2 વર્ષમાં 2 વર્લ્ડ કપ જીતવા હોય તો આ ખેલાડીઓને સામેલ કરવાની ગાવસ્કરે આપી સલાહ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવુ છે કે, ટીમ ઈન્ડિયાએ આગામી T20 વર્લ્ડ કપ અને પછી ભારતમાં યોજાનારા 50 ઓવરોના વર્લ્ડ કપને જીતવુ હશે તો ટીમમાં ઓછામાં ઓછાં બે ઉત્તમ કક્ષાના ઓલરાઉન્ડર્સની જરૂર પડશે. ગાવસ્કરે સ્પષ્ટ કર્યું છે કે, 1983ના વર્લ્ડ કપમાં તેના વિજેતા બનવવાનું મુખ્ય કારણ ઓલરાઉન્ડર્સ જ હતા. હંમેશાંથી જ ઓલરાઉન્ડર્સે ભારતીય ટીમને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. 1983, 2007 અને 2011ના વર્લ્ડ કપ દરમિયાન ટીમમાં ઘણા ઓલરાઉન્ડર્સ હતા.

મિડ ડે અખબાર માટે લખેલી કોલમમાં સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર્સના અભાવ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું, આ 14 ખેલાડી અને એક મેનેજરવાળી સ્ક્વોર્ડ હતી, જેના દ્વારા અમે કમાલ કર્યો. તે સમયે કોઈપણ પ્રકારની ફિલ્ડિંગની પાબંધીઓ નહોતી. તેમજ ઓવરમાં બાઉન્સ બોલ નાંખવાની સંખ્યાને લઈને પણ કોઈ રોકટોક નહોતી. લાલ બોલનો ઉપયોગ થતો હતો, જે જૂનો થયા બાદ પણ ઈંગ્લિશ કંડિશનમાં ફરવાનું બંધ નહોતો કરતો. તે ટીમ ઓલરાઉન્ડર્સથી ભરેલી હતી. આ જ સીમિત ઓવરોની ક્રિકેટ ટીમની સફળતાનો મૂળ મંત્ર હતો. આ જ કારણ રહ્યું કે, ટીમે ICCનો ખિતાબ પણ જીત્યો. છેલ્લીવાર ભારતીય ટીમે 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારથી અત્યારસુધી ભારતીય ટીમ કોઈપણ મોટો ખિતાબ પોતાના નામે નથી કરી શકી.

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ત્યાં સુધી કે વર્ષ 2007ના T20 વર્લ્ડ કપ અને 2011ના 50 ઓવરોના વર્લ્ડ કપમાં પણ ભારતની પાસે એવા ખેલાડીઓ હતા જે બોલિંગ તો સારી કરતા જ હતા સાથોસાથ તેઓ બેટિંગમાં પણ સારું યોગદાન આપી શકતા હતા. જો ભારત બે સારા ઓલરાઉન્ડર્સ શોધી લે તો ઓસ્ટ્રેલિયામાં રમાનારા આગામી T20 વર્લ્ડ કપ 2022 અને ત્યારબાદ ભારતમાં યોજાનારા 50 ઓવરોના વર્લ્ડ કપ 2023 દરમિયાન આપણી જીતવાની સારી સંભાવનાઓ હશે.

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, વર્તમાનમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. જ્યારે શાર્દુલ ઠાકુર ધીમે-ધીમે સારું કરી રહ્યો છે. આ ઉપરાંત, IPLમાં સારું પ્રદર્શન કરનારા વેંકટેશ ઐય્યરને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરખવાની જરૂર છે.

Top News

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
National 
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક પિતાએ પોતાની દીકરી પડી ગયા પછી રસ્તાઓની ખરાબ હાલત પર ગુસ્સો વ્યક્ત કરવા માટે એક...
National 
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે બિહારમાં SIR એટલે કે ખાસ સઘન મતદાર સુધારણા હાથ ધરી છે. પરંતુ વિપક્ષ...
National 
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Copyright (c) Khabarchhe All Rights Reserved.