ભારત- ન્યૂઝીલેન્ડ મેચ: રવિવારે રનનો ખડકલો થશે કે પછી વરસાદ ખેલ બગાડશે?

ICC વન-ડે વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે મુકાબલો થવાનો છે.આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલામાં રમાવવાની છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ ભારતના વિજય રથને રોકવા અને વિજય હાંસલ કરવાના ઈરાદા સાથે ઉતરશે. ન્યૂઝીલેન્ડ પાસે 2016માં ભારત દ્વારા ODI મેચમાં મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક હશે.ત્યારે સવાલ એ છે કે રવિવારે ધર્મશાળાના મેદાન પર રનનો ખડકલો થશે કે પછી હવામાન ખેલ બગાડશે?

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સતત ચાર મેચ જીતી છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ભારત બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં રવિવારે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. આ મેચ પહેલા ચાલો જાણીએ કે ધર્મશાલાની પિચ કેવી છે અને કયા બેટ્સમેન કે બોલર માટે ફાયદાકારક છે.

હિમાચલ પ્રદેશના ખુબસુરત સ્ટેડિયમ ધર્મશાળામાં રવિવારે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ટકરાવ થશે. ધર્મશાળાની પીચ ઝડપી બોલરો માટે મદદરૂપ થઇ શકે છે.

જો બેસ્ટમેન ક્રિઝ પર બેટીંગ કરતી વખતે થોડો સમય ટકી જાય છે તો એ ખેલાડીઓ માટે રન બનાવવા આસાન બનશે. જેમ જેમ મેચ આગળ વધશે, તેમ તમ સ્પિનર્સનો પણ પ્રભાવ જોવા મળશે.

ધર્મશાલા મેદાન પર પ્રથમ દાવની સરેરાશ 231ની રહી છે. છેલ્લી કેટલીક મેચોમાં એવું જોવા મળ્યું છે કે પાછળથી બેટિંગ કરનારી ટીમો વધુ જીત મેળવે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઇ શકે છે.

હવામાન વિભાગ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ધર્મશાળામાં મૌસમ ઠંડુ રહેશે. મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના 20 ટકા વ્યકત કરવામાં આવી છે. જ્યારે તાપમાન 13 ડિગ્રીથી 19 ડિગ્રી વચ્ચે રહેશે એવી ધારણા છે.

ODI વર્લ્ડ કપ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 3 મેચ જીતી છે. તે જ સમયે, 1 મેચ અનિર્ણિત રહી હતી. બંને વચ્ચે પ્રથમ મેચ 1975માં ODI વર્લ્ડ કપમાં રમાઈ હતી અને છેલ્લી વખત તેઓ 2019માં આમને સામને હતા, જેમાં ન્યૂઝીલેન્ડે મેચ જીતી હતી.

 

તો બીજી તરફ વન-ડે મેચોમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 116 વખત ટક્કર થઇ છે, જેમાં ભારતે 58 વખત અને ન્યૂઝીલેન્ડ 50 વખત મેચ જીતી છે. જ્યારે 7 મેચ અનિર્ણાયક અને 1 મેચમાં ટાઇ રહી હતી.

ટીમ ઇન્ડિયા માટે એક આંચકો એ છે કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થવાને કારણે ધર્મશાળાની મેચ રમી શકે તેવી સ્થિતિમાં નથી.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.