ગાવસ્કર KS ભરતને ડ્રોપ કરીને KL રાહુલને ટીમમાં ઈચ્છે છે, આપ્યું કારણ

ભારત અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. આ બંને ટીમો હવે 7 જૂન 2023ના રોજ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર WTC ટાઈટલ માટે એકબીજા સાથે લડતી જોવા મળશે. જો કે આ ફાઇનલ મેચ રમતા પહેલા ભારતીય ટીમે ઘણા મહત્વના સવાલોના જવાબ શોધવા પડશે. આમાંનો એક મહત્વનો પ્રશ્ન એ છે કે WTC ફાઇનલમાં ભારતીય ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન તરીકે કોણ મેદાનમાં ઉતરશે?

આ મુદ્દે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પોતાનો અભિપ્રાય આપ્યો છે. વાસ્તવમાં, સુનીલ ગાવસ્કરનું માનવું છે કે KL રાહુલને WTC ફાઇનલમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન આપવું જોઈએ. તેણે કહ્યું, 'તમે KL રાહુલને વિકેટકીપર તરીકે જોઈ શકો છો. જો તે ઓવલ (WTC ફાઈનલ) ખાતે નંબર 5 અથવા 6 પર બેટિંગ કરે છે, તો અમારી બેટિંગ વધુ મજબૂત બનશે, કારણ કે તેણે ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં રમતી વખતે ખરેખર સારી બેટિંગ કરી હતી. તેણે સદી ફટકારી હતી. જ્યારે તમે WTC ફાઈનલ માટે તમારી પ્લેઈંગ ઈલેવન પસંદ કરો છો ત્યારે KL રાહુલને ધ્યાનમાં રાખો.

અહીં તમને બતાવી દઈએ કે, જો KL રાહુલને WTC ફાઇનલમાં વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવે છે, તો તે સ્પષ્ટ છે કે KS ભરતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. KL રાહુલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 3 ઈનિંગમાં માત્ર 38 રન બનાવ્યા હતા, જેના પછી તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ KS ભરતની વાત કરીએ તો, તેણે પણ ટીમને નિરાશ કરી છે. KS ભરતના બેટથી સિરીઝમાં માત્ર 101 રન (6 ઇનિંગ્સ) થયા હતા. એટલું જ નહીં, વિકેટ કીપર તરીકે પણ તેણે વિકેટ પાછળ ઘણા કેચ છોડ્યા હતા, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. KS ભરત અને KL રાહુલ સિવાય કેપ્ટન રોહિત શર્મા પાસે વિકેટકીપર તરીકે ઈશાન કિશનનો વિકલ્પ પણ હાજર હશે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન કયા ખેલાડી પર વિશ્વાસ રાખે છે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.