો કાયદો નંબર 38.3.1.2 સમજાવે છે કે, જીતેશ શર્મા સ્પષ્ટપણે ક્રીઝની બહાર હોવા છતાં તેને આઉટ કેમ આપવામાં આવ્યો ન હતો, જ્યારે રિષભ પંતે લખનઉ સુપર જાયન્ટ્સના દિગ્વેશ સિંહ રાઠીની અપીલ પાછી ખેંચી લીધી હતી. કાયદામાં જણાવાયું છે કે, 'ભલે નોન-સ્ટ્રાઈકર તે સમય પહેલાં ક્રીઝ છોડી દીધી હોય, પરંતુ જો બોલર તે પોઇન્ટ સુધી પહોંચી ગયો છે જ્યાંથી બોલર સામાન્ય રીતે બોલ છોડવાની અપેક્ષા રાખે છે, તો આ કાયદા હેઠળ બોલર નોન-સ્ટ્રાઈકરને રન આઉટ કરી શકતો નથી.'

મૂળભૂત રીતે, જ્યારે દિગ્વેશ સિંહ રાઠીએ તેની એક્શન પૂર્ણ કરી, ત્યારે બોલ છોડતા પહેલા નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રન-આઉટ કરી શકાતો નથી. એ પણ એક હકીકત છે કે જો રન-આઉટ આપવામાં આવ્યો હોત, તો જીતેશ શર્માના આઉટ સાથે મેચનું પરિણામ બદલાઈ શક્યું હોત.

About The Author

Related Posts

Top News

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.