IPL 2024થી અત્યાર સુધી બહાર થયા આ ખેલાડી, CSK સહિતની ટીમોને ભારે નુકસાન

On

IPL 2024ની હજુ શરૂઆત થઈ નથી અને એ અગાઉ જ કેટલાક ખેલાડી ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા છે. મોહમ્મદ શમી, ડેવોન કોનવે અને માર્ક વૂડ જેવા મોટા ખેલાડી આ વખત ટૂર્નામેન્ટમાં નજરે નહીં પડે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) સહિત ઘણી ટીમોને તેનું નુકસાન થયું છે. ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમી આ વખત નહીં રમે. તે ઇજાના કારણે બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમીએ ઇજા બાદ લંડનમાં સર્જરી કરાવી હતી. મોહમ્મદ શમી સાથે સાથે મેથ્યૂ વેડ પણ નહીં રમે. જો કે, મેથ્યૂ વેડ શરૂઆતી 2-3 મેચોથી જ બહાર થશે. તે શેફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે.

લખનૌ સુપર જાયન્ટ્સના શાનદાર ખેલડી માર્ક વૂડ IPLની આ સીઝનમાં નહીં રમે. માર્ક વૂડે વર્ક લોડ મેનેજમેન્ટના કારણે ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ લીધું છે. તે જૂનમાં T20 વર્લ્ડ કપ 2024 રમવા માગે છે. આ કારણે બ્રેક લીધો છે. રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા IPLની આ સીઝનમાં નહીં રમી. તે પણ મોહમ્મદ શમીની જેમ ઇજાગ્રસ્ત છે. પ્રસિદ્ધ કૃષ્ણા રણજી ટ્રોફીની એક મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તે ગત સીઝનમાં પણ ઇજાના કારણે રમી શક્યો નહોતો.

દિલ્હી કેપિટલ્સ (DC)ના ખેલાડી હેરી બ્રૂકે નામ પાછું ખેચી લીધું છે. તે IPL 2024માં નહીં રમે. હેરી બ્રૂકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયા ખરીદ્યો હતો. તે અંગત કારણોસર ટૂર્નામેન્ટથી બહાર થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓપનર બેટ્સમેન ડેવોન કોનવે ઇજાગ્રસ્ત છે. તેને અંગૂઠામાં ઇજા થઈ છે. આ કારણે તે IPL 2024થી બહાર થઈ ગયો છે. તેને ઘણા સમય સુધી મેદાનથી બહાર રહેવું પડી શકે છે.

તેનું ઇજાગ્રસ્ત થવું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોટું નુકસાન છે. તેણે ગયા વર્ષે ઋતુરાજ ગાયકવાડ સાથે ફાઇનલ સુધી પહોંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મજબૂત ખેલાડી જેસન રૉય અને ગેસ એટકિન્સન ટૂર્નામેન્ટમાં નહીં દેખાય. જેસન રોયે અંગત કારણોથી ન રમવાનો નિર્ણય લીધો છે. તો એટકિન્સને T20 વર્લ્ડ કપ 2024માં હિસ્સો લેવો છે. કોલકાતા નાઈટ રાઇડર્સે જેસન રોયની જગ્યાએ ફિલ સાલ્ટને ટીમમાં સામેલ કર્યો છે. ટીમે દુશ્મંથા ચમીરાને પણ ટીમમાં જગ્યા આપી છે.

Related Posts

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.