ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના  આધારે તેમણે ફાયર ઓફિસરની ડિગ્રી માટે એડમિશન મેળવ્યું અને ત્યારબાદ નોકરીમાં લાગી ગયા હતા. હવે આ 9માંથી 3 અધિકારીના નવાં કાંડનો ખુલાસો થયો છે. દિવ્યભાસ્કરના રિપોર્ટ મુજબ, જે સર્ટિફિકેટને કારણે AMCએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા એ જ સર્ટિફિકેટ દ્વારા હાંસલ કરેલી ડિગ્રી GPSCને આપી અને ક્લાસ-1 તેમજ ક્લાસ-2ની નોકરી મેળવી લીધી છે. અમદાવાદ ફાયર વિભાગે જેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા તેમાથી 3 અધિકારી ઓમ જાડેજા, અભિજિત ગઢવી અને અનિરુદ્ધ ગઢવીની ગણતરીના દિવસોમાં જ નવી ભરતીમાં નિમણૂક થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાગપુરમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ આવેલી છે. કેન્દ્ર સરકાર હસ્તક ચાલતી આ કોલેજમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે. આ પરીક્ષા સરળ હોતી નથી. એટલે પરીક્ષા અઘરી લાગતી હોય એવા ઉમેદવારો શોર્ટકર્ટ તરીકે ખાનગી કંપની તરફથી સ્પોન્સરશિપ મેળવી કોલેજમાં પ્રવેશ મેળવે છે, જોકે આ પદ્ધતિ ખોટી નથી, પરંતુ સ્પોન્સરશિપ આપનારી કંપનીઓ અને સંસ્થાઓએ ખરેખરમાં એવા સ્પોન્સર લેટર આપ્યા છે કે નહીં? એની તપાસ કરવામાં આવી હતી. NFSCએ ક્રોસ ઈન્ક્વાયરી કરી તો મોટો ભાંડો ફૂટ્યો હતો.

SC
facebook.com/SupremeCourtOfIndia

ઘણા એવા લોકો હતા, જેઓ નકલી સંસ્થાઓના નકલી સ્પોન્સરશિપ લેટર લઈને આવ્યા હતા અને એડમિશન લીધું, નાગપુરમાં ભણ્યા અને પછી એ જ સર્ટિફિકેટના આધારે દેશના વિવિધ શહેરોમાં ફાયર વિભાગમાં અલગ-અલગ પદ પર નોકરી પણ મેળવી લીધી હતી. આ વાત જ્યારે ધ્યાનમાં આવી તો NFSCના ડિરેક્ટરે 3 જૂન, 2019ના રોજ નાગપુરના માનકાપુર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી, જેમાં નકલી સ્પેન્સરશિપ લેટર આપનારી અલગ-અલગ 7 સંસ્થાનાં નામ પણ લખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તપાસનો રેલો ગુજરાત સુધી પણ પહોંચ્યો હતો.

2021માં સામે આવ્યું કે ગુજરાતના ઘણા ઉમેદવારોએ નકલી કંપનીઓમાંથી સ્પોન્સરશિપ મેળવીને નાગપુરની કોલેજમાં પ્રવેશ લીધો હતો. ગુજરાતમાં તો સિવિલ ડિફેન્સ જેવી સરકારી સંસ્થાના નકલી સ્પોન્સરશિપ પર પણ ઉમેદવારોએ આ કોલેજમાં એડમિશન લીધું હોવાનું સામે આવ્યું હતું. એટલે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની તપાસ બેસી અને નકલી સ્પેન્સરશિપ સર્ટિફિકેટના આધારે ડિગ્રી મેળવી નોકરી લેનારા અધિકારીઓને લિસ્ટ બનાવી. ત્યારબાદ 22 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદ મહાનગરપાલિકાએ કઠોર નિર્ણય લીધો અને 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, પરંતુ આટલેથી જ કહાની ખતમ ન થઈ. પીકચર હજી બાકી હતું.

AMC
divyabhaskar.co.in

અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણય સામે નોકરીમાથી હાથ ધોઈ બેઠેલા અધિકારીઓ હાઇકોર્ટમાં પહોંચ્યા. હાઇકોર્ટે AMCના નિર્ણય પર સ્ટે આપી દીધો, એટલે AMCએ મોટી બેંચ સમક્ષ આ કેસ મૂકવા અરજી કરી દીધી, પરંતુ આ સમયગાળામાં અન્ય એક ગજબનો ઘટનાક્રમ ચાલ્યો. હાઇકોર્ટે આપેલા એક ચુકાદા બાદ 9માંથી 4 અધિકારીને AMCએ કાઢી મૂક્યા છે, જોકે અન્ય 5 અધિકારીના મામલે હજી નીરની આવ્યો.

વર્ષ 2021થી લઈને 2025 સુધી ગુજરાતના વિવિધ શહેરોમાં ફાયર વિભાગ માટે GPSC ભરતીપ્રક્રિયા ચાલી રહી હતી, જેમાં અલગ-અલગ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવામાં આ 9 ટર્મિનેટેડ અધિકારીમાંથી 3 લોકો સામેલ હતા. ઓમ જાડેજા, અભિજિત ગઢવી અને અનિરુદ્ધ ગઢવી. GPSCની જુદી-જુદી ભરતીમાં શૈક્ષણિક લાયકાતમાં નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં કરેલા કોર્સનું સર્ટિફિકેટ પણ માન્ય ગણવામાં આવ્યું હતું. હવે એક બાદ એક ભરતીના પરિણામો આવ્યા અને આ ત્રણેય ઉમેદવારોએ અલગ-અલગ ભરતીમાં નિમણૂક પામ્યા હતા.

About The Author

Related Posts

Top News

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

ભારતમાં ચોમાસું હજુ પૂરું થયું નથી, પરંતુ વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત અને પસંદગીયુક્ત બની રહી છે. ઉત્તર-પૂર્વ મધ્ય...
National 
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

રવિવારે (23 ઓગસ્ટ) કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરતી વખતે આપેલા વચનો...
National 
સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-08-2026 દિવસ: સોમવાર મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનારા વિઘ્નો હળવા થતા જણાય. વૃષભ: દિવસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.