RCBના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે IPL રમવાની ના પાડી દીધી, કારણ છે પાકિસ્તાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરું (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) સહિત ચાર ટીમો માટે રમી ચૂકેલો ફાફ ડુ પ્લેસિસ IPL 2026ની હરાજીમાં ભાગ નહીં લે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે તે 16 ડિસેમ્બરે થનારી મિની હરાજીમાં ભાગ નહીં લે. તેણે IPL છોડીને પાકિસ્તાન સુપર લીગ (PSL 2026)માં રમવાનો નિર્ણય લીધો છે.

Faf4
indiatoday.in

41 વર્ષીય ફાફ ડુ પ્લેસિસે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા લખ્યું કે, ‘IPLમાં 14 વર્ષ રમ્યા બાદ, મેં આ વખતે હરાજીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ એક મોટો નિર્ણય છે. અલગ-અલગ ટીમોમાં અલગ-અલગ ખેલાડીઓ સાથે રમવાનું તેનું સૌભાગ્ય રહ્યું છે.

ફાફ ડુ પ્લેસિસે પોતાના નિવેદનમાં આગળ લખ્યું કે, 14 વર્ષ ખૂબ લાંબો સમય હોય છે. આ સમય દરમિયાન મેં જે હાંસલ કર્યું છે તેના પર મને ગર્વ છે. ભારતનું મારા દિલમાં એક ખાસ સ્થાન છે અને આ IPLને અલવિદા નથી. તમે મને ફરીથી જોશો. ડુ પ્લેસિસે એમ પણ લખ્યું કે તે પાકિસ્તાનમાં થનાર આદર-સત્કાર માટે ઉત્સાહિત છે.

Faf
sports.ndtv.com

ફાફ ડુ પ્લેસિસ RCBની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને ગત સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. તેણે પોતાની 154 મેચની IPL કારકિર્દીમાં 4773 રન બનાવ્યા છે, જેમાં 39 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે PSL 2026માં ભાગ લેવાને એક નવો પડકાર ગણાવ્યો. નોંધનીય છે કે ડુ પ્લેસિસ અત્યાર સુધી PSLમાં બે ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે ક્વેટા ગ્લેડીયેટર્સ અને પેશાવર ઝાલ્મી માટે કુલ 6 મેચ રમી છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.