મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 87 રન બનાવીને ટીમને ફાઇનલમાં પહોંચાડી. આ બધા વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેપ્ટન ઐયર તેના સાથી ખેલાડી શશાંક સિંહ પર ગુસ્સો કરતા જોવા મળે છે.

Shreyas Iyer
navbharatlive.com

મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં શશાંક સિંહ એક મહત્વપૂર્ણ તબક્કે રન આઉટ થયો હતો. આ દરમિયાન, શ્રેયસ ઐયર પણ મેદાન પર હાજર હતો, જે શશાંકની ભૂલથી ખુશ દેખાતો નહોતો. જોકે, પંજાબે મેચ તો જીતી લીધી, પરંતુ મેચ સમાપ્ત થયા પછીનો એક વીડિયો વાયરલ થયો જેમાં ઐયર શશાંક સિંહને કંઈક કહેતો જોવા મળે છે. વીડિયો જોઈને એવું લાગે છે કે, ઐયર તે રન આઉટ પર તેની સાથે ગુસ્સો કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આવા જ કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેચ પછી ઐયરે શશાંક સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે, આ સમય દરમિયાન ઐયરે શશાંક સાથે ખરાબ વ્યવહાર કર્યો. ઇન્ટરનેટ લિપ રીડિંગ નિષ્ણાતોએ પણ દાવો કર્યો હતો કે ઐયરે શશાંકને કહ્યું હતું, 'તું કઈ બોલતો જ નહીં મારી સામે...'

Shreyas Iyer
news18.com

શ્રેયસ ઐયરે આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ઐયર શશાંક સિંહે જે રીતે વિકેટ ગુમાવી તેનાથી નાખુશ હતો. અહીં તમને જણાવી દઈએ કે 17મી ઓવરના ચોથા બોલ પર શશાંક સિંહ રન આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાના સીધા થ્રોએ સ્ટમ્પ્સને ઉખાડી નાખ્યા હતા. આ સમયે ટીમને 20 બોલમાં 35 રનની જરૂર હતી, તેથી શશાંકનું આઉટ થવું પંજાબ કિંગ્સ માટે મોંઘુ સાબિત થઈ શક્યું હોત. મેચ પછી, શશાંક સિંહના ચહેરા પર પણ ઉદાસી દેખાઈ રહી હતી અને કોચ રિકી પોન્ટિંગ તેમને સમજાવતા જોવા મળ્યા હતા.

જોકે, ઐયરે આવું થવા દીધું નહીં અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવી. તેણે જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટના સારા બોલ પણ બાઉન્ડ્રી લાઇનની પેલે પાર મોકલ્યા. મેચની 19મી ઓવરમાં, ઐયરે ડાબા હાથના બોલર અશ્વિની કુમારની ઓવરમાં ચાર છગ્ગા ફટકારીને 27 રન બનાવ્યા.

1 જૂનના રોજ બીજા ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા, MI6 વિકેટે 203 રન બનાવ્યા. આ દરમિયાન MI માટે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 44-44 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા, PBKSMIને એક ઓવર બાકી રહેતા 5 વિકેટે હરાવ્યું.

About The Author

Related Posts

Top News

HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

કાનપુરમાં HDFC બેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેંક કર્મચારી આસ્થા સિંહ ગુસ્સામાં કહેતી જોવા...
National 
HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવા નિયમો બહાર પાડ્યા છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિર્દેશોમાં રાષ્ટ્ર ગીત ગાવા...
Education 
ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.