ભારત- ન્યૂઝીલેન્ડ મેચ: રવિવારે રનનો ખડકલો થશે કે પછી વરસાદ ખેલ બગાડશે?

ICC વન-ડે વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે મુકાબલો થવાનો છે.આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલામાં રમાવવાની છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ ભારતના વિજય રથને રોકવા અને વિજય હાંસલ કરવાના ઈરાદા સાથે ઉતરશે. ન્યૂઝીલેન્ડ પાસે 2016માં ભારત દ્વારા ODI મેચમાં મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક હશે.ત્યારે સવાલ એ છે કે રવિવારે ધર્મશાળાના મેદાન પર રનનો ખડકલો થશે કે પછી હવામાન ખેલ બગાડશે?

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સતત ચાર મેચ જીતી છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ભારત બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં રવિવારે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. આ મેચ પહેલા ચાલો જાણીએ કે ધર્મશાલાની પિચ કેવી છે અને કયા બેટ્સમેન કે બોલર માટે ફાયદાકારક છે.

હિમાચલ પ્રદેશના ખુબસુરત સ્ટેડિયમ ધર્મશાળામાં રવિવારે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ટકરાવ થશે. ધર્મશાળાની પીચ ઝડપી બોલરો માટે મદદરૂપ થઇ શકે છે.

જો બેસ્ટમેન ક્રિઝ પર બેટીંગ કરતી વખતે થોડો સમય ટકી જાય છે તો એ ખેલાડીઓ માટે રન બનાવવા આસાન બનશે. જેમ જેમ મેચ આગળ વધશે, તેમ તમ સ્પિનર્સનો પણ પ્રભાવ જોવા મળશે.

ધર્મશાલા મેદાન પર પ્રથમ દાવની સરેરાશ 231ની રહી છે. છેલ્લી કેટલીક મેચોમાં એવું જોવા મળ્યું છે કે પાછળથી બેટિંગ કરનારી ટીમો વધુ જીત મેળવે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઇ શકે છે.

હવામાન વિભાગ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ધર્મશાળામાં મૌસમ ઠંડુ રહેશે. મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના 20 ટકા વ્યકત કરવામાં આવી છે. જ્યારે તાપમાન 13 ડિગ્રીથી 19 ડિગ્રી વચ્ચે રહેશે એવી ધારણા છે.

ODI વર્લ્ડ કપ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 3 મેચ જીતી છે. તે જ સમયે, 1 મેચ અનિર્ણિત રહી હતી. બંને વચ્ચે પ્રથમ મેચ 1975માં ODI વર્લ્ડ કપમાં રમાઈ હતી અને છેલ્લી વખત તેઓ 2019માં આમને સામને હતા, જેમાં ન્યૂઝીલેન્ડે મેચ જીતી હતી.

 

તો બીજી તરફ વન-ડે મેચોમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 116 વખત ટક્કર થઇ છે, જેમાં ભારતે 58 વખત અને ન્યૂઝીલેન્ડ 50 વખત મેચ જીતી છે. જ્યારે 7 મેચ અનિર્ણાયક અને 1 મેચમાં ટાઇ રહી હતી.

ટીમ ઇન્ડિયા માટે એક આંચકો એ છે કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થવાને કારણે ધર્મશાળાની મેચ રમી શકે તેવી સ્થિતિમાં નથી.

About The Author

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી...
Gujarat 
અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે...
Gujarat 
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.