RCBના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે IPL રમવાની ના પાડી દીધી, કારણ છે પાકિસ્તાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરું (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) સહિત ચાર ટીમો માટે રમી ચૂકેલો ફાફ ડુ પ્લેસિસ IPL 2026ની હરાજીમાં ભાગ નહીં લે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે તે 16 ડિસેમ્બરે થનારી મિની હરાજીમાં ભાગ નહીં લે. તેણે IPL છોડીને પાકિસ્તાન સુપર લીગ (PSL 2026)માં રમવાનો નિર્ણય લીધો છે.

Faf4
indiatoday.in

41 વર્ષીય ફાફ ડુ પ્લેસિસે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા લખ્યું કે, ‘IPLમાં 14 વર્ષ રમ્યા બાદ, મેં આ વખતે હરાજીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ એક મોટો નિર્ણય છે. અલગ-અલગ ટીમોમાં અલગ-અલગ ખેલાડીઓ સાથે રમવાનું તેનું સૌભાગ્ય રહ્યું છે.

ફાફ ડુ પ્લેસિસે પોતાના નિવેદનમાં આગળ લખ્યું કે, 14 વર્ષ ખૂબ લાંબો સમય હોય છે. આ સમય દરમિયાન મેં જે હાંસલ કર્યું છે તેના પર મને ગર્વ છે. ભારતનું મારા દિલમાં એક ખાસ સ્થાન છે અને આ IPLને અલવિદા નથી. તમે મને ફરીથી જોશો. ડુ પ્લેસિસે એમ પણ લખ્યું કે તે પાકિસ્તાનમાં થનાર આદર-સત્કાર માટે ઉત્સાહિત છે.

Faf
sports.ndtv.com

ફાફ ડુ પ્લેસિસ RCBની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને ગત સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. તેણે પોતાની 154 મેચની IPL કારકિર્દીમાં 4773 રન બનાવ્યા છે, જેમાં 39 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે PSL 2026માં ભાગ લેવાને એક નવો પડકાર ગણાવ્યો. નોંધનીય છે કે ડુ પ્લેસિસ અત્યાર સુધી PSLમાં બે ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે ક્વેટા ગ્લેડીયેટર્સ અને પેશાવર ઝાલ્મી માટે કુલ 6 મેચ રમી છે.

About The Author

Related Posts

Top News

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.