મને સર કહેવાથી નફરત છે, મને નામથી બોલાવો કે 'બાપુ' કહીને બોલાવો: રવિન્દ્ર જાડેજા

ભારતીય ટીમ માટે નાગપુર ટેસ્ટ જીતનો હીરો બનેલો રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દિલ્હી ટેસ્ટ પહેલા જાડેજાનું નિવેદન ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે, તેને 'સર જાડેજા' કહેવાનું પસંદ નથી. જાડેજાનું નિવેદન થોડા વર્ષો જૂનું છે, જેમાં તેણે કહ્યું હતું કે, તેને 'સર' કહેવાથી નફરત છે અને તેથી ક્યાં તો લોકો તેને 'બાપુ' કહે છે અથવા તેના નામથી બોલાવે છે.

જાડેજાનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે તે ઈજાગ્રસ્ત થઈને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં પરત ફરી રહ્યો હતો. તે સમયે જાડેજાએ સૂત્રો સાથેની એક વાતચીતમાં કહ્યું હતું કે, 'લોકોએ મને મારા નામથી બોલાવવો જોઈએ. તે પર્યાપ્ત છે. મને 'સર' કહેવાથી ધિક્કાર છે. લોકો ઇચ્છે તો મને બાપુ કહી શકે છે, એ જ મને ગમે છે. મને આ સર-વર બિલકુલ પસંદ નથી. હકીકતમાં, જ્યારે લોકો મને સર કહે છે, ત્યારે તે કઈ મને ધ્યાનમાં નથી રહેતું.'

જાડેજા ભાગ્યે જ ઈન્ટરવ્યુ આપે છે અને ક્યારેય ખુલીને બોલતો જોવા મળ્યો નથી. વર્ષોથી, તેમણે મીડિયા પ્રત્યે નિષ્ક્રિય વલણને જાળવી રાખ્યું છે. એકવાર ટીમમાંથી બહાર નીકળ્યા પછી, તેણે ઇન્ટરવ્યુ માટેની વિનંતીને અડધા-અધૂરા જવાબો આપીને પૂરું કર્યું હતું. તેણે તે દરમિયાન કહ્યું હતું કે, 'શું તમને લાગે છે કે, જો તમે મારા વિશે લખશો તો મને ટીમમાં પાછો બોલાવવામાં આવશે?'

રવિન્દ્ર જાડેજા એવી જગ્યાએ મોટો થયો છે કે, જ્યાં તેણે ત્યાંના શાસકો અને શૂરવીરોની બહાદુરી વિશે શીખ્યું છે. જાડેજાએ પોતાનું જીવન એવી જગ્યાએ વિતાવ્યું છે કે, ત્યાં જાતિની ઓળખ ખૂબ જ મહત્વ રાખતી હોય છે. એટલે જ તે પોતે 'બાપુ' કહેવડાવવાનું પસંદ કરે છે. તેણે કહ્યું કે, 'અમે એકબીજાને માનની સાથે સંબોધન કરીએ છીએ, અમે હંમેશા 'તમે' અથવા 'બાપુ' કહેવડાવવાનું પસંદ કરીએ છીએ. આ જ મારી સ્થાનિક સંસ્કૃતિ છે. આવું જ મારી આજુબાજુમાં રહેતા લોકો કરે છે. તમે કોઈને જાણતા હો કે ન જાણતા હો, પરંતુ તમે જો અમારા સમુદાયના છો તો, તમે તેને 'બાપુ' કહીને જ સંબોધિત કરી શકો છો. તમે જુવાન કે વૃદ્ધ હોય શકો છો પરંતુ સમ્માન મહત્વનું હોય છે.'

અહીં તમને જણાવી દઈએ કે, જાડેજાએ ઈજા બાદ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ નાગપુર ટેસ્ટમાં બેટ અને બોલથી જોરદાર કમબેક કર્યું હતું અને 7 વિકેટ ઝડપી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને 'મેન ઓફ ધ મેચ'નું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં જાડેજા બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે દિલ્હીની પીચ પર પણ સ્પિનરોને મદદ મળવાની પુરી આશા છે. આવી સ્થિતિમાં કાંગારૂઓ માટે ફરી એકવાર અશ્વિન અને જાડેજાનો સામનો કરવો સરળ નથી.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.