સુનિલ ગાવસ્કર બન્યા 'ગંભીર', કોચ-કેપ્ટન પર થયા ગુસ્સે, કહ્યું- દુબેને કંઈ નહોતું

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી T20માં કન્કશન સબસ્ટિટ્યુટને લઈને ઘણો વિવાદ થયો હતો. હાર પછી, ઇંગ્લેન્ડે તેના પર ઘણો હોબાળો મચાવ્યો. હવે ફરી એકવાર આ વિવાદ ગરમાયો છે. ભારતના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે આ બાબતે પ્રતિક્રિયા આપી છે. ગાવસ્કર માને છે કે, હર્ષિત રાણા અને શિવમ દુબે વચ્ચે લાઈક ટુ લાઈક જેવું કંઈ પણ નથી. તેમણે તો એમ પણ કહ્યું કે, શિવમ દુબેને કંઈ થયું જ ન હતું.

ટેલિગ્રાફમાં પોતાની કોલમમાં સુનીલ ગાવસ્કરે કહ્યું, 'પુણેમાં રમાયેલી ચોથી T20 મેચમાં બોલ શિવમ દુબેના હેલ્મેટ પર વાગ્યો, પરંતુ તે પછી પણ તે અંત સુધી રમી રહ્યો હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેને માથામાં ઈજા થઈ ન હતી. આ કારણોસર, 'કન્ક્શનના કારણે સબસ્ટિટ્યૂટને મંજૂરી આપવી જ ખોટી હતી. તે બેટિંગ પૂરી કરી ચુક્યો હતો. હવે તેનો સબસ્ટિટ્યૂટ ફક્ત ફિલ્ડિંગ જ કરી શકે છે, બોલિંગ નહીં.'

ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનારા આ અનુભવી ખેલાડીએ આગળ કહ્યું, 'શિવમ દુબે અને હર્ષિત રાણા વચ્ચે લાઈક ટુ લાઈક જેવું કંઈ હતું જ નહીં. મજાકમાં કોઈ એમ કહી શકે કે, તેમની ઊંચાઈ અને ફિલ્ડિંગ સમાન છે અને તેમનું શરીર પણ એક સમાન છે.' ફિલ્ડિંગ પણ એ જ છે. નહીં તો, જ્યાં સુધી તેમની વાત છે, ત્યાં સુધી તેમની વચ્ચે લાઈક ટુ લાઈક જેવું કોઈ સમાનતા હતી જ નહીં. ઇંગ્લેન્ડ પાસે ગુસ્સે થવાનું દરેક કારણ છે. આ ભારતીય ટીમ એક શાનદાર ટીમ છે અને ભારતીય ટીમ એવી નથી કે, તેની જીતને કલંકિત કરવાની જરૂર છે.'

ચોથી T20માં ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબેના માથા પર બોલ વાગ્યો હતો, જેના કારણે તે મેચમાં ફિલ્ડિંગમાં આવી શક્યો ન હતો. નિયમો મુજબ, ભારતે તેના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો. ઇંગ્લેન્ડની ટીમ અને કેવિન પીટરસને આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી અને તેને ભારતનું 'વ્યૂહાત્મક પગલું' ગણાવ્યું.

કેવિન પીટરસનનું માનવું હતું કે, ભારતે કન્કશન સબસ્ટિટ્યૂટ નિયમોનો ફાયદો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે દુબેની જગ્યાએ રાણાનો સમાવેશ 'લાઈક ટુ લાઈક' વિકલ્પ નહોતો, પરંતુ તેનાથી ભારતને બોલિંગમાં એક વધારાનો વિકલ્પ મળ્યો. હાર પછી, ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલરે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, આ કોઈ 'લાઈક ટુ લાઈક' જેવું રિપ્લેસમેન્ટ ન હતું.

Top News

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
Gujarat 
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
National 
CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'
Copyright (c) Khabarchhe All Rights Reserved.